Monday, December 19, 2011

ઢંગધડા વગરનાં ગીતો

પહેલાં લગ્નોમાં ફટાણાં ગવાતાં એમાં ક્યારેક અભદ્ર કોમેન્ટ સાથે ગીતો ગવાતાં. તો ક્યારેક ચાબખા મારતા ફટાણાં હોય જેને અમારા મિત્ર બંસલ, ‘મખમલ મેં લપેટ કે જૂતા મારના’ કહે છે તેવું હોય. ‘ઘરમાં નો’તી સોપારી તો શીદને તેડાવ્યા વેપારી મારા નવલા વેવાઈ’ આ મખમલ લપેટીને મારેલું જૂતંુ કહેવાય. પણ કેટલીક જગ્યાએ હલકી ભાષામાં પણ એ વખતે કહેવાતું. હવે એ ફટાણાં બંધ છે. પણ હવે બેન્ડવાજા અને માંડવામાં વાગતી ‘ઓડિયો સિસ્ટમ’ છે. તેમાં ગીતો વાગે છે, પણ ઘણી વાર ઢંગધડા વગરનાં.

એક લગ્ન પ્રસંગમાં વરરાજા વરઘોડા સાથે (ઘોડા વગરના વરઘોડા સાથે) મંડપમાં પ્રવેશ્યા, વરરાજા એકદમ કાળા વેસ્ટ ઈન્ડીઝના ખેલાડી હોય એટલા કાળા હતા. જેવા લગ્ન મંડપમાં વરરાજા પ્રવેશ્યા કે કેસેટ વાગવી શરૂ થઈ ‘યે કાલા કૌવા કાટ ખાયેંગા...’ વરરાજા ઝંખવાણા પડી ગયા.

સદાબહાર કલાકારથી જેમ કેટલાંક ગીતો પણ સદાબહાર છે. ‘યે દેશ હૈ વીર જવાનો કા, અલબેલો કા મસ્તાનો કા...’ આ ગીત પણ એ જ હરોળમાં છે એ સદાબહાર વરઘોડા ગીત છે. સાહેબ તમે મને એક એવો વરઘોડો બતાવો જેમાં આ ગીત ન વાગ્યું હોય. હમણાં પરણી ઊતરેલો વિશ્વેશ કહે છે “મારા વરઘોડામાં આ ગીત વાગેલું પણ મારા દાદાના વરઘોડામાં પણ આ જ ગીત બેન્ડમાં વાગેલું.” પેઢી દર પેઢી વરઘોડા વખતે યે દેશ હૈ વીર જવાનો કા વાગે છે અને વાગશે, સિંદબાદ કહે છે. યુધિષ્ઠિરે આપેલા યક્ષના જવાબની શૈલીમાં કે અનેક લોકોને લગ્ન કરી બેહાલી ભોગવતા જોયા પછી પણ માણસો લગ્ન કરવા જઈ રહ્યા છે, તે જોયા પછી એ લોકોને વીર કહેવા જોઈએ, જેથી લગ્ન વખતે ‘યે દેશ હૈ વીર જવાનો કા’ ગીત બેન્ડવાળા વગાડતા રહે છે. આ ગીત લખ્યું પાકિસ્તાન રિટર્ન શાયર સાહિર લુધિયાનવીએ, આટલાં બધાં લગ્નમાં વાગતા આ ગીતના શાયર કુંવારા હતા. પારકા છોકરાને જતિ (પતિ વાંચવું) કરવા તે આનું નામ.

અમને કિશોરકુમાર પ્રિય છે. એણે ગાયેલું ગીત ‘તૂં ઔરો કી’ ગીત ઘણું સુંદર છે. પણ લગ્નમાં આ ગીત વાગે છે ત્યારે અયોગ્ય અને અસ્થાને લાગે છે. એક સજ્જનની પુત્રીનાં લગ્ન હતાં. હસ્તમેળાપ વખતે જ કેસેટ વાગવા માંડી, ‘તૂં ઔરો કી ક્યું હો ગઈ! કલ તક તો હમારી થી...આજ ઔરો કી ક્યું હો ગઈ?’ લગ્નની ધમાલમાં હાજર રહેલા લોકોને આ ગીત તરફ ધ્યાન નહીં ગયું હોય, પણ અમારા અળવીતરા મગજમાં સુંદર ગીતના અસુંદર અર્થ નીકળવા માંડયા. કન્યાના મુખ ઉપર અમને અપરાધભાવ દેખાવા માંડયો. જાણે એ વિચારતી હોય ‘મારી પોલ ખૂલી ગઈ.’

વરસો જૂની ફિલ્મ ‘આન ના એક ગીતનો તો મિમિક્રીના કાર્યક્રમોમાં ભરપૂર ઉપયોગ થઈ ચૂક્યો છે તે પણ યાદ આવે છે. કન્યા લઈને પરત ફરતા વરરાજા જાન સાથે પ્રસ્થાન કરતા હોય અને માંડવે ગીત શરૂ થાય ‘હમ આજ અપની મૌત કા સામાન લે ચલે’ જો કે આ ગીતની રમૂજ હવે તો ચવાઈ ગયેલી ગણાય. પણ કન્યાવિદાયનાં ઘણાં ગીતો પ્રચલિત છે. એક ખૂબ જાણીતું ગીત ‘બાબૂલ કી દૂઆયેં લેતી જા, જા તૂજ કો સુખી સંસાર મીલે’ હાસ્ય કલાકાર જ્હોની લીવરે એની ખિલ્લી ઉડાડતી પેરોડી કરી હતી, ‘ડાબર કી દવાએ લેતી જા...ળ

જા તૂજે પતિ બીમાર મીલે...’

પ્રસંગોમાં વાગતાં ઢંગધડા વગરનાં ગીતો વચ્ચે, કેટલાંક ખૂબ જ પ્રસંગોચિત ગીતો પણ છે. કન્યાવિદાય માટે શંકર-જયકિશને અદ્ભુત ગીત લખેલું ‘ન્યૂ દિલ્હી’માં ‘ગોરી તેરે સપનો કે સજના ખડે તેરે અંગના, લેકે ડોલી ખડે હૈ કહાર હો, જા જાને કો તૈયાર’ ગીતનો ઉપાડ જ ગજબ છે.

પ્રસંગને મજાક બનાવતાં ગીતો છે, તો કેટલાંક અર્થસભર ગીતો પણ છે. યજમાનની સમજ ઉપર આધાર છે.

વાઈડ બોલ
એક ફ્લાઈંગ ઇન્સ્ટિટયૂટના સંચાલક વિદ્યાર્થીઓના લાખ્ખો રૂપિયા ચાઉં કરી ગયા. સમાચાર ફલાઈંગ ઈન્સ્ટિ ટયૂટના સંચાલક જ પૈસા લઈ ઊડી ગયા.

‘હી નોઝ ફલાઈંગ’ સિંદબાદે કહ્યું.

Thursday, December 15, 2011

આનંદનો શોક

દેવ આનંદ સદાબહાર એક્ટર કહેવાતા. એ આ દુનિયામાંથી સદા માટે બહાર થઈ ગયા. એ જમાનામાં એમની અદા ઉપર કોલેજિયન યુવતીઓ મરતી હતી. તેમના ઉપર જે યુવતીઓ મરતી હતી, એમાંથી આજે કોઈક જ જીવતી છે. કેટલીક બાળાઓ જીવતી હશે તે તો બાળાઓ નહીં પણ વૃદ્ધાઓ હશે.

પોળના એક મિત્ર ઈન્દ્રવદન પટેલ. દેવ આનંદના જબરા ચાહક હતા. દેવ આનંદની ફિલ્મ લાગી હોય તે થિયેટર પાસેથી એના બોર્ડ નીચેથી પસાર થાય તો શર્ટનો કોલર ઊંચો કરી દેવાનો એમનો શિરસ્તો હતો. બીજા એક મિત્ર અનુ માળી દેવ આનંદના આગામી પિક્ચરની ટિકિટ મેળવવાનું પ્લાનિંગ પરીક્ષાના પ્લાનિંગ કરતાં પણ વધુ ભક્તિભાવથી કરતો. અમારી શાળાના કેટલાક વિદ્યાર્થીઓ દેવ આનંદનું પિક્ચર પહેલા અઠવાડિયે પહેલા શોમાં જોવાનું વ્રત રાખતા અને તે માટે વટ મારતા.

અમારો એક મિત્ર જગદીશ (છાપાની ભાષામાં- નામ બદલ્યું છે) કોઈ પણ ભોગે દેવ આનંદની ફિલ્મની પહેલા દિવસથી ટિકિટ લેવા માટે મરણિયો થતો. મરતા ક્યાં ન કરતા? ટિકિટ કાળાંબજારમાં જ મળે તેમ હોય ત્યારે તે પાંડવોએ જેમ આખરે પાંચાલીને હોડમાં મૂકી હતી તેમ જગદીશ પાઠયપુસ્તકો વેચીને પણ કાળાંબજારની ટિકિટ લેતો હતો. વર્ષમાં બે-ત્રણ વાર તે પાઠયપુસ્તકોને દેવ આનંદ માટે વેચી મારતો. પિતાજીને સમજાવી લેતો કે સ્કૂલમાંથી ચોપડીઓ ચોરાઈ ગઈ. એના પિતા નવાં પુસ્તકો લઈ આપતા. આ રીતે દેવ આનંદ પાઠયપુસ્તકોની વેચાણ વૃદ્ધિ માટે જવાબદાર હતો! દેવ આનંદને અપાયેલી અનેક અંજલિઓમાં આ મુદ્દા ઉપર કોઈનું ધ્યાન ગયું નથી.

ફિલ્મનાં હીરો-હિરોઈનની અનેક જોડીઓ બની છે. નરગિસ-રાજકપૂરની જોડી જાણીતી થઈ તે પહેલાં સુરૈયા-દેવ આનંદની જોડી મશહૂર થઈ ગઈ હતી, આમ તો એ બે જણાએ સાત ફિલ્મોમાં જ સાથે કામ કરેલું પણ જોડી તરીકે જાણીતાં થઈ ગયાં. એ વખતે શાળાનાં બાળકો જોડકણા સ્વરૂપે ગાતાં હતાં. બાળકો જીયા બેકરાર હૈ ના ઢાળમાં ગાતાં, સુરૈયા બીમાર હૈ, આજા ડોક્ટર દેવ આનંદ તેરા ઈંતજાર હૈ.

જિંદગીની ઉત્તરઅવસ્થામાં દેવ આનંદે ઘણી ફલોપ ફિલ્મોનું નિર્માણ કર્યું. કેટલાક સવાલ કરતા હતા કે આના માટે દેવસાબ પૈસા ક્યાંથી લાવે છે? બચપણથી દેવ આનંદના ચાહક બનેલા અને પરદેશમાં પાઉન્ડ-ડોલર કમાતા શખ્સો દેવ આનંદને પૈસા આપે રાખતા.

લોકો યાદ રાખે છે દેવ આનંદની કલા પ્રત્યેની આસ્થા. રાજકપૂર, દિલીપકુમારના સમયે ત્રીજા એક્કા જેવી તેમની કારકિર્દી હતી. નવકેતન મારફત નિર્માણ ક્ષેત્રે એમણે આપણને ઘણું આપ્યું છે.

એક ઓછી જાણીતી વાત. નવકેતન મારફત તેમણે એક સરસ હાસ્ય ફિલ્મ ‘જોરુ કા ભાઈ’ આપી હતી. વિજય આનંદ (તેમના ભાઈ) હીરો અને અદ્ભુત સંગીત જયદેવે આપ્યું હતું. જ્હોની વોકર વગેરેની મદદથી સ્વચ્છ હાસ્ય ફિલ્મ બની હતી. (પણ રાબેતા મુજબ ફલોપ ગઈ હતી) નવકેતનની ફિલ્મોમાં હાસ્યની ઝલક રહેતી.

વાઈડ બોલ
“બોસ ન્યૂ યોર્કમાં ઘણા સરદારજી ટેક્સી ચલાવે છે...”

“એમાં શું? અમારે ત્યાં તો આખો દેશ સરદારજી ચલાવે છે.”

Sunday, November 27, 2011

ડાબા-જમણાનો ખેલ

ઋષિજનોએ કહ્યું છે કે જમણા હાથે કરેલું દાન (કે કામ) ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. અધ્યાત્મના અભ્યાસમાં આગળ વધેલા કેટલાક ડોક્ટરોએ એક બાળ દર્દીનું જમણા હાથે કરવાનું ઓપરેશન ડાબા હાથે કરી નાંખ્યું. કોઈ પણ જાતની મોટાઈ દાખવ્યા વગર! જોગાનુજોગ એ બાળદિન હતો. જવાહરલાલ નેહરુનો આ જન્મદિન હતો. એ દિવસે નેહરુજી પહેલી વાર રડયા હતા. તો નેહરુના જન્મદિને એક બાળક પણ રડયું તો બાળદિન માટેની યોગ્ય ઘટના ગણાય!!

સિંદબાદ કહે છે કે જમણાને બદલે ડાબો એ નેહરુનીતિનો ભાગ છે. એટલે એ રીતે બાળદિનની યોગ્ય ઉજવણી પેલા ડોક્ટરોએ જાણે-અજાણે કરી છે. રાજગોપાલાચાર્ય કે અર્થશાસ્ત્રી મસાણી જેવા માનતા હતા કે ભારતે જમણેરી અર્થનીતિ અપનાવવી જોઈએ એને બદલે નેહરુજીએ ડાબેરી નીતિ અપનાવી પરિણામે પેલા બાળકની જેમ ભારત પણ રડયું. ઓપરેશન જ પ્રારંભથી ખોટું થયું.

જોકે, ડાબા- જમણામાં ભૂલચૂક થઈ જાય છે. એક મિત્રે એમના બચપણના અનુભવને યાદ કરતાં કહ્યું હું નાનો હતા ત્યારે ડાબા-જમણામાં ભૂલ કરતો ત્યારે મારી મમ્મી મને હાથ ઉપર વેલણ ફટકારતી, ડાબા હાથ ઉપર વેલણ પડે એટલે હું ભૂલ સુધારી જમણા હાથથી જમવાનું શરૂ કરતો. જો ઓપરેશન કરનાર ડોક્ટરની મમ્મી પણ ઓપરેશન થિયેટરમાં વેલણ સાથે હાજર હોત તો ખોટા હાથ તરફ ડોક્ટરની કાતર જાત કે મમ્મી

વેલણ ફટકારત.
સાહિત્યના અભ્યાસી એક મિત્ર કહે છે કે કાકાસાહેબ કાલેલકર જો ઓર્થોપેડિક સર્જ્યન હોત તો તેમનાથી પણ આ ભૂલ તો થઈ હોત. કાકાસાહેબ કાયમ ડાબા-જમણામાં ભૂલ કરતા હતા. એમની સ્મરણયાત્રામાં નોંધાયેલું છે. એટલે ડોક્ટરો મહાવિદ્વાનની હરોળમાં છે તેમ સમજવું!

લગભગ પાંત્રીસ-ચાલીસ વર્ષ પહેલાં વડોદરામાં એક કંપનીના કર્મચારીને જમણા પગે ફ્રેક્ચર થયું હતું. ડોક્ટરે એના ડાબા પગે પ્લાસ્ટર પણ કરી નાંખ્યું. પછી ખબર પડી કે લોચો વાગ્યો છે. કોકે પેલા કર્મચારીને પૂછયું, ‘‘અલ્યા તને પણ ખબર ન પડી કે તારા ખોટા પગે પ્લાસ્ટર થઈ

રહ્યું છે.”
ત્યારે પેલા દર્દીએ ગંભીર થઈ જવાબ આપ્યો, “સાબ મૂઝે ક્યા માલૂમ? મેડિકલ સાયન્સને તરક્કી કી હો કે રાઇટ લેગ કા ફ્રેક્ચર કે લીયે લેફટ લેગ મેં પ્લાસ્ટર કરતે હો શાયદ!”

***
વિક્રમાદિત્યને વૈતાલ સવાલ કરે છે. જમણાને બદલે ડાબા હાથમાં સળિયો ફિટ થઈ ગયો, તે કિસ્સામાં સારવારનું બિલ ચૂકવે તો કોણ ચૂકવે?

વિક્રમાદિત્યે જરા પણ ખચકાયા વગર કહ્યું “વૈતાલ, બિલ તો બાળકનાં સગાંવહાલાંએ ભરવું જ પડે.”

“રાજા કહે, ખોટા હાથમાં ઓપરેશન કરવા છતાં?”

“ઓપરેશન ખોટા હાથમાં હતું, પણ સળિયો તો સાચો હતોને! લોખંડના ભાવ તું જાણે છે?”

“પણ રાજા ખોટા ઓપરેશન માટે...?”

“વૈતાલ, દર્દી સાચો હતો, ડોક્ટર પણ નકલી પોલીસ જેવો ન હતો એટલે હોસ્પિટલે બિલ તો લેવું પડે.”

“રાજન્ તમે ઉદારતાથી આ બધું વિચારો છો!”

“ના વૈતાલ, હું માનવ સ્વભાવથી વિચારું છું. ક્યારેક બેન્કનો કલાર્ક એકના ખાતાને બદલે બીજાના ખાતામાં પૈસા ઉપાડી લે છે. ક્યારેક પોસ્ટમેન છગનને બદલે મગનને ત્યાં કાગળ પહોંચાડે છે, ક્યારેક કવિ, છંદ બહાર કવિતા લખી નાંખે છે, કામ કામને શીખવાડે, આ ડોક્ટરો થોડા વખતમાં સાચા હાથનું ઓપરેશન કરતા શીખી જશે.”

વૈતાલને પણ જવાબની ગડ ન બેઠી.

***
ડાબુ જમણું સમજવું બહુ અઘરું છે, મેં સિંદબાદને કહ્યું હતું કે ગલીમાં ડાબા હાથે ત્રીજે ઘરે આ આપી દેજે. મેં મારા ડાબા હાથથી ત્રીજું કહ્યું હતું તે તેના ડાબા હાથથી ત્રીજું ગણી બેઠો, થાપ ખાઈ ગયો. ડાબી બાજુ એટલે શું એ સમજવા માટે ઘણા રીક્ષા ડ્રાઇવર કે કાર ડ્રાઇવર થાપ ખાઈ જાય છે.

વાઇડ બોલ
લક્ષ્મણ બેટિંગમાં જતા પહેલાં બે વાર નહાય છે

અને ત્યારબાદ ઘણું ખરું હરીફોને નવડાવે છે.

Monday, November 21, 2011

અપમાન અપમાન ઘોર અપમાન

થોડાક થોડાક દિવસના અંતરે મીડિયામાં હોબાળો મચે છે. અમુકતમુક નેતાનું અપમાન થયું. ગાંધીજીનું અપમાન થયું, બાબાસાહેબનું અપમાન થયું.
થોડાક દિવસ પહેલાં જ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામસાહેબનું અપમાન થયું, તેવો હોબાળો થયો હતો. આ અમેરિકાવાળા પણ કોણ જાણે કેટલા ભારતીયોનું અપમાન કર્યું હશે એ લોકોએ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડીઝનું અપમાન કરેલું. પગથી માથા સુધી તેમનું સ્ક્રીનિંગ કર્યું હતું. સલામતી ચકાસણી માટે આને કેટલાક લોકો અપમાન ગણે છે. કલામસાહેબનાં જૂતાં, જેકેટ બધું તપાસ્યું. આપણે આપણા નેતાઓની ચૂંટણી કોઈ તપાસણી વગર કરીએ છીએ. પણ અમેરિકાવાળા એમના દેશમાં આવતા જતા માણસોની પૂરેપૂરી ચકાસણી કરે છે. જો ખટમંડુવાળા આ પ્રમાણે કરતા હોત તો ‘કંદહારકાન્ડ’ બન્યો ન હોત. આ ચકાસણીમાં પટ્ટા, બેલ્ટ, બૂટ, જેકેટ, પર્સ બધું જ આવી જાય છે. અમેરિકાવાળા માટે આ રૂટિન છે. પ્રો. કલામ હોય કે અમદાવાદના કાન્તિલાલ હોય, આ ચકાસણીને મીડિયાને અનુકૂળ આવે ત્યારે અપમાન ગણે છે. શાહરૂખ ખાનને પણ આ બધી વિધિ કરવી પડી હતી. અમને પણ આ ચકાસણીનો અનુભવ થયો હતો. અમે કલામ લેવલના ન હોઈ ગુજરાતી લેખકનું અપમાન એવું તેવું લખાયું નહીં. અમે ચકાસણીમાં સહકાર આપેલો, ડબ્બામાં મગસના લાડુ જોઈ પૂછેલું, “આ શું?”
“સ્વીટ બોલ”
એ બોમ્બ નથી એવી ખાતરી કરી જવા દીધું. અમે તેનો આભાર માનેલો કે અમારી સલામતીની તે કેટલી ચિંતા કરે છે, કારણ કે એ અધિકારી તો જમીન ઉપર હતો. કંઈ થઈ હોત તો એને કાંઈ ન થાત, હવામાં અમે ઊડવાના હતા, ત્યાંથી જ ઊડી જાત. એટલે અમારી ચિંતા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો. (અપમાન સામે બહુમાન?) કેટલાક આવી ચકાસણીથી અકળાય છે તેને માટે જ ભગવાન જિસસે કહેલું, “પ્રભુ, એમને માફ કરજે એમને ખબર નથી કે એ શું કરી રહ્યા છે.” આ સજીવના અપમાન સાથે નિર્જીવ મૂર્તિઓ (પૂતળાં) ના અપમાનનો પ્રશ્ન ચગે છે. ગાંધીજીના પૂતળાનું અપમાન થયું કે બાબાસાહેબના પૂતળાનું અપમાન થયું. પૂતળાંપ્રિય આપણી જનતા નેતાઓનાં પૂતળાં ઠેર ઠેર મૂકે છે. જો માયાવતીજીનું ચાલશે તો દેશમાં કોઈ ખાલી જગ્યા નહી મળે, જ્યાં પૂતળું ન હોય.
દેશમાં આટલાં બધાં પૂતળાં અને એથી અનેક ગણાં કબૂતરો છે. કબૂતરો માટે પૂતળાં એ પબ્લિક ટોઇલેટ છે! ડોન્ટ પે એન્ડ યુઝવાળા. આને નેતા ભક્તો, નેતાનું અપમાન નથી કહેતા. આ પૂતળા સાથે કંઈક બને છે, ત્યારે તેમના અનુયાયીઓ, નેતાનું અપમાન કહી હોબાળો મચાવે છે. તાજેતરમાં આવો જ એક હોબાળો મચ્યો, ‘સરદારનું અપમાન’ સરદાર પટેલના પૂતળા ઉપર પગ મૂકી અન્ય પક્ષના કાર્યકર્તાઓ બેનર બાંધતા હતા. ‘સરદાર ઉપર પગ મુકાય?’ કેટલાયને આઘાત લાગ્યો. સરદાર ઉપર પગ મૂકી બેનર બાંધવા બદલ માફી માગો માફી માગોનું સમૂહગાન થયું. સરદારના અપમાનનો નારો ચલાવનાર ભૂલી ગયા કે સરદારના પૂતળા ઉપર નહીં, પણ સરદારના ખભા ઉપર પગ મૂકી નહેરુજી વડાપ્રધાન થયા હતા. દેશની બહુમતી પ્રાંતિક સમિતિઓ સરદાર પટેલ વડાપ્રધાન બને તેવી વાત કરી હતી, તે છતાં સરદારનું અપમાન ક્યાં થયેલું ગણાય? દિલ્હીમાં કે તાજેતરમાં થયેલી કરમસદની ઘટનામાં?
વાઇડ બોલ
મુખ્યમંત્રીશ્રી ચીન જઈ આવ્યા, ત્યાં શું કર્યું? ‘ખૂલ જા ચીન-ચીન’

Sunday, November 13, 2011

મેથોડિક્લ સિકને

“દેખ ભાઈ ત્રિવેદી, મેરી યે બાત યાદ રખના”
“કૌન સી?”
“કોઈ સીક લીવ પર હૈ તો ઉસકે ઘર ખબર પૂછને ન જાના.” મારા સહકર્મચારી મિત્ર બંસલે વર્ષો પહેલાં મને આ સલાહ આપી હતી. દેખીતી રીતે આ સલાહ સામાજિક નીતિશાસ્ત્રની વિરુદ્ધની હતી.
“હકીકતે તો આપણી ફરજ છે કે આપણો સહકર્મચારી બીમાર હોય તો આપણે તેની ખબર કાઢવા જવું, એને સારું લાગે.”
“સારું લાગવાને બદલે એને ખરાબ પણ લાગે!”
“કેમ કેમ? ખરાબ કેમ લાગે.”
“કારણ કે એ સિક લીવ પર છે.”
“એટલે? સિક લીવ ઉપર છે માટે તો ખબર કાઢવા જઇએ છીએ.”
“હા, એ સિક લીવ ઉપર છે. પણ સિક નથી, અને તમે ઘરે જાવ તો એ મનોમન અકળાશે.”
સિક લીવ ઉપર છે પણ સિક નથી, હું ગૂંચવાયો આ તે કેવી અવસ્થા? બીમારીની રજા ઉપર છે પણ બીમાર નથી. નાનપણમાં બાળવાર્તા વાંચેલી. એક દેશમાં ત્રણ નગર, બે ઉજ્જડ અને એકમાં વસ્તી જ નહી. આવા વિચિત્ર ઉખાણા જેવી આ વાત ગણાય. ત્યારે ઓફિસમાં હું નવો હતો. આપસી સંબંધો વિકસાવવામાં મને રસ હતો. પણ પછી મને ખ્યાલ આવ્યો કે ‘સિક લીવ’ એક સગવડ છે. માંદગી ઘણું ખરું બહાનું જ હોય છે. દિવાળીના દિવસોમાં ચડેલા કામ ઉકેલવા સિક લીવ લઈ લેતા હોય છે. સિક લીવ ઉપરનો કર્મચારી તમને હોસ્પિટલમાં ન મળે, પણ હોટલમાં મળે.
હમણાં જ એક સર્વે બહાર પડયો કે ખોટી માંદગીની રજા લેનારાઓમાં ભારતનો નંબર વિશ્વમાં બીજો છે. ત્યારે અમને આપણા દેશના ‘ઓફિસ વહીવટ કલ્ચર’નો ખ્યાલ આવ્યો.
સિક લીવ, રજા લેવાનો આસાન તરીકો છે. ખટપટ નહી. મેડિકલ ર્સિટફિકેટ આપી દો, જૂઠા હી સહી વાત પતી ગઈ. મારા એક કર્મચારી મિત્ર કહે છે તમારે કોઈ ખર્ચ કરવો હોય તો કબાટના કોઈ ખાનામાં મૂકેલા પૈસા વાપરો, બેન્કના ખાતામાંથી પૈસા વાપરો કે પાકિટમાં પડેલા પૈસા વાપરો શું ફેર પડે છે? તેમ તમે રજા વાપરો. એ કેજ્યુઅલ રજા હોય કે હક્ક રજા હોય કે માંદગીની હોય. છેવટે તો તમારા ખાતામાં જ ઉધારવામાં આવે છે. ‘નામ ઝૂઝવાં અંતે તો હેમનું હેમ’ નરસંૈયાના દિલમાં કદાચ રજાના પ્રકારોનાં વર્ગીકરણ ચાલતાં હશે. એટલે એણે એમ કહ્યું હશે. રજા મેળવવાની ભાંજગડથી બચવા મેડિકલ ર્સિટ. સહેલું પડે છે. કહેવાય છે કે કેટલાંક ડોક્ટરોએ પ્રેક્ટિસમાં ફક્ત આવાં ઉપજાવેલાં ર્સિટફિકેટ લખવાનું જ કામ કર્યું છે. કેટલાક ડોક્ટરોને આવાં માંદગીનાં ર્સિટફિકેટ લખવાનો મહાવરો થઈ ગયો હોય છે. કેટલાક ડોક્ટરો સ્ત્રી-બાળકોના ખાસ ડોક્ટર એમ લખતા હોય છે, તેમ આવાં ર્સિટફિકેટ લખનાર ડોક્ટરો, ‘માંદગીનાં ર્સિટફિકેટ લખી આપવાના અનુભવી’ તેમ લખી શકે. જોકે
લખતા નથી.
મારા મિત્ર હરીશચંદ્ર ખોટા ર્સિટફિકેટથી માંદગીની રજા લઈ ઘરે રહેલા, પછી ઘરના કામે માણેકચોક ગયેલા. સાહેબ એમને જોઈ ગયેલા. થયું સત્યવાદી હરીશચંદ્ર ખોટા ર્સિટફિકેટથી રજા ભોગવી રહ્યા છે. સાહેબે મને ફોન કર્યો. “તમારા મિત્ર હરીશચંદ્ર માંદગીની રજા ઉપર છે પણ એ તો માણેકચોકમાં આંટા મારે છે.” મેં કહ્યું, “સર, ઘણા લોકો ઊંઘમાં ચાલતા હોય છે ને?”
“હા”
“તેમ હરીશચંદ્ર માંદગીમાં ચાલે છે એમ સમજવું”, ‘હેમલેટ’માં શેક્સપિયરે લખેલું કે, હેમલેટના ગાંડપણમાં પણ પદ્ધતિસરનું ગાંડપણ દેખાતું હતું. ‘મેથોડિકલ મેડનેસ’ તેમ માંદગીની રજાઓમાં મેથોડિકલ સિકનેસ હોય છે. એ ભૂલવું ન જોઈએ કે માંદગીની રજાઓની પ્રથાને કારણે ઘણા ડોક્ટરોનાં કુટુંબ સાજાંતાજાં રહે છે. માંદગીની રજાઓમાં વિશ્વમાં ભારત બીજો નંબર ધરાવે છે એવું જાણવાથી દુઃખી થવાની જરૂર નથી પહેલો નંબર ન આવવાનું દુઃખ થાય તે સમજી શકાય.
વાઇડ બોલ
પાકિસ્તાને ભારતને મોસ્ટ ફેવર્ડ નેશન ફોર ટ્રેડ (MFNT) દરજ્જો આપવાનું વિચાર્યું પણ માંડી વાળ્યું. MFN દરજ્જો પાકે આપણને આપેલ જ છે ‘મોસ્ટ ફેવર્ડ નેશન ફોર ટેરરિસ્ટ એક્ટિવિટી’

ફ્રેનિમી-યાને દોસ્ત વત્તા દુશ્મન

આપણે નાના હતા ત્યારે શેરીમાં બરફનો ગોળો ખાતા એમાં શરબતનો છંટકાવ થતો, ખટ્ટામીઠ્ઠાનો બાળપણનો અનુભવ થોડુંક શરબત ગળ્યું હોય થોડુંક ખાટું હોય.
બરફના ગોળા મારફત આપણે જાણ્યું જિંદગીમાં ગળપણ પણ છે ખટાશ પણ છે. એ મતલબની ફિલ્મ ‘ખટ્ટામીઠા’ આવી હતી. તો ‘કભી ખુશી કભી ગમ’ જેવી ફિલ્મ પણ ટૂ-ઇન-વન ના સંદેશા સાથે આવી હતી. અમેરિકન સમાજમાં એક શબ્દ પ્રચલિત છે - ‘ફ્રેનિમી’ આ પણ ટૂ-ઇન-વન વાળી વાત છે. ફ્રેનિમી એટલે ફ્રેન્ડ અને એનિમી બંને. મિત્ર પણ ખરો અને શત્રુ પણ ખરો. બંને શત્રુમિત્ર એક જ માણસમાં ત્વમેવ શત્રુ, મિત્ર ચ ત્વમેવ એવું એને માટે કહી શકાય. અમેરિકન લોકોએ તેને માટે શબ્દ બનાવ્યો છે - ‘ફ્રેનિમી’. આપણે જેને મિત્ર માન્યા હોય તે શત્રુનું કામ પણ કરતો હોય તે ફ્રેનિમી છે. ‘દુશ્મન ન કરે દોસ્ત ને યે કામ કિયા હૈ...’ એવું ગીત જેને માટે તમે ગાઈ શકો તે ફ્રેનિમી છે. એવો માણસ ક્યારેક આપણને મળી જતો હોય છે જે દોસ્ત છે પણ તેમાં એક દુશ્મન છૂપાયેલો હોય છે. લગભગ બત્રીસ-પાંત્રીસ વરસ પહેલાં હાસ્ય સાહિત્યનો પહેલો એવોર્ડ ‘જ્યોતિન્દ્ર દવે’ મળ્યો ત્યારે ઘણાને લાગ્યું હતું કે હું ખૂબ જ નમ્ર છું. આથી જાહેરાત નથી કરતો પણ વાત જરા અલગ હતી. મને એવોર્ડ મળ્યાના ખબર મળ્યા કે હરખમાં ઉછળી પડી મેં છગનને વાત કરી. છગનને હું મારો મિત્ર માનતો હતો. છગનને ખુશ થતાં કહ્યું, “યાર, મને જ્યોતિન્દ્ર દવે એવોર્ડ મળ્યો છે.”
ત્યારે એણે ઠાવકાઇથી કહ્યું, કશો પણ ઉત્સાહ દર્શાવ્યા વગર કહ્યું, “હોય, ખુદા મહેરબાન તો ગધા પહેલવાન!” ત્યારે મને છગનમાં ‘ફ્રેનિમી’નાં ચોખ્ખાં દર્શન થઈ ગયાં હતાં. આના આઘાતમાં પછી મને મળેલ એવોર્ડની વાત હું કોઈને કરી શક્યો ન હતો.
મહારાજા શિવાજીએ ‘ફ્રેનિમી’નું શાસકીય દૃષ્ટાંત પૂરું પાડયું હતું. અફઝલ ખાનને મૈત્રીપૂર્ણ વ્યવહાર બતાવવા શિવાજી ભેટયા અને અફઝલ ખાનને વાઘ નખથી ચીરી નાંખ્યો. તમને પ્રેમથી ભેટતો માણસ તમારો હત્યારો હોઈ શકે. શાયર ચીનુ મોદીએ એ અંગે ‘ફ્રેનિમી’ માટે શેર લખ્યો છેઃ
પથ્થરો પોલા હશે કોને ખબર?
મિત્ર પણ બોદા હશે કોને ખબર?
ચીનુભાઇએ બોદા મિત્રના સ્વરૂપમાં ફ્રેનિમીની વાત કરી છે. ફ્રેનિમી હોય તેને મિત્રોની જરૂર પડતી નથી.
રોમન ઇતિહાસમાં ‘ફ્રેનિમી’નો ભોગ બનનાર ‘જુલિયસ સીઝર’ હતો. સીઝર, બ્રૂટસને મિત્ર માનતો હતો પણ એ ફ્રેન્ડ ન હતો પણ ફ્રેન્ડના લિબાસમાં ‘એનિમી’ હતો, એ જ્યારે બ્રૂટસે ખંજર માર્યું ત્યારે તેને ખબર પડી. મરતાં મરતાં ફ્રેનિમી બ્રૂટસને જાણી ગયેલો સીઝર બોલ્યો, “યુ ટૂ બ્રૂટસ!” (અલ્યા તું પણ!) આ ફ્રેનિમીનું જાણીતું વાક્ય આપી સીઝર જગ છોડી ચાલી ગયો.
વાઇડ બોલ
માધુરી દીક્ષિત અમેરિકાને રામ રામ કરી પરત આવી ગઈ...એક
ન્યૂઝનું હેડિંગ
અમેરિકાને ભલે રામ રામ કર્યા પણ સાથે (શ્રી) રામને લઈને આવી છે!

ક્રિકેટરો કા કેરેક્ટર ઢીલા હૈ

આફોટો જુઓ, આપણા ત્રણ ક્રિક્ટરો એક જ બાઇક ઉપર સવારી કરી રહ્યા છે. માથાદીઠ ૧/૩ બાઇક ગણાય. લાખો કે કરોડો કમાતા ક્રિકેટરો કેમ આટલી કરકસર ઉપર ઊતરી આવ્યા છે?
“આ ફોટા જોવાથી તને શું યાદ આવે છે?” મેં છગનને પૂછયું.
“ગાંધીજી” એણે કહ્યું
“ગાંધીજીનાં ચિત્રોવાળી ઢગલાબંધ નોટો આ ક્રિકેટરોને મળે છે એ વાત ખરી પણ આમાં તને ગાંધીજી કઈ રીતે યાદ આવ્યા?”
“બોસ, કેટલાંક વર્ષો પહેલાં ગાંધીજી યાને પૂ.બાપુ એક વાર વિદ્યાપીઠથી આશ્રમ ડબલસવારીમાં ગયા હતા. આજે ક્રિકેટ કપ્તાન ધોની બાઇક ઉપર ટ્રિપલ સવારીમાં જણાય છે, એટલે એ યાદ આવી ગયું.
પૂ.બાપુ સવિનય કાનૂનભંગમાં માનતા હતા. ધોની પણ આ કિસ્સામાં સવિનય કાનૂનભંગ કરી રહ્યો છે. તેમ જણાય છે એટલે એ પણ બાપુ ચીંધ્યા માર્ગે જઈ રહ્યો છે તેમ કહી શકાય!
એક શિસ્તના આગ્રહી મિત્રે આ ફોટો જોયા પછી કહ્યું “ધોની અને તેના સાથીઓની મેચ ફીના અમુક ટકા આવા કૃત્ય માટે પેનલ્ટીરૂપે કાપી લેવા જોઈએ. જેમ અમ્પાયર પાસેથી ટોપી ખેંચનાર ખેલાડીને પણ ગેરવર્તણૂક ગણી
દંડ કરેલો.”
ધોનીની તરફદારી કરનાર મિત્ર કહે છે કે “આ તો મેચ સિવાયના ગાળામાં થયેલું કૃત્ય છે. તેનો દંડ ન થઈ શકે.”
“ર્સિવસ કન્ડક્ટ રુલ્સ પ્રમાણે તો કર્મચારી ચોવીસે કલાક પોતાની વર્તણૂક અમુક મર્યાદામાં રાખવા બંધાયેલ છે. તે રવિવારે પણ ફાવે તેમ વર્તી ન શકે. જો કર્મચારી પોતાની ‘કન્ડક્ટ’ માટે ગમે તે સ્થળે ગમે તે સમયે જવાબદાર ગણાય તો ક્રિકેટર કેમ નહીં?”
એક મિત્રને મેં પૂછયું,”તમને આ ફોટો જોઈને શું લાગે છે?”મિત્રે કહ્યું,”એક બાઇક ઉપર ત્રણ જણા બેસી ગયા છે. પણ બેસનાર ત્રણે મોટાં માથાં ગણાય. સમરથ કો નહીં દોષ ગોંસાઇ એ ઉક્તિ યાદ આવે છે. ત્રણ સવારી છે અને કોઇ હેલ્મેટ પહેરી નથી.”
આપણા શહેરમાં કોઈ સામાન્ય ઘરના છોકરા આમ ગયા હોય તો પેનલ્ટી થઈ જાય. કદાચ એક બે ડંડો ખાવાનો મોકો પણ મળી જાય. પણ આ સમર્થના દોષ જોવાતા નથી.
હેલ્મેટની વાત થઈ એટલે એક એસએમએસ યાદ આવ્યો. હેલ્મેટ પહેરવાની સરસ રીતે તરફેણ કરતાં તેમાં કહેવાયું છે કે ભગવાન ગણેશ હાથમાં હેલ્મેટ લઈને ઊભા છે અને સલાહ આપે છે, ‘હેલ્મેટ જરૂર પહેરો, દરેકને નવું મસ્તક રિ-પ્લાન્ટ કરવાની સગવડ મળતી નથી. (મારી જેમ!)’
કેટલાક મિત્રો માને છે કે આ ફોટો યુવકોમાં ખોટો ‘મેસેજ’ લઈ જશે. ‘બાઇક ઉપર ત્રણ જણા ફરો અને હેલ્મેટની ઐસી તૈસી કરો.’
‘એક ફૂલ દો માલી’ એવી એક ફિલ્મ આવી હતી. એક મિત્રને આ ફોટો જોઈ તે યાદ આવી ગઈ એક બાઇક ત્રણ ગામી. (ગમન કરનારા)
એક ક્રિકેટર મિત્રે કહ્યું, “આજકાલ ક્રિકેટરોની વર્તણૂક વિશે ઘણી ફરિયાદો આવતી હોય છે. આ પ્રકારનો ફોટો જોયા પછી લાગે છે કે ક્રિકેટરો કા કેરેક્ટર ઢીલા હૈં!”
ઘણી વાર જાહેરખબર વખતે ટીવી ઉપર દર્શાવે છે કે જાહેરાતમાં આવતો ‘સ્ટંટ’ તમારે જાતે કરવો નહીં. તેમ આ ફોટા નીચે લખવું જોઈતું હતું કે આવા ખેલ તમારે કરવા નહીં. નહીંતર ટ્રાફિકવાળા તમને છોડશે નહીં.
ક્રાઇમ સ્ટોરીના ચાહક એક મિત્રે કહ્યું, આ ફોટો જોતાં બાઇક પર ગેંગ રેપની ઘટના જેવું લાગે છે.
વાઇડ બોલ
લિફ્ટમાં ધંધાની વાત ન કરવી, તમે જાણતા નથી હોતા કે તેને કોણ કોણ સાંભળી રહ્યું હોય છે.

Saturday, October 15, 2011

બેફામ મહિલા ડ્રાઇવર્સ

છગન કહેતો હતો, “યાર, મારું બૈરું બેફામ ડ્રાઇવિંગ કરે છે.”
તાજેતરમાં એક સર્વે થયો છે. છગનની ભાષામાં કહીએ તો આ સર્વેનું તારણ છે કે બૈરાં બેફામ ડ્રાઇવર છે.
અમને હતું કે કોઈ મહિલા સંસ્થા સર્વે કરનાર સંસ્થાની ધૂળ કાઢી નાખશે પણ તેમ થયું નથી.
એક મિત્ર કહેતા હતા કે મહિલા ડ્રાઇવર, ઓટોરીક્ષા ડ્રાઇવરો જેવાં છે. અમદાવાદના ઓટોરીક્ષા ડ્રાઇવરો એમના ડ્રાઇવિંગ માટે કુખ્યાત છે. બેફામ ડ્રાઇવર એ રીક્ષા ડ્રાઇવરનો સમાનાર્થી શબ્દ ગણાયો છે. આવા સમયમાં રીક્ષા ડ્રાઇવરનું બેફામ ડ્રાઇવિંગનું પદ ખતરામાં આવી ગયું છે. મહિલા ડ્રાઇવરને કાર ચલાવે કે સ્કૂટર ચલાવે, બે પૈડાંનું વાહન હોય કે ચાર પૈડાંનું વાહન હોય, ડ્રાઇવર તરીકે તે ખતરનાક હોય છે.
એક મહિલાએ મહિલા ડ્રાઇવિંગ ઉપરના આ આક્ષેપનો બચાવ કરતા કહ્યું કે ડ્રાઇવર શબ્દમાં ‘વર’ આવે છે એટલે મહિલા જ્યારે ડ્રાઇવર બને છે ત્યારે તેનામાં ‘વર’ની આક્રમતા આવી જાય છે.
મહિલાઓ આક્રમક ડ્રાઇવર બને તે વાતમાં મતલબ જરૂર છે. આપણા પ્રિય ભારતમાં એક સર્વકાલીન મહાન નારી થઈ ગયાં ઇન્દિરા ગાંધી. એમનું ડ્રાઇવિંગ કેવું આક્રમક હતું? ઇંદિરાજીના રફ ડ્રાઇવિંગનો અનુભવ મોરારજીભાઇને થઈ ગયો હતો. ઇન્દિરાજી મારફાડ રીતે તેમની ગાડી ચલાવતાં ચલાવતાં હાઇ-વે ઉપર જતાં હતાં. આગળ શાંતિથી ટ્રાફિક નિયમની ચોપડીઓનું અધ્યયન કરીને ગાડી ચલાવતા મોરારજીભાઈ જતા હતા. ઇન્દિરાજીએ ધડ દઈને મોરારજીભાઈની ગાડીને પાછળથી ટક્કર મારી. મોરારજીભાઈની ગાડી ગુલાંટિયું ખાઈને બાજુના ખાડામાં પડી, મેઇન રોડ ઉપરથી મોરારજીભાઈની ગાડી એ રીતે ઊતરી ગઈ હતી. હમણાંની વાત કરીએ તો ‘જૂતાં ક્વીન’ જયલલિતાજી વીર વિક્રમની વાત કરતા વાર્તાકારો, બાણું લાખ માળવાના ધણી વીર વિક્રમ એમ કહેતા. આ જયલલિતાની વાત કરતા સાતસો જોડી જૂતાંનાં માલિકણ જયલલિતાજી એમ કહે છે. એમનું ડ્રાઇવિંગ પણ ઘણું રફ. તામિલનાડુમાં કરુણાનિધિની ગાડીને એમણે જબરી ટક્કર મારી છે.
ઉત્તરપ્રદેશનાં માયાવતીજીને એમના ડ્રાઇવિંગ માટે યાદ કરવાં જ પડે. વિક્રમાદિત્યના સિંહાસનના બત્રીસ પૂતળીઓ હતી. માયાવતીજીએ તેમના સિંહાસનના ટેકા માટે સેંકડો પૂતળાં ઊભાં કર્યાં છે. એમના ખુદનાં અને કાંશીરામજીનાં અનેક પૂતળાંઓ તેમણે ઊભાં કર્યાં છે. આ પૂતળાંક્વીનનું ડ્રાઇવિંગ બિલકુલ બેફામ છે. મુલાયમસિંહજીને એનો સૌથી કડવો અનુભવ છે. મુલાયમની ગાડીને કઠોર ટક્કર માયાવતીજીએ મારી છે. એ અકસ્માતથી મુલાયમસિંહનાં હાડકાં ફ્રેક્ચર થઈ ગયાં છે. એ ભાંગેલાં હાડકાંથી ખુરથી ઉપર બેસી શકે તેમ નથી. આ પ્રતાપ છે માયાવતીજીના બેફામ ડ્રાઇવિંગનો. કેટલાક લોકો બેફામ ગાડી ચલાવે. અકસ્માત થઈ જાય ત્યારે કોઈ બીજા લાઇસન્સવાળાને આગળ ધરી દે. આ કુનેહ માનનીય સોનિયાજીમાં છે. એમના વડે થયેલા બેફામ ડ્રાઇવિંગના અકસ્માતો, જેમના નામે ગાડી છે અને લાઇસન્સ છે તે મનમોહનસિંહને આગળ કરી દે છે.
આપણે ત્યાં આક્રમક મહિલા ડ્રાઇવરના ઘણાં કિસ્સા છે. મમતા બેનરજી ઉર્ફે દીદી યાદ આવે. એમના રફ ડ્રાઇવિંગનો અનુભવ ટાટા અને સીપીએમવાળાને થઈ ગયેલો જ છે. ભાજપ પાસે પણ સુષમાજી રફ ડ્રાઇવરના રૂપે ઉભરી રહ્યાં છે. ઉમા ભારતીના રફ ડ્રાઇવિંગનો અનુભવ અડવાણીજીને થઈ ચૂકેલો છે.
મહિલાઓ રફ ડ્રાઇવર હોય છે તે સર્વે સાચો જ છે.
વાઇડ બોલ
તમારી પત્નીના ખાસ મિત્ર બનીને રહો.- એક અમેરિકન કોલમિસ્ટની સલાહ
Oct 15,2011

Sunday, September 25, 2011

મેરી જૂતી સે

માયાવતીજીએ પગનાં જૂતાંનું સન્માન કર્યું છે. ધન્યવાદ માયાવતીજી, પગનાં જૂતાંને આપે આપેલું સન્માન આપના દિલની વિશાળતા બતાવે છે. પગની જૂતીનું સન્માન રામાયણકાળની પ્રણાલિકા રહી છે. શ્રીરામના નારા લગાવનાર ભાજપને માયાવતીજીની ટીકા કરવાનું શોભતું નથી!!
હિંદીનો જાણીતો રૂઢિપ્રયોગ છે ‘મેરી જૂતી સે...’ અંગ્રેજીમાં ‘હુ કેરસ’ (મને કંઈ પડી નથી)ના મતલબમાં વપરાય છે. ગુજરાતમાં આને માટે ‘ખાસડે મારી....’ જેવો પ્રયોગ છે.
આ બધામાં જૂતાંની તૌહીન સંભળાય છે. ત્યારે નીચલા વર્ગને ઊંચે લાવવાની જેમને લગની છે તે માયાવતીજીએ જૂતાંને ઊંચો દરજ્જો આપ્યો છે એ જાણી તમામ સામાન્ય લોકોને આનંદ થશે. જૂતાંચોરોને પણ પોતે એક ઉમદા ધંધામાં પડયા છે તેનો આનંદ થશે.
ગાંધીજી ઇચ્છતા હતા કે છેલ્લા માણસ સુધી પહોંચવું જોઇએ. માયાવતીજીએ જૂતાં સુધી પહોંચવાની તેમની તમન્ના પ્રગટ કરી છે.
આપ સૌને ખબર જ હશે કે સુશ્રી માયાવતીએ મુંબઈથી તેમના જૂતાં લાવવા માટે ખાસ જેટ વિમાન મોકલેલું. માયાવતીએ એક જોડી જૂતાંને મુંબઈથી લાવવા માટે લાખ્ખો રૂપિયા ખર્ચી કાઢયા તેની કેટલાક લોકો ટીકા કરી રહ્યા છે. પણ ઢાલની બીજી બાજુ એ લોકો જોતાં નથી. પગની જૂતીને માથાના મુગટ જેટલું મહત્ત્વ આપ્યું છે!
પહેલાંના વખતમાં માથા ઉપરના છત્રનું સન્માન થતું. માયાવતીજીએ પગનાં જૂતાંનું સન્માન કર્યું છે. ધન્યવાદ માયાવતીજી, પગનાં જૂતાંને આપે આપેલું સન્માન આપના દિલની વિશાળતા બતાવે છે. નીચે રહેલા વર્ગ પ્રત્યે તમારી સહાનભૂતિ છે તે પ્રગટ કરે છે. ભાજપના નેતા ભલે કહેતા હોય કે આ દસ લાખ રૂપિયાનો ધુમાડો છે. આ તેમની દૃષ્ટિનો અભાવ બતાવે છે. પ્રાચીનકાળમાં રઘુકુળના ભરતજીએ પગની જૂતીનું એટલે કે રામજીની ચાખડીઓનું સન્માન કર્યું હતું. તમારો કિસ્સો ભાઈ ભરત કરતાં પણ જરા ઓછો નથી. પગની જૂતીનું સન્માન રામાયણકાળની પ્રણાલિકા રહી છે. શ્રીરામના નારા લગાવનાર ભાજપને માયાવતીજીની ટીકા કરવાનું શોભતું નથી.
હાલમાં જૂતાં અને નેતાઓનો સંબંધ વધુ પ્રકાશમાં આવ્યો છે. પ્રેસિડેન્ટ બુશ ઉપર ઇરાકમાં જૂતાં ફેંકાયાં ત્યારે ખબર પડી જૂતાંની કિંમત. માયાવતીનાં જૂતાં માટે દસ લાખ ખર્ચાયા જ્યારે બુશ ઉપર ફેંકાયેલાં જૂતાંએ ફેંકનારને કરોડો રૂપિયા રળી આપેલા. જોડાંની કિંમત કરોડો સાબિત થઈ છે ત્યારે માયાવતીજીના દસ લાખ રૂપરડીના ખર્ચ માટે કકળાટ કરનારે સમજવું જોઈએ કે તેઓ ક્ષુલ્લક બાબતે કકળાટ કરી રહ્યા છે.
અમદાવાદની ગરદીવાળી બસમાં અથડાતા, ગામડે જતા એસટીમાં લટકતાં લટકતાં જતાં છગનલાલ જ્યારે માયાવતીજીની જૂતીને શાનદાર હવાઈ સફરની વાત જાણે છે ત્યારે ભગવાનને વિનંતી કરે છે, ‘અગલે જનમ મૂઝે (માયાવતીજીની) જૂતિયાં હી કીજીયો...’
અગાઉ છાપામાં સમાચાર હતા કે તામિલનાડુનાં મુખ્યપ્રધાન જયલલિતાને તમે ‘જૂતાં ક્વીન’ કહી શકો, એમની પાસે ૭૦૦ જોડી જૂતાં હતાં. જેમાં વિરોધીઓએ તેમની ઉપર ફેંકેલાં જોડાંની ગણતરી કરવામાં નથી આવી. હવે માયાવતીજીએ એમના એક જૂતાને હવાઇસફર કરાવી પોતાની સુપ્રીમ કક્ષા સાબિત કરી છે. જયલલિતાજીનાં ૭૦૦ જોડાં સામે એમના એક જોડાનું સન્માન વધી ગયું છે. ‘સો સુનાર કી, એક લુહાર કી’ એ કહેવત યથાર્થ કરી છે.
માયાવતીજીએ એમના સ્ટેચ્યુ બનાવવા પાછળ પણ લાખો વાપર્યા છે. ગોવિંદાની શૈલીમાં આ અંગે સિંદબાદ કહે છે
‘તેરી જૂતી ભી કોસ્ટલી,
તેરી સ્ટેચ્યુ ભી કોસ્ટલી,
તૂ હે કોસ્ટલી - કોસ્ટલી- કોસ્ટલી,
તૂ હે કોસ્ટલી સીએમ ઇન્ડિયા કી.’
વાઇડ બોલ
આતંકવાદીઓનું દિલ્હી બોમ્બ બ્લાસ્ટનું કાર્ય કાયરતાપૂર્ણ છે એમ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું છે.
સિંદબાદ કહે છે, ‘વડાપ્રધાનશ્રીનું આ નિવેદન શૂરવીરતા પૂર્ણ છે!’

Saturday, September 17, 2011

હિટ લિસ્ટમાં કે ફિટ લિસ્ટમાં?

હિટ લિસ્ટ અને ફીસ્ટ લિસ્ટ પછી ત્રીજું લિસ્ટ છે - ફિટ લિસ્ટ. તમને પક્ષના મહામંત્રી પદનો હોદ્દો મળે જો તમે હાઇકમાન્ડના ફિટ લિસ્ટમાં હો. તમારી યોગ્યતા એ બીજી વસ્તુ છે, પહેલી વસ્તુ તમે ફિટ લિસ્ટમાં છો કે નહીં? તો જ કામ થાય. તમે કાબેલ છો. તમારી લાયકાત છે. તમારે ચેરમેન તરીકે કોઈ કોર્પોરેશનમાં બેસવું છે પણ એ માટે તમે હાઇકમાન્ડના ફિટ લિસ્ટમાં હોવા જોઈએ
કોઈ આલિયા- માલિયા કે જમાલિયાને ત્યાં ઇન્કમટેક્સના દરોડા નથી પડતાં આ “સ્ટેટમેન્ટ”માં થોડોક સુધારો થઈ શકે. માલિયાને ત્યાં દરોડા પડી શકે. માલિયા મીન્સ વિજય માલ્યા. (લીકર કિંકોગ) તેઓ આલિયા કે જમાલિયાની જમાતમાં ન આવે. કહેવાનું એટલું કે કોઈ એરા ગેરાને ત્યાં દરોડા ન પડે. મોટા મોટા કોન્ટ્રાક્ટર, ઉદ્યોગપતિઓ એ બધાને ત્યાં ઇન્કમટેક્સના દરોડા પડે.
કેટલાક કિસ્સામાં કરોડપતિને ત્યાં દરોડા પાડનાર લખપતિ થઈ જતા હોય છે. અમેરિકન ગુજરાતી હાસ્યલેખક હરનિશ જાની કહેતા હતા કે કોઈ ભિખારીનું ખિસ્સું ન કપાય, ખિસ્સું કપાય તો શેઠિયાનું જ કપાય. વાત સાચી છે ભિખારીનું ખિસ્સું કાપવામાં બ્લેડ કે કાતરના ધસારાની કિંમત પણ ન મળે. સામાજિક રીતે તમારે ત્યાં ઇન્કમટેક્સનો દરોડો પડે તે ગૌરવપ્રદ બાબત ગણાય છે. છોકરીઓનાં માબાપ એના ઘરમાં તેમની દીકરી આપવા આતુર હોય છે. ઇન્ક્મટેક્સના દરોડાની જેમ ત્રાસવાદીઓનો લક્ષ્યાંક એટલે કે એમના હિટ લિસ્ટમાં કોઈ આલિયા- માલિયા નથી હોતા.
વિશ્વનાં મોટાં માથાં ત્રાસવાદીઓના હિટ લિસ્ટમાં હોય છે. બરાક ઓબામા સૌથી ટોચ ઉપર હિટ લિસ્ટમાં છે.
આપણા જુદા જુદા પક્ષના નેતાઓ પણ હિટ લિસ્ટમાં છે. મોટા નેતાઓ જ હિટ લિસ્ટમાં હોય, ફાલતુ લોકો નહીં. પણ મોટા નેતાઓ ત્રાસવાદીનું લક્ષ્ય બને છે ત્યારે કેટલાક નવાણિયા કુટાઈ જાય છે. યાદ કરો રાજીવ ગાંધી હિટ લિસ્ટમાં હતા ત્યારે હુમલામાં લગભગ બીજા પાંત્રીસ જણ માર્યા ગયા હતા. હિટ લિસ્ટની આ બાય પ્રોડક્ટ ગણાય જેને લોકો યાદ નથી કરતા.
હિટ લિસ્ટ જેવું ફીસ્ટ લિસ્ટ પણ હોય છે. એક ફિટ લિસ્ટ પણ હોય છે. ફિટ લિસ્ટની વાત પાછળથી કરીશું, ફીસ્ટ લિસ્ટની વાત કરીએ. ફીસ્ટ એટલે કે જમણનું લિસ્ટ, જમવામાં જગલો શબ્દ વપરાય તો જગલાઓનું એક લિસ્ટ કુટુંબદીઠ હોય છે. છગનના ઘરે પાર્ટી હોય તો તેમાં કોને બોલાવવા તેનું એક લિસ્ટ હોય છે તેને તમે ફીસ્ટ લિસ્ટ કહી શકો.
આપણને બધાં કંઈ પાર્ટીમાંં ન બોલાવે. તમે ફીસ્ટ લિસ્ટમાં હો તો તમને આમંત્રણ મળે. અમેરિકન હાસ્યકાર આર્ટ બુકવર્લ્ડે કહ્યું હતું કે વ્હાઈટ હાઉસની પાર્ટીના નિમંત્રણમાં મારું નામ ન હોઈ એક વાર મને નિમંત્રણ મળ્યું ત્યારે આશ્ચર્ય થયું હતું. દરેક વર્ગમાં તેમના પોતાના મોભા પ્રમાણે એક ફીસ્ટ લિસ્ટ હોય છે. તે લિસ્ટમાં તેમની હરોળના માણસોને આમંત્રણ હોય છે. કોઈ આલિયા- માલિયાને નહીં.
ત્રીજું એક લિસ્ટ છે ફિટ-લિસ્ટ, તમને પક્ષના મહામંત્રી પદનો હોદ્દો મળે જો તમે હાઇકમાન્ડના ફિટ લિસ્ટમાં હો. તમારી યોગ્યતા એ બીજી વસ્તુ છે, પહેલી વસ્તુ તમે ફિટ લિસ્ટમાં છો કે નહીં? તો જ કામ થાય.
તમે કાબેલ છો. તમારી લાયકાત છે. તમારે ચેરમેન તરીકે કોઈ કોર્પોરેશનમાં બેસવું છે પણ એ માટે તમે હાઇકમાન્ડના ફિટ લિસ્ટમાં હોવા જોઈએ. તુષાર ચૌધરીને ડોક્ટર થવા માટે પરીક્ષા આપવી પડી હતી. યુનિર્વિસટીએ ડિગ્રી આપી ત્યાર પછી જ ડોક્ટર બની શક્યા. પણ તે કેન્દ્ર સરકારમાં પ્રધાન કઈ રીતે બન્યા? કોઈ ડિગ્રી નહીં પણ અમરસિંહ ચૌધરીના પુત્ર હતા એટલે સોનિયાબહેનના ફિટ લિસ્ટમાં આવી ગયા. હિટ લિસ્ટ કોઈને ઉડાડવા માટેનું સાધન છે. જ્યારે ફિટ લિસ્ટ કોઈનું સ્થાપન કરવાનું માધ્યમ છે.
કોઈ સંસ્થામાં હોદ્દો જોઈતો હોય, કોઈ એવોર્ડ મેળવવો હોય તો યોગ્યતા કરતાં તમે ફિટ લિસ્ટમાં હોવ તે વધુ જરૂરી છે. હિટ લિસ્ટમાં હો તો દુનિયામાંથી ઊઠી જશો, ફિટ લિસ્ટમાં હશો તો કોઈ ખુરશીમાં બેસી જશો. તમે પણ ફિટ-લિસ્ટમાં આવી જાવ એવી અમારી શુભેચ્છા.
વાઇડ બોલઃ અમેરિકામાં એક જણનાં લગ્ન ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે થયાં. (૪થી જુલાઈ)
“એ દિવસે તેણે ઇન્ડિપેન્ડન્સ ગુમાવ્યું!”

Saturday, September 10, 2011

રે ઘૂવડો સુખથી ભણજો..

તમને કવિ કલાપી યાદ આવી જશે. તેમણે લખ્યું હતું કે, ‘રે પંખીડાં સુખથી ચણજો...’
વિદ્યાર્થીઓ પણ પંખી જ છે.
અને ઘૂવડ પણ પંખી છે એટલે વિદ્યાર્થીઓને ઘૂવડની ઉપમા આપી કહેવામાં આવ્યું છે કે, ‘રે ઘૂવડો સુખથી ભણજો...’ કોઈએ વિદ્યાર્થીઓને ઘૂવડ કહેવા બદલ ખરાબ ન લગાડવું.
અમેરિકાની એક શાળાએ નવા સત્રમાં વિદ્યાર્થીઓને આવકાર આપતા ઘૂવડ કહ્યા છે.
આપણે ત્યાં શિક્ષકોનાં નામ પાડવાની પ્રથા છે. વિદ્યાર્થીઓ શિક્ષકને ખાસ નામથી બોલાવે. ભૂગોળના એક શિક્ષકને વિદ્યાર્થીઓ ચકલી કહેતા. એ યાદ આવે છે. અમેરિકાની શાળાઓમાં શિક્ષકોનાં ઉપનામ વિદ્યાર્થીઓએ પણ પાડયાં હશે પણ એક શાળાએ નવા વિદ્યાર્થીઓને આવકારપત્રમાં ઘૂવડતૂલ્ય ગણાવ્યા છે.
અમેરિકાની આ પ્રાથમિક શાળામાં યુનિફોર્મની પ્રથા નથી. અમુક જ કપડાં પહેરવાં તેવું નથી. (કપડાં પહેરવાં પડે) અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય! કપડાં પહેરવાનું સ્વાતંત્ર્ય!
આપણે ત્યાં શાળામાં યુનિફોર્મ ફરજિયાત છે. ઘણી ખરી શાળાઓ વિદ્યાર્થીઓના જન્મદિને યુનિફોર્મમાંથી મુક્તિ આપે છે. (બર્થડે શૂટ નહીં પણ રંગીન કપડાં પહેરવાની છૂટ) કેટલીક શાળાઓ યુનિફોર્મ તો ફરજિયાત ખરો પણ કઈ દુકાનમાંથી ખરીદવો તે પણ ફરજિયાત. રિટ-પ્રિય બૌદ્ધિકોએ આ માટે કેમ કોઈ રિટ નથી ફટકારી, એનું આશ્ચર્ય છે. એ શાળા કહે યુનિફોર્મ મગનલાલની દુકાનમાંથી જ ખરીદવાનો એટલે પછી ત્યાં જ ખરીદવાનો. સિંદબાદ કહેતો હતો, આ પ્રકારના યુનિફોર્મ એટલા મોંઘા હોય છે કે વાલીઓનાં કપડાં વેચાઈ જાય. ફક્ત રામાયણમાં જ નહીં પણ વાલી વધ અત્યારે પણ થાય છે. વાલી વધ યુગે યુગે એમ કહી શકાય.
મૂળ વાત ઉપર આવીએ. પેલી અમેરિકન શિક્ષિકાએ વિદ્યાર્થીઓને ઘૂવડ કહ્યા છે. તેની સમજણ કે ખુલાસો પણ આપ્યો છે. અંગ્રેજી જોડણી ઘૂવડ (ઓવલ)ની છે. ‘ર્ઉન્’ ઓ (ર્) એટલે તે આજુબાજુ ઓબ્ઝર્વેશન કરે છે. ડબ્લ્યુ (ઉ) એટલે વન્ડર, તે જે જોતો હોય છે તે માટે તેને તાજૂબી થતી હોય છે અને એલ (ન્) ‘લવ ટુ લર્ન’ તેને નવી વસ્તુ શીખવાનો આનંદ હોય છે. ‘ર્ઉન્’ આ છે ર્ઉન્નું સમીકરણ.
શિક્ષિકા કહે છે તેને ઘૂવડ જેવા વિદ્યાર્થીઓ ગમે છે જેને નિરીક્ષણ કરવાની અને શીખવાની તમન્ના છે.
શિક્ષિકા એનું સરનામું પણ પત્રમાં આપે છે. આપણે ત્યાં કેટલાક વિદ્યાર્થીઓ મહેનત કરી શિક્ષકનું સરનામું મેળવી લે છે. (માર્ક/માહિતી મેળવવા જરૂરી ગણાય છે) આ અમેરિકન ટીચર પોતાના કુટુંબની માહિતી પણ આપે છે. એણે બે કૂતરાં પાળ્યાં છે. બે બિલાડીઓ પણ પાળી છે. બે છોકરાં છે. (એક પાળેલો પતિ છે એ વાત એણે લખી નથી.)
આપણે ત્યાં શિક્ષકો કૂતરાં-બિલાડી પાળતાં નથી. સોસાયટી કે શેરીનાં કૂતરાં- બિલાડીથી ચલાવી લે છે. એનાં બે બાળકોની માહિતી પણ આપી છે અને લખે છે કે છોકરાઓને મેં ભણાવ્યાં તેને કારણે મને શિક્ષણમાં રસ પડયો છે. તેની સાથે રહી મને જગતનો પરિચય થયો છે, તમારી સાથે રહીને પણ હું એ જ કરીશ. શિક્ષકે વાલીઓને એ પણ પૂછયું છે કે તમારા બાળકનું શું ગમે છે? શું શું નથી ગમતું? શિક્ષક તરીકે મારે તમારા બાળક વિશે શું જાણવું જરૂરી છે? આ પ્રશ્નોના જવાબ અનેક રીતે આપી શકાય. તમે તમારી રીતે વિચારજો...
વાઈડ બોલ
સિગારેટ છોડવી અઘરી બાબત નથી, મેં એક હજાર વાર છોડી છે. - માર્ક ટ્વેઈન(અમેરિકન હાસ્યલેખક)

Monday, September 5, 2011

ફિલ્મ પાછળની બબાલ

કેટલાક વખત પહેલાં ‘થ્રી ઇડિયટ્સ’ નામની ફિલ્મ આવી હતી. ફિલ્મના ત્રણ નાયક કલાકારો ઇડિયટ્સ છે. જેણે કરોડો રૂપિયા નિર્માતાને કમાવી આપ્યા છે. ફિલ્મથી નાખુશ કેટલાક લોકો માને છે કે પ્રેક્ષકોને ઇડિયટ બનાવી હિરાણી કંપનીએ કરોડો રૂપિયા બનાવ્યા છે.

દેશ માટે અનાજ પકવતા ખેડૂતો અને ભાવિ ભારતના ઘડવૈયા વિદ્યાર્થીઓ અવારનવાર આપઘાત કરતાં હોય છે એ સિસ્ટમની કરુણતા છે. એમાંથી શિક્ષણની કરુણતાની વાત ફિલ્મવાળાઓએ કરી. ત્રણ મિત્રો, વિદ્યાર્થીઓએ ફરી મળવાનો વાયદો પાંચ સપ્ટેમ્બરે તો કરે છે. ત્રણ વિદ્યાર્થીઓ મળવાની તારીખ નક્કી કરે છે તે આપણો શિક્ષણદિન ગણાય છે.

શિક્ષણ જગતમાં કોઈ પ્રોફેસર કોઈ વિદ્યાર્થીના પ્રેમમાં પડે એવા કિસ્સા બને છે. આમાં અવળીગંગા થાય છે. એક પ્રોફેસરની પુત્રી ઇડિયટ વિદ્યાર્થીના પ્રેમમાં પડે છે.

આપણાં પુરાણમાં પણ આવી એક કથા છે. આચાર્યની પુત્રી, એ સમયની ભાષામાં ગુરુની પુત્રી, ગુરુના શિષ્યના પ્રેમમાં પડે છે. કચ-દેવયાનીના નામે આ કિસ્સો જગમશહૂર છે. આચાર્ય શુક્રાચાર્યનાં પુત્રી દેવયાની પિતા શુક્રાચાર્યના શિષ્ય કચના પ્રેમમાં પડે છે પણ રણછોડલાલ ચાંચડ એટલે કે આમિર ખાનની કરામતોનો લાભ દેવયાનીને મળ્યો ન હતો એટલે તે કચને પામી શકી ન હતી. અમેરિકન ભારતીય લેખક ચેતન ભગતનો દાવો હતો કે એમની એક વાર્તાને આધારે આ ઇડિયટોએ ‘થ્રી ઇડિયટ’ બનાવી છે. મને ક્રેડિટ પણ આપી નથી.

ફિલ્મોમાં તો આવું ચાલતું જ હોય છે. (ધીરે ધીરે હું મારી વાત ઉપર આવીશ) ફિલ્મ ‘મોગલે આઝમ’ રજૂ થઈ ત્યારે નડિયાદના રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે દાવો કર્યો હતો કે ફિલ્મનું મશહૂર ગીત ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...’ એમનું રચેલું ગીત છે. કે.આસિફે એમની સાથે કરેલી આ છેતરપિંડી છે.

‘થ્રી ઇડિયટ’ના લેખક અભિજાત જોષીએ ચેતન ભગતના આક્ષેપ અંગે કહ્યું કે કુલ ૧૭૦ પાનાંની ફિલ્મની વાર્તા છે. તેમાંથી ૧૬૦ પાનાં સાથે ચેતન ભગતની વાર્તા સાથે કોઈ સ્નાનસૂતકનો સંબંધ પણ નથી.એટલે કે ફિલ્મની વાર્તાને ત્રાણું (૯૩%) ટકામાં ચેતનની વાર્તાનો કોઈ પડછાયો નથી. તેમ છતાં અમે ચેતન ભગતને ‘થ્રી ઇડિયટ્સ’ માટે ક્રેડિટ તેમજ ‘કેશ’ બંને આપ્યા છે.

છગને ફિલ્મના એક દૃશ્યની વાત કરી. “બોસ, ‘થ્રી ઇડિયટ્સ’માં છેલ્લે થોડી ભાગમ્ભાગ પછી કરીના કપૂર અને આમિર ખાન મળે છે. ત્યારે આમિર ખાન- કરીના એકબીજાને દીર્ઘ ચુંબન કરે છે આમ કેમ?”

“કેમ?”

“બોસ, કરીના કપૂર આમ તો સૈફ અલીની મંગેતર છે. આપણી ફિલ્મોમાં આવાં દૃશ્યો ખાસ આવતાં નથી તો સૈફ અલીએ વાંધો નહીં લીધો હોય?”

સિંદબાદને ભીતરની વાત ખબર હતી એ કહે... “સૈફ અલીએ વાંધો લીધો નહોતો પણ શરત કરી હતી કે આ ચુંબન દૃશ્યમાં આમિર ખાનના ડુપ્લિકેટનો ઉપયોગ કરવો અને તે ડુપ્લિકેટ તરીકે મારો ઉપયોગ કરવો, એટલે જે ચુંબન દૃશ્ય છે તેમાં આમિર ખાન નહીં પણ સૈફ અલી જ છે. ‘થ્રી ઇડિયટ’ની વાર્તામાં માંડ સાત- આઠ ટકા પોતાની વાર્તાનો ઉપયોગ થયો હતો તેમાં ચેતને હંગામો કર્યો હતો.

આ લેખકની એક વાર્તા ‘જહાંગીરનો ઘંટ’માંથી એક આઈડિયાનો કેતન મહેતાએ ‘ભવની ભવાઈ’માં ઉપયોગ કર્યો હતો. અમારી એ વાર્તા લગભગ ત્રીસ વર્ષ પૂર્વે મુંબઈ દૂરદર્શન ઉપરથી નાટય રૂપાંતર રૂપે રજૂ થઈ હતી. જેમાં કાંતિ મડિયાએ અભિનય અને દિગ્દર્શન કર્યું હતું.

જહાંગીર ભેળસેળ રોકવા ઘંટ બંધાવે છે ત્યારે ફરિયાદ કરવા આવેલ ફરિયાદી ઉપર જ ભેળસેળને કારણે ઘંટ તૂટી પડે છે અને તે રામશરણ થઈ જાય છે. કેતન મહેતાએ આ ઘટના ‘ભવની ભવાઈ’માં રજૂ કરી છે. અમને ખબર નહીં નહીંતર અમે પણ ચેતન ભગતની જેમ હોબાળો કરત. અમારી પણ ચર્ચા તો થાત જ. સિંદબાદ આ જાણી કહે છે, “બોસ તમે ફોર્થ ઇડિયટ છો.”

વાઈડ બોલ

ઇંગ્લેન્ડની વિકેટ જબરી છે. ઇંગ્લેન્ડનો દાવ હોય ત્યારે બેટ્સમેનની ફેવર કરે છે, આપણો દાવ હોય ત્યારે બોલરની ફેવર કરે છે!!

દુલ્હન વોહી જો ધરતીકંપ લાયે

તાજેતરમાં જ ન્યૂ યોર્કમાં ધરતીકંપ આવ્યો.

ધરતીકંપ એક સમાચાર લાવ્યો, જે નવતર શબ્દ પણ લાવ્યો.

‘અર્થક્વેક બ્રાઈડ’ (ધરતીકંપ દૂલ્હન) ‘રન-અવે બ્રાઈડ’ એ જાણીતો શબ્દ છે. લગ્નના છેલ્લા સમયે કન્યાનું મગજ બદલાય. અરે, આ હું શું કરી રહી છું? એમ તેને લાગે ને ચર્ચ કે મેરેજ રજિસ્ટ્રી તરફ જવાને બદલે ‘અય મેરે દિલ કહીં ઔર ચલ’ ગણગણતી બીજી તરફ ફંટાઈ જાય તેને રન-અવે બ્રાઈડ કહે છે. જરૂરી નથી કે તેનું કોઈ ‘અફેર’ હોય તેથી આમ થયું હોય, પણ લગ્ન માટે હા પાડયા પછી, માલ-સામાન, ખાણી-પીણીના ઓર્ડર અપાઈ ગયા હોય અને ‘બ્રાઈડલ ડ્રેસ’ તૈયાર હોય અને દૂલ્હનનું મન બદલાય ચર્ચને બદલે પહેરેલા પરિધાન સાથે બીજે નીકળી પડે તેને માટે યુરોપ- અમેરિકામાં વપરાતો શબ્દ છે ‘રન-અવે બ્રાઈડ’.

તાજેતરમાં આવેલ ન્યૂ યોર્કના ધરતીકંપ વખતે મીડિયાએ નવો શબ્દ ‘કોઈન’ કર્યો છે. ‘અર્થક્વેક બ્રાઈડ’ ‘ધરતીકંપ દુલ્હન’, વાત એવી બનેલી કે ધરતીકંપના સમયે એક મહિલાનાં લગ્ન લેવાયાં હતાં. સરસ મજાના સફેદ ડ્રેસમાં મહિલા બનીઠનીને મેરેજ નોંધણી કચેરી તરફ ચાલી અને ધરતીકંપ આવ્યો. લગ્ન પછી ઘણા લોકોનાં જીવનમાં ધરતીકંપ આવતો હોય છે. આ કિસ્સામાં લગ્નના સમયે જ ધરતીકંપ આવ્યો હતો.

કહેવાય છે ધરતીનો ભાર શેષનાગના માથે છે. લગ્ન કરવા જઈ રહેલી યુવતીના કાર્યમાં સંમતિ વ્યક્ત કરવા તેમણે માથું સહેજ હકારમાં હલાવ્યું હશે અને ધરતીકંપ આવી ગયો. ધરતીકંપના ગભરાટથી ભાગતી યુવતીની તસવીરો અમેરિકાનાં ઘણાં છાપાંઓમાં પ્રગટ થઈ. દુલ્હનના પોશાકમાં યુવતી હતી પણ ચહેરા ઉપર ઉમંગ ન હતો, પણ ગભરાટ હતો. ત્યાંના બ્રાઈડલ ડ્રેસમાં શોભતી યુવતી ભાગતી હતી. એક હાથમાં મોબાઇલ ફોન હતો. બીજા હાથે કીમતી બ્રાઈડલ ડ્રેસ ઊંચો કરી ભાગતી હતી. અમેરિકામાં લગ્ન વખતે યુવતીઓ ધોળો- સફેદ ડ્રેસ પહેરે છે અને ધોળા દિવસે લગ્ન કરે છે. આપણે ત્યાં લગ્નના દિવસે કોઈ યુવતી સફેદ પોશાકમાં ન હોય.

અમેરિકામાં લગ્ન દિવસે જ થાય, રાત્રે નહીં. આપણે ત્યાં લગ્ન રાત્રે પણ થાય. એ બહેને જો લગ્ન રાતે રાખ્યાં હોત તો ધરતીકંપના સમયે ડ્રેસ ઝાલીને દોડવું પડયું ન હોત. છગને ધરતીકંપમાં ભાગતી દુલ્હનનો ફોટો જોઈ કહ્યું, ધોતીયું ઝાલીને દોડયા કરે છે એના જેવું લાગે છે. હવે અમેરિકાવાળા ધરતીકંપને આ દુલ્હન સાથે સાંકળી રહ્યા છે. ઘણા લોકો કહે છે આ યુવતીને કારણે ધરતીકંપ આવ્યો અને તેને લેબલ લગાડી દીધું ‘અર્થક્વેક બ્રાઈડ’.

કેટલાંક વરસો પહેલાં ઊંઝાની એક બેંકમાં લૂંટારુંઓ ત્રાટક્યા હતા. જોગાનુજોગ એ દિવસે જ બેંકમાં નવી યુવતી કલાર્ક તરીકે જોડાઈ હતી. એનું નામ પડી ગયું ‘ડાકુરાની’ છોકરી અમદાવાદથી અપ-ડાઉન કરતી હતી. સમગ્ર અપ-ડાઉન સ્ટાફ એને ડાકુરાનીના નામે જ જાણે.

ન્યૂ યોર્કના કિસ્સામાં અજીબ વાત એ હતી કે નવવધૂના પોશાકમાં તેનો ભાગતો ફોટો અગ્રગણ્ય છાપાંઓમાં આવ્યો. ઇન્ટરનેટ ઉપર તેની ક્લિપિંગ પણ આવી. (યુ ટયૂબમાં અર્થક્વેક બ્રાઈડમાં તમે એ ક્લિપિંગ જોઈ શકશો) પણ વાત એવી હતી કે આ યુગલ છાનામાના લગ્ન કરી રહ્યું હતું અને ખૂણે ખૂણે ખબર ફેલાઈ ગઈ કે આ તો લગ્ન કરવાં જઈ રહી છે. વરરાજાનાં માતા આ લગ્નની ખિલાફ હતાં. (એટલે કે યુવતીનાં સાસુમા) એમણે પણ સૂર પુરાવ્યો આને કારણે જ ધરતીકંપ આવ્યો છે. કાગડા કાશીના હોય કે કાનપુરના રંગ તો કાળો જ હોય. સાસુઓનું પણ એવું હશે. ન્યૂ યોર્ક હોય કે ભારત, સાસુઓના ઢંગ એક સરખા હોય! બરાબરને?

વાઇડ બોલ

દર ચાર અમેરિકને એકનું મગજ બરાબર નથી હોતું. તમારા ત્રણ મિત્રો તપાસજો, જો તેઓ શાણા હોય તો તમે ચોથા રહ્યા!

(વિકટર પોસ્ટ રોએસ્ટરમાંથી)

Saturday, August 20, 2011

બાય ધ પીપલ (લોકોને ખરીદો!)

અણ્ણા હજારે, બાબા રામદેવ આંદોલન કરી રહ્યા છે. રામદેવજી શરીરના રોગ ભગાવવા માટે યોગ કરતા હતા. હવે સામાજિક રોગ ભગાવવા માટે પણ યોગ કરી રહ્યા છે ત્યારે એક ત્રીજા યોગી જેવા માણસની યાદ આવે છે, તે છે રજનીશજી યાને કે ઓશો.

તેમની વાત સમજતા પહેલાં એક ઝલક...

ઝૂંપડપટ્ટીના માણસો ખુશ હતા. ચૂંટણી આવતી ત્યારે જાણે દિવાળી આવી. ઘરે ઘરે નવાં કપડાં પહોંચતા. ઘરે ઘરે સાડીઓ પહોંચતી. ઝૂંપડાંવાળા નવાં કપડાં જોતાં, ગંદા ઉમેદવારને નહીં. પરિણામે ગંદો ઉમેદવાર ચૂંટાઈ જતો. સારા સારા ઉમેદવારની ધૂલાઈ થઈ જતી. નેતાજી કહેતા ઝૂંપડાંવાળાના મત મળશે એટલે જીતવાના છીએ. તેમણે તેમના મદદનીશને કહ્યું, “જો મનસુખ, આ લેઈકવ્યુ સોસાયટીમાં પચાસ બંગલા છે તેમાં દોઢસો મત છે. તેમાંથી પચીસ મતદારો જ મત આપવા જતા હોય છે.”

“બરાબર છે સાહેબ.”

“એ લોકો પાછળ દોડવાની જરૂર નથી. સામે ઝૂંપડપટ્ટીમાં બસ્સો મત છે. એ તમામ મત પડવાના. બસ સાડીઓ વહેંચો, પૈસા વહેંચો. એ મતો આપણામાં આવી જશે.”

“વાહ વાહ નેતાજી, ઝૂંપડાંવાળા તમને મહેલમાં બેસાડશે.”

***

પ્રોફેસર ચતુર્વેદી ખૂબ જ અભ્યાસી, સમાજના પ્રશ્નોની વાતો કરે લોકો મંત્રમુગ્ધ થઈ સાંભળે. ઉમેદવાર જેઠાલાલને ખબર કે પ્રોફેસર એમને કોઈ કાળે મત ન આપે. જેઠાલાલ ઉમેદવાર હતા, પણ દેશના વિકટ પ્રશ્નો વિશે ગતાગમ નહીં મળે.

હાઈકમાન્ડને ખબર હતી કે જ્ઞાતિના હિસાબે જેઠાલાલ જીતી જશે. હાઈકમાન્ડે કહ્યું, “આપણે જીતે તેવો ઉમેદવાર જોઈએ. હોશિયાર, બુદ્ધિશાળી, અભ્યાસી હોય તે જરૂરી નથી.” જેઠાલાલે મતપ્રચાર વખતે પ્રોફેસરને મળવા જવાની જ ના પાડી દીધી. તેણે મદદનીશને કહ્યું, “યાર યે પ્રોફેસર બોલતા બહોત હૈ, જાણે કે હું તેનો સ્ટુડન્ટ હોઉં.” સહાયકે નિઃસહાય અવાજે કહ્યું, “તમે એના સ્ટુડન્ટ નથી, પણ એ તમારો મતદાર તો છેને! વિદ્વાન પણ છે.”

“વિદ્વાન કો મારો ગોલી, વિદ્વાનને કેટલા વોટ હોય છે?”

“બંધારણ પ્રમાણે વિદ્વાનને પણ એક જ વોટ હોય છે, સર.”

“બસ, તો એ વિદ્વાન પ્રોફેસર તો અભણ ઘાટી ચંદુ અને તેની ઘરવાળી મંછા અને તેના દીકરાના મત આપણને મળશે.”

ખરેખર જ એવું બન્યું. અભણ કામવાળાના મત વધુ કામ આવ્યા, જેઠાલાલ સંસદસભ્ય થઈ ગયા. પ્રોફેસરે એ દિવસે ઉપવાસ કર્યો.

***

“સાહેબ, તમારી સામે ઊભેલા ઉમેદવાર ભગતભાઈ ખૂબ જ સંનિષ્ઠ છે. અભ્યાસી છે, તેઓ તમારા કરતાં વધુ યોગ્ય ઉમેદવાર છે, તેવું છાપાંવાળા લખે છે.”

“મહેતા, તમે મે’તા જ છો. ભગત આપણી સામે ભલે ઊભા પણ પરિણામ વખતે તો સૂઈ ગયા હશે.”

“એમ?”

“હા, એ અભ્યાસી ભગતને કોણ વોટ આપશે?”

“લોકો.”

“અલ્યા, ભણેલા વોટ આપવા જતા નથી. નહીં ભણેલા અંગૂઠાછાપ લોકો મત આપવાનું છોડતા નથી. ભગતની ભક્તિ આમાં કામમાં નહીં આવે.”

“એટલે?”

“આપણે અભણ લોકોના મતથી સંસદસભ્ય થવાનું છે, ડેમોક્રેસી બાય ધ પીપલ કહેવાય છેને?”

“હા.”

“બસ તો બાય-ધ પીપલ, લોકોને બાય કરી લો, મતલબ કે ખરીદી લોય, અભણ લોકોને ખરીદવા શું અઘરા છે મે’તા?”

***

આ બધું જોઈને રજનીશજીએ કહ્યું હતું, આ દેશમાં ડેમોક્રેસી નહીં, મેરિટોક્રસી જોઈએ. સંસદમાં મત આપનાર ગ્રેજ્યુએટ તો હોવા જ જોઈએ તેવું ઓશો માનતા હતા. જેથી પ્રોફેસરનો વોટ-કામવાળાના વોટથી ‘નલીફાઈડ’ નહીં થાય. રજનીશજીના શિષ્યોએ આ ચળવળ ઉપાડવી જોઈએ.

વાઈડ બોલ

“વિકાસ માટે હું કાંઈ પણ કરીશ.” નેતાજીએ માઈક ઉપર ગર્જના કરી.

તેમના પુત્રનું નામ વિકાસ હતું!!

Monday, August 15, 2011

કોનો બાપ બુઢ્ઢો?

કાણાને કાણો કહેવાય નહીં, તેમ બુઢ્ઢાને બુઢ્ઢો ન કહેવાય... નહિતર અકળાયેલો બુઢ્ઢો કહી દે ‘બુઢ્ઢા હોગા તેરા બાપ.’

આપણે ત્યાં કોઈને કાકા કહેવા એ પણ ઘણાને ગાળ જેવું લાગે છે. કેટલાક સમય પહેલાં બાઈક ઉપર ભાગતા યુવકને પોલીસે અટકાવ્યા, તેણે પોલીસને કહ્યું,”કાકા, લાલ લાઈટ થાય તે પહેલાં હું નીકળી ગયો છું.” કાકા શબ્દ સાંભળતાં જ પોલીસ મહાશય લાલ લાઈટ ભૂલી ગયા અને લાલ લાલ થઈ ગયા. તેણે તે યુવકને એક દંડો ફટકારી દીધો. બુઢ્ઢા હોગા તેરા બાપ

એ અંદાજમાં.

‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ અમિતાભ બચ્ચનનું પિક્ચર.

આ કોઈ મોટા બેનરની ફિલ્મ નહીં. પણ મારા બેંકર મિત્ર શ્રીવર્ધને એ જોવાનું નક્કી કર્યું હતું.

“મિત્ર, મને લાગ્યું કે પિક્ચર કદાચ સારું ન પણ હોવા છતાં આખીર તે બચ્ચનની ફિલ્મ છે.”

શ્રીવર્ધન કહે, “ટ્વિંકલ ખન્નાનો બાપ બુઢ્ઢો કહેવાય (જ) સની દેઓલનો બાપ પણ બુઢ્ઢો લાગે છે, રણધીર કપૂરનો બાપ પણ બુઢ્ઢો લાગે છે... પણ...”

“પણ-પણ શું?”

“અભિષેક બચ્ચનનો બાપ બુઢ્ઢો નથી લાગતો અને છે પણ નહીં એ ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ ફિલ્મે સાબિત કર્યું છે.”

ભોગીલાલ સિંદબાદ કહે છે, “આ ફિલ્મનું ગુજરાતીકરણ થાય અને ગુજરાતી ટાઈટલ આપવાનું થાય તો આને ‘સંઘર્યો બાપ પણ કામનો’ એવું ટાઈટલ આપી શકાય. એક બાપ પુત્રને કેટકેટલી સહાય કરી શકે છે તેની વાત છે.”

ફિલ્મનો હીરો અમિતાભ હોય તે સ્વાભાવિક છે. તેની હિરોઈન હેમામાલિની છે. ખરેખર જોવા જઈએ તો હેમામાલિની પણ હિરોઈનને બદલે ગેસ્ટ આર્ટિસ્ટ હોય એવો જ તેનો રોલ છે.

બીજી હિરોઈન રવિના ટંડન છે તેનો તો ગેસ્ટ આર્ટિસ્ટ તરીકે જ ઉલ્લેખ કર્યો છે.

બચ્ચન ગેંગસ્ટર છે. (કે હતો) તેની પત્ની તેની માફિયાગીરીથી કંટાળી તેને છોડી દે છે અને પુત્રને પોલીસ ઓફિસર બનાવે છે. સામાન્યતઃ માફિયા અને પોલીસને સંબંધ તો હોય જ છે. આ ફિલ્મમાં માફિયા અને પોલીસ ઓફિસરને પિતા-પુત્રનો સંબંધ છે. બાપ ગેંગસ્ટર છે. પુત્ર ઉચ્ચ પોલીસ અધિકારી છે.

ફિલ્મમાં જૂના બચ્ચનની ઝલક જોવા મળે, ‘દીવાર’માં તે એન્ગ્રી યંગમેન હતો, આમાં એન્ગ્રી ઓલ્ડમેન છે. જૂની ફિલ્મનો સંવાદ ‘હમ જહાં ખડે હોતે હૈ, લાઈન વહાં સે શુરુ હોતી હૈ’ એ સંવાદ આ ફિલ્મમાં ફરી બોલાય છે. આ બચ્ચનનો ટ્રેડમાર્ક સંવાદ ગણાય છે. સિંદબાદ કહે છે,” ખરેખર તો સંવાદ એવો હોવો જોઈએ કે ‘હમ જહાં ખડે હોતે હૈ બાદ મેં નવ નંબર છોડ કે લાઈન શુરુ હોતી હૈ’ ખરેખર એવું જ છે.” અમિતાભ તો નંબર એક છે પછી દસ નંબર સુધી કોઈ નથી, કોઈને પણ અપાય તેમ નથી. એટલે બચ્ચનની લાઈન એક પછી અગિયારથી શરૂ થાય છે તેમ કહેવાય છે.

એક દર્શકે કહ્યું હતું, “શાહરુખ- સલમાને, અમિતાભમાંથી ઘણું બધું શીખવાનું છે.”

દિગ્વિજયસિંહ (જી)નું ધ્યાન આ ફિલ્મ તરફ ગયું નથી એમ લાગે છે. કોઈ ફિલ્મ દર્શક કે વિવેચક (ક્રિટિક)ની નજરમાં પણ આ વાત નથી આવી. આ ફિલ્મમાં ‘ભગવા આતંક’નો ઈશારો છે. ગેંગસ્ટર બચ્ચનની મદદમાં એક હિંદુ ધાર્મિક ગુરુ પણ છે જે બચ્ચનને હથિયાર અને બોમ્બ પૂરાં પાડે છે. દિગ્વિજયસિંહજીએ આ મુદ્દા ઉપર જ કોંગ્રેસશાસિત રાજ્યોમાં તેને કરમાફી મળે તેવી ભલામણ પણ કરવી જોઈએ!

મૂળ વાત એ હતી કે પોલીસ ઓફિસર કરણને મારવા માટે ગુંડાઓ પ્રયાસ કરતા હતા, ત્યારે ગેંગસ્ટર બચ્ચન તેને ઝેડ સિક્યુરિટી પૂરી પાડે છે. પેલાને ખબર પણ નથી કે આ તો મારો બાપ છે. (અભિનયમાં તો એ બધાનો બાપ છે જ) ફિલ્મનું નામ એવું પણ રાખી શકાત ‘બાપ હો તો ઐસા’ અથવા ‘બાપ હી તો હૈ’

છગન કહેતો હતો, “સેહવાગ ત્રણસો રન મારી શકે છે. એ જોવાની મજા આવે જ, પણ સેહવાગ પચાસ રન કરે તે પણ જોવાની મજા આવે જ. બચ્ચનનું પણ એવું છે એના ત્રણસો રનની એક્ટિંગ હોય કે પચાસ રનની એક્ટિંગ મજા પડે જ. આ ફિલ્મમાં તમને એ જ અહેસાસ થશે.

વાઈડ બોલ

“સાહેબ, આ પાકિટ લઈ જાવ, એકદમ સરસ છે.” વેપારીએ કહ્યું, “સરસ છે, પણ એ ખરીદ્યા પછી એમાં મૂકવા માટે મારી પાસે કશું નહીં હોય.”

Saturday, August 6, 2011

આતી ક્યા કેનેડા?

હિન્દી ફિલ્મોવાળા અત્યાર સુધી પરદેશમાં શૂટિંગ કરતા હતા. હવે એવોર્ડ ફંક્શન પણ પરદેશમાં કરે છે. ટોરેન્ટો કેનેડામાં બોલિવૂડ ભેગું થયું હતું. આખું બોલિવૂડ ભેગું થયું હતું એમ હું લખવા જતો હતો પણ એમ કહી શકાય કે ‘ટીમ-શાહરુખ’ કેનેડા ગઈ હતી.
આ એવોર્ડ કલાકારોએ હિંદી ફિલ્મોમાં આપેલા ‘પરફોર્મન્સ’ માટે કલાકારોને અપાયો કે શાહરુખ ખાનને ‘પ્રમોટ’ કરવા આ કાર્યક્રમ થયો હતો તે કહેવું મુશ્કેલ હતું.
આ એવોર્ડ ફંક્શનમાં ક્યાંય પણ અમિતાભ બચ્ચનની હાજરી દેખાતી ન હતી. તેનો પડછાયો પણ આ ફંક્શન ઉપર ન પડે તેની તકેદારી રાખવામાં આવી હતી. પહેલાંના વખતમાં કોઈનું નોતરું કાપવા માટે જમણવાર કરવામાં આવતો હતો. જમણવાર થાય પણ અમુક લોકોને જાણીજોઈને નોતરું આપવામાં ન આવે. આ કેનેડાનું ફંક્શન પણ જાણે નોતરું કાપવા માટે યોજાયું હોય તેવું લાગતું હતું. અમિતાભ બચ્ચન નહીં, અભિષેક બચ્ચન નહીં. બચ્ચન કુટુંબનું કોઈ નહીં. કેટલાક વખત પહેલાં બચ્ચને શાહરૂખ ખાનને જન્મદિનનાં અભિનંદન પાઠવ્યાં હતાં. પણ શાહરૂખે તેનો પ્રતિભાવ નહીં આપેલો. શાહરૂખે ચેનલને ઈન્ટરવ્યૂમાં કહ્યું, “હા ,મેં પ્રતિભાવ નહીં આપેલો, તમારી ચેનલ મારફત સોરી કહી દઉં છું. ફોન ઉપર સોરી નહીં કહું.”
એટલું જ નહીં સલમાન, સંજય દત્ત, અક્ષયકુમાર કોઈનો ભાવ નહીં પૂછેલો. શ્રેષ્ઠ કલાકાર તરીકે પણ દેખીતી રીતે શાહરુખ ખાનને ‘માય નેમ ઇઝ ખાન’ની અદાકારી માટે અપાયો. ઋત્વિક રોશન ત્યાં હતો, પણ ‘ગુજારીશ’ માટે તેને એવોર્ડ મળવો જોઈએ તેવું ઘણાને લાગતું હતું પણ ખાનને એવોર્ડ ગયો. ‘ગુજારીશ’ના ઋત્વિકના કામ માટે અક્ષયકુમારે ખેલદિલીથી કહ્યું હતું, “ઋત્વિક આમ તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારાથી જુનિયર છે પણ ‘ગુજારીશ’નું કામ જોતાં કહી શકાય કે આ મારાથી અદાકારીમાં સિનિયર છે.”
સિંદબાદે સવાલ કર્યો. “આ એવોર્ડ્ઝ ભારતીય ફિલ્મી કલાકારો માટે હતાને?”
“હાસ્તો, એમ જ હોય ને.”
“તો પાકિસ્તાની ગાયક રાહત ફતેહઅલીને કેમ શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ અપાયો?”
“આવો સવાલ આપણાથી પૂછી શકાય તેમ નથી.”
“કેમ?”
“કારણ કે ખુદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિક અબ્દુલ ગફારખાનને ભારતરત્ન એવોર્ડ આપ્યો છે. આઈફાના આયોજકો કહી શકે કે તમે એક પાકિસ્તાની નાગરિકને ભારતરત્ન બનાવી શકો તો અમે એક પાકિસ્તાનીને શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ ન આપી શકીએ!” રાહત ફતેહઅલીને મળેલા એવોર્ડથી ઘણાં નારાજ હતા. ઘણાં ભારતીય ગાયકો દાવેદાર હતા પણ હવાઈમથકે પૈસાની હેરાફેરીમાં પકડાયેલા પાકિસ્તાનીને એવોર્ડ અપાયો!! હા, શ્રેષ્ઠ ઘપલાબાજ ગાયકને એવી કોઈ કેટેગરીમાં એવોર્ડ અપાયો હોત તો ઠીક હતું.
કેટલાક આ ફંક્શનને ‘એવોર્ડ ફિક્સિંગ’ ફંક્શન કહે છે.
છગન કહે છે, “ટોરેન્ટોના કાર્યક્રમને ‘શાહરુખ ખાનની ભવાઈ’ એવું નામ આપી શકાય.”
આપણા કેટલાક ગુજરાતી મિમિક્રી આર્િટસ્ટ જે રીતે કલાકારની નકલના કાર્યક્રમ સ્ટેજ ઉપર રજૂ કરે છે તેમ શાહરૂખ ખાને જુદાં જુદાં ગીતોની વાહિયાત તુક્કાભરી નકલ રજૂ કરી હતી.
સલમાનની ‘દબંગ’ ફિલ્મના ખૂબ લોકપ્રિય થયેલ ગીતની તેણે મજાક ઉડાવી હતી, શાહરૂખે કહ્યું, “ખરેખર તો સલમાન ખાનનું પેન્ટ ઢીલું પડતું હતું એટલે તે પેન્ટ પકડીને ગીત ગાતો હતો, પ્રોબ્લમ હતો લૂઝ સ્ટિચિંગનો.”
એ જ રીતે ‘ગુલામ’ના પ્રખ્યાત ગીત, આતી ક્યા ખંડાલાની મજાક કરતાં કહ્યું, “શૂટિંગ વખતે આમિરને બોચી ઉપર મચ્છરો કરડતાં હતાં એટલે મચ્છરોના ડંખ ઉપર પોતાનો રૂમાલ ઘસતાં ઘસતાં ગાતો હતો આતી ક્યા ખંડાલા?”
સિંદબાદ કહે છે, “ટોરેન્ટોના ફંક્શન ઉપર પણ ગીત બની શકે. ‘આતી ક્યા કેનેડા?”
“ક્યા કરુ આ કે મૈં કેનેડા?”
“ફિરેંગે, નાચેંગે લોગોં કી ખીલ્લી ઉડાયેંગે ઔર ક્યા?”
વાઈડબોલ
ભોગીલાલ સિંદબાદ ખાડિયાને હાસ્યનું કાશી કહે છે.
ઘણા ખરા હાસ્યલેખકોનાં મૂળ ખાડિયા સાથે છે.

આતી ક્યા કેનેડા?

હિન્દી ફિલ્મોવાળા અત્યાર સુધી પરદેશમાં શૂટિંગ કરતા હતા. હવે એવોર્ડ ફંક્શન પણ પરદેશમાં કરે છે. ટોરેન્ટો કેનેડામાં બોલિવૂડ ભેગું થયું હતું. આખું બોલિવૂડ ભેગું થયું હતું એમ હું લખવા જતો હતો પણ એમ કહી શકાય કે ‘ટીમ-શાહરુખ’ કેનેડા ગઈ હતી.
આ એવોર્ડ કલાકારોએ હિંદી ફિલ્મોમાં આપેલા ‘પરફોર્મન્સ’ માટે કલાકારોને અપાયો કે શાહરુખ ખાનને ‘પ્રમોટ’ કરવા આ કાર્યક્રમ થયો હતો તે કહેવું મુશ્કેલ હતું.
આ એવોર્ડ ફંક્શનમાં ક્યાંય પણ અમિતાભ બચ્ચનની હાજરી દેખાતી ન હતી. તેનો પડછાયો પણ આ ફંક્શન ઉપર ન પડે તેની તકેદારી રાખવામાં આવી હતી. પહેલાંના વખતમાં કોઈનું નોતરું કાપવા માટે જમણવાર કરવામાં આવતો હતો. જમણવાર થાય પણ અમુક લોકોને જાણીજોઈને નોતરું આપવામાં ન આવે. આ કેનેડાનું ફંક્શન પણ જાણે નોતરું કાપવા માટે યોજાયું હોય તેવું લાગતું હતું. અમિતાભ બચ્ચન નહીં, અભિષેક બચ્ચન નહીં. બચ્ચન કુટુંબનું કોઈ નહીં. કેટલાક વખત પહેલાં બચ્ચને શાહરૂખ ખાનને જન્મદિનનાં અભિનંદન પાઠવ્યાં હતાં. પણ શાહરૂખે તેનો પ્રતિભાવ નહીં આપેલો. શાહરૂખે ચેનલને ઈન્ટરવ્યૂમાં કહ્યું, “હા ,મેં પ્રતિભાવ નહીં આપેલો, તમારી ચેનલ મારફત સોરી કહી દઉં છું. ફોન ઉપર સોરી નહીં કહું.”
એટલું જ નહીં સલમાન, સંજય દત્ત, અક્ષયકુમાર કોઈનો ભાવ નહીં પૂછેલો. શ્રેષ્ઠ કલાકાર તરીકે પણ દેખીતી રીતે શાહરુખ ખાનને ‘માય નેમ ઇઝ ખાન’ની અદાકારી માટે અપાયો. ઋત્વિક રોશન ત્યાં હતો, પણ ‘ગુજારીશ’ માટે તેને એવોર્ડ મળવો જોઈએ તેવું ઘણાને લાગતું હતું પણ ખાનને એવોર્ડ ગયો. ‘ગુજારીશ’ના ઋત્વિકના કામ માટે અક્ષયકુમારે ખેલદિલીથી કહ્યું હતું, “ઋત્વિક આમ તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારાથી જુનિયર છે પણ ‘ગુજારીશ’નું કામ જોતાં કહી શકાય કે આ મારાથી અદાકારીમાં સિનિયર છે.”
સિંદબાદે સવાલ કર્યો. “આ એવોર્ડ્ઝ ભારતીય ફિલ્મી કલાકારો માટે હતાને?”
“હાસ્તો, એમ જ હોય ને.”
“તો પાકિસ્તાની ગાયક રાહત ફતેહઅલીને કેમ શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ અપાયો?”
“આવો સવાલ આપણાથી પૂછી શકાય તેમ નથી.”
“કેમ?”
“કારણ કે ખુદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિક અબ્દુલ ગફારખાનને ભારતરત્ન એવોર્ડ આપ્યો છે. આઈફાના આયોજકો કહી શકે કે તમે એક પાકિસ્તાની નાગરિકને ભારતરત્ન બનાવી શકો તો અમે એક પાકિસ્તાનીને શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ ન આપી શકીએ!” રાહત ફતેહઅલીને મળેલા એવોર્ડથી ઘણાં નારાજ હતા. ઘણાં ભારતીય ગાયકો દાવેદાર હતા પણ હવાઈમથકે પૈસાની હેરાફેરીમાં પકડાયેલા પાકિસ્તાનીને એવોર્ડ અપાયો!! હા, શ્રેષ્ઠ ઘપલાબાજ ગાયકને એવી કોઈ કેટેગરીમાં એવોર્ડ અપાયો હોત તો ઠીક હતું.
કેટલાક આ ફંક્શનને ‘એવોર્ડ ફિક્સિંગ’ ફંક્શન કહે છે.
છગન કહે છે, “ટોરેન્ટોના કાર્યક્રમને ‘શાહરુખ ખાનની ભવાઈ’ એવું નામ આપી શકાય.”
આપણા કેટલાક ગુજરાતી મિમિક્રી આર્િટસ્ટ જે રીતે કલાકારની નકલના કાર્યક્રમ સ્ટેજ ઉપર રજૂ કરે છે તેમ શાહરૂખ ખાને જુદાં જુદાં ગીતોની વાહિયાત તુક્કાભરી નકલ રજૂ કરી હતી.
સલમાનની ‘દબંગ’ ફિલ્મના ખૂબ લોકપ્રિય થયેલ ગીતની તેણે મજાક ઉડાવી હતી, શાહરૂખે કહ્યું, “ખરેખર તો સલમાન ખાનનું પેન્ટ ઢીલું પડતું હતું એટલે તે પેન્ટ પકડીને ગીત ગાતો હતો, પ્રોબ્લમ હતો લૂઝ સ્ટિચિંગનો.”
એ જ રીતે ‘ગુલામ’ના પ્રખ્યાત ગીત, આતી ક્યા ખંડાલાની મજાક કરતાં કહ્યું, “શૂટિંગ વખતે આમિરને બોચી ઉપર મચ્છરો કરડતાં હતાં એટલે મચ્છરોના ડંખ ઉપર પોતાનો રૂમાલ ઘસતાં ઘસતાં ગાતો હતો આતી ક્યા ખંડાલા?”
સિંદબાદ કહે છે, “ટોરેન્ટોના ફંક્શન ઉપર પણ ગીત બની શકે. ‘આતી ક્યા કેનેડા?”
“ક્યા કરુ આ કે મૈં કેનેડા?”
“ફિરેંગે, નાચેંગે લોગોં કી ખીલ્લી ઉડાયેંગે ઔર ક્યા?”
વાઈડબોલ
ભોગીલાલ સિંદબાદ ખાડિયાને હાસ્યનું કાશી કહે છે.
ઘણા ખરા હાસ્યલેખકોનાં મૂળ ખાડિયા સાથે છે.

Saturday, July 30, 2011

જિસકા મિયાં સીએમ...

મહારાષ્ટ્ર પોલીસના આલા અધિકારીઓ મૂછના આંકડા ચડાવી રહ્યા છે. ‘ભઈ, હમ કીસે સે કમ નહિ’ એવો અંદાજ તેમની બોડી લેગ્વેંજમાં જણાઈ રહ્યો હતો. એક ઉચ્ચ અધિકારીએ ગૌરવપૂર્વક ડોક ઊંચી કરી કહ્યું,

“મહારાષ્ટ્ર પોલીસે સાબિત કર્યું છે કે તેઓ બાહોશ કાર્યક્ષમ અને કર્મઠ છે.”

આવું સાંભળતા જ છગન ઉછળી પડયો, “શું મહારાષ્ટ્ર પોલીસે દાઉદને પાકિસ્તાન જઈને પકડી પાડયો?”

“હોતું હશે? એવા છમકલા તો ઈઝરાયેલવાળા કરે”

“એમ?”

“હાસ્તો ઈઝરાયેલવાળા તેમના ગુનેગાર આઈકમેનને છેક બ્રાઝિલથી પકડી લાવ્યા હતા.”

“ઓહ!”

“આઈકમેને પોતાના ચહેરાનો ગેટ-અપ બદલી નાંખ્યો હતો. ઓળખ, પાસપોર્ટ બધું જ અલગ નામે હતું. છતાં લઈ આવ્યા હતા. જ્યારે દાઉદ તો બિન્દાસ પોતાની ઓળખ બિલકુલ જાળવીને જલ્સાથી રહે છે. દાઉદના વેવાઈ મિયાંદાદે છેલ્લા બોલે છક્કો મારી ભારતની હાલત ખરાબ કરી નાંખી હતી. તો દાઉદજી (દિગ્વિજયની ભાષામાં) એ પહેલા બોલે બોમ્બ ધડાકા કરી ભારતની આબરુના ધજાગરા ઉડાવ્યા હતા. પણ આપણે તેને પકડી શક્યા નથી.”

“તો શું ઝવેરીબજાર અને અન્ય જગ્યાએ થયેલા તાજેતરના બોમ્બ ધડાકાના આરોપીઓને પોલીસે પકડી લીધા?”

“ના-ના, અગાઉના ધડાકાઓના આરોપીઓ પકડાય પછી એમનો વારો આવશે...”

“તો પછી કઈ કમાલ માટે પોલીસને જશ અપાઈ રહ્યો છે?”

“તમને પોલીસે કરેલી કમાલની ખબર નથી?”

“ના ભઈ, તમે જ કહો...”

“પૃથ્વીરાજ ચવ્હાણની પત્ની...”

“તમે સંયુક્તાની વાત કરો છો?”

“વાત ક્યાંની ક્યાં લઈ જાવ છો યાર, એ પૃથ્વીરાજ ચૌહાણ રાજપુત યુગના મહારાજા હતા. તેમની પત્ની સંયુક્તા હતી પણ આ તો આધુનિક પૃથ્વીરાજ ચવ્હાણની વાત છે, તે મહારાજા જેવા જ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે...”

“તેમની પત્નીની શું વાત છે?”

“બોસ તેમની પત્ની ટ્રેનમાં મુસાફરી કરતાં હતાં ત્યારે તેમનું પર્સ કોઈ ઊઠાવી ગયું...”

“પછી?”

“પછી શું? બાહોશ પોલીસે ગણતરીના કલાકોમાં જ પર્સ પાછું મેળવી દીધું.”

“તો- તો જરૂર પોલીસ ગર્વ કરે તે વાજબી છે, કલાકોમાં જ તમે ચોરાયેલું પર્સ પકડી પાડો એ કમાલ કહેવાય.”

“હા, પણ તે માટે પૂર્વશરત છે કે તે પર્સ મુખ્યપ્રધાનની પત્નીનું હોવું જોઈએ.” સિંદબાદે સાર કહ્યો.

કેટલાક વર્ષ પહેલા બચ્ચને ગીત ગાયેલું ‘જીસકી બીબી... ઉસકા ભી બડા નામ હૈ...’ હવે જો એ ગીતની પેરોડી કરવામાં આવે તો કહી શકાય - “જીસકા મિયાં સીએમ ઉસકા ભી બડા નામ હૈ,

પર્સ વાપીસ આ જાયે, ચોરો કી ક્યાં મજાલ હૈ?”

કહે છે કે ઝવેરી બજારના ધડાકા દરમિયાન ગૂમ થયેલા એક યુવકની માતા પોલીસ પાસે કકળતી હતી..”સા’બ મારો પુત્ર આટલા દિવસથી મળતો નથી તેને ગોતી આપો ને?”

“તપાસ ચાલે છે.”

“સા’બ મુખ્યમંત્રીની પત્નીનું પર્સ તમે ગોતી કાઢયું, મારા પુત્રને પર્સ તૂલ્ય ગણીને પણ ગોતી આપો, એ પુત્ર મારું પર્સ જ છે.”

વાઈડબોલ

પોતે જીવતા હોય ત્યાં સુધી કોઈએ પોતાની આત્મકથા લખવી નહીં.

- સેમ્યુલ ગોલ્ડવીન
Jul 31,2011

Saturday, July 23, 2011

ધડાકાના પડઘા

જ્યારે કોઈ ધડાકો થાય ત્યારે તેનો પડઘો પણ પડે છે. તાજેતરમાં મુંબઈમાં થયેલા ધડાકાના પડઘા પણ પડયા છે.

પડઘા નં-૧

મધ્યપ્રદેશમાં સિંહાસન ગુમાવનાર દિગ્વિજયસિંહ જાણે છે કે તેઓની ગાદી હિંદુ સંગઠનને કારણે ગઈ છે. એટલે કોઈ પણ બાબતમાં તેમને હિંદુ સંગઠનનું ભૂત દેખાય છે. મુંબઈમાં થયેલા ધડાકામાં પોલીસ તપાસ ચાલુ છે. પોલીસની શંકા ઇન્ડિયન મુજાહિદ્દીનો તરફ છે. પણ દિગ્વિજયસિંહજીએ તુરત કહી દીધું, “આમાં મને તો હિંદુ સંગઠનોનો હાથ દેખાય છે.” આ પ્રકારનાં નિવેદનોમાં હિંદુ સંગઠનોને કોંગ્રેસનો પંજો દેખાય છે.

કોંગ્રેસનો તો નહીં પણ દિગ્વિજયસિંહજીની સદા સળવળતી જીભ જરૂર દેખાય.

પડઘા નં-૨

આપણા ભાવિ વડા પ્રધાનશ્રી આ બાબતે બાર કલાક સુધી કશું બોલ્યા નહીં. તેમનું પ્રથમ લક્ષ્ય છે માયાવતી. એટલે ત્રાસવાદ માટે તુરત પ્રતિભાવ આપી ન શક્યા. પછી બાબા, બાવાની જેમ બોલ્યા,

“બધા જ હુમલા અટકાવી ન શકાય. અમેરિકા પણ બધા હુમલા અટકાવી નથી શકતું.”

“પણ સાહેબ, અમેરિકા હજારો માઈલ દૂર જઈને પણ ત્રાસવાદીઓ પેદા કરનાર લાદેન જેવાને પણ ઠાર મારી શકે છે.” છગન દલીલ કરે છે.

“શું આપણે બધી વાતોએ અમેરિકાની નકલ કરવી? આપણી કોઈ સ્વતંત્ર નીતિ હોય કે નહીં?”

“પણ ત્રાસવાદ મિટાવવાના આપણે શપથ લીધા છે.”

“હા, આપણે ત્રાસવાદ જરૂર મિટાવીશું. પણ એ માટે આપણે ત્રાસવાદીને મિટાવવા બરાબર નથી.”

“એમ?”

“હા, ભગવાન જિસસે પણ કહ્યું છે ને,’ન મિટાવો ત્રાસવાદીને મિટાવો ત્રાસવાદને.”

“વાહ.”

“આભાર, આપણી નવી ઊભરતી યુવા નેતાગીરી આ કામ કરી બતાવશે. લાઠી ભાંગ્યા વગર સાપ પણ મારશે. ગરીબી ક્યારે હટશે અને ત્રાસવાદ ક્યારે મટશે. એની કોઈ મુદત હોય નહીં. એ માટે કોઈ ‘ડેડલાઈન’ ન અપાય. ગરીબી પણ હટશે, ત્રાસવાદ પણ મટશે.

પડઘા નં-૩

આ ધડાકાથી કેન્દ્રના પર્યટનમંત્રી કૃષ્ણકાંત સહાય નિસહાય બની ગયા છે. મુંબઈમાં ફૂટેલા બોમ્બની કરચો છેક દિલ્હી સુધી તેમને વાગી છે.

બોમ્બ ધડાકા થયા પછી ચેનલોવાળા વારંવાર દૃશ્યો બતાવે છે કે શ્રીસહાય બોમ્બ ધડાકા થયા પછી એક ફેશન શોમાં બેઠા છે. બિચારા સહાય અકળાઈને કહે છે કે, “હવે કોઈ કાર્યક્રમ નક્કી થશે ત્યારે હું અગાઉથી પૂછી રાખીશ કોઈ બોમ્બ ધડાકા થયા નથી કે થવાના નથી ને?”

સહાયની સાથે ભાજપના પણ કેટલાક ઓછા જાણીતા નેતાઓ પણ આ ફેશન શોમાં હતા. ચેનલવાળા તેઓને ચમકાવી ઓછા જાણીતા નેતાઓને વધુ જાણીતા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પડઘા નં-૪

પ્રધાનમંત્રીનો પડઘો અદ્ભુત હતો. એમણે કહી દીધું, “અમે આવાં આતંકવાદનાં પગલાં નહીં ચલાવીએ અને આવા હુમલા રોકવા પ્રયત્ન કરીશું.”

કેટલાક લોકોએ સવાલ કર્યો છે કે ૨૦૦૮માં ધડાકા થયા ત્યારે મનમોહનસિંહે પડકાર કર્યો હતો કે હવે પછી જો આવા હુમલા થશે તો જવાબી કાર્યવાહી થશે. તો હવે મનમોહનસિંહ કેમ બીજી ભાષા બોલે છે? કાનૂન પ્રમાણે ૨૦૦૮માં સહી કરેલ ‘પ્રોમેસરી નોટ’ ૨૦૧૧માં રદ થઈ જાય એટલે મનમોહનસિંહજીએ ૨૦૦૮માં દેશને આપેલ પ્રોમિસ હવે ‘માન્ય’ ન ગણાય. હવે એમણે પ્રોમિસ ‘રિન્યૂ’ કરવું પડે. જે તેમણે કર્યું છે. ૨૦૧૪માં હુમલો થશે ત્યારે પણ મનમોહનસિંહ આ રીતે જ કહેશે.

પણ ત્યારે તો રાહુલજી આવી ગયા હશે ને!

ત્યારે રાહુલજી કહેશે, “અરે, હુમલાઓની ગણતરી રાખનારાઓ, મોદીના ગુજરાતમાં સોમનાથ મંદિર ઉપર સત્તરવાર હુમલા થયા હતા.”

સિંદબાદ કહે છે કે ૧૩મી જુલાઈ કસાબનો જન્મદિવસ હતો જન્મદિવની ઉજવણીમાં ધડાકા તો થાય ને!

વાઈડ બોલ

“તમે લગ્નદિનની ઉજવણી કઈ રીતે કરી?”

“અમે એ દિવસે ‘એર-ફાઈટિંગ શો’ જોયો.”

Jul 23,2011

Saturday, July 16, 2011

રમેશ રાજા અને વાંદરાં...

આપણા દેશમાં રાજા મહારાજાઓ હતા ત્યારે એ લોકો ઘણાં ખેલ કરતાં. ખેલ કરવામાંથી સમય મળે ત્યારે શાસન પણ કરી લેતા.

જૂનાગઢના નવાબને કૂતરાં બહુ ગમતા. એમણે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવું હતું અને પોતાનાં કૂતરાંને એક કૂતરી સાથે જોડયું હતું મતલબ કે લગ્ન કરાવ્યાં હતાં. ‘રાજા, વાજા ને વાંદરાં’ એ કહેવત આવા કોઈ પ્રસંગને કારણે આવી હશે. રાજાઓ તો ગયા, પણ આવા ખેલ પ્રજામાંથી કોઈ વીરલાઓ પાડતા હોય છે. નજીકના ભૂતકાળમાં જ અમદાવાદમાં જ કૂતરાંના અવસાન નિમિત્તે બેસણાં રાખવામાં આવ્યાં હતાં. બાપનું બેસણું રાખે તેને લોકો યાદ નથી રાખતા, પણ કૂતરાંનું બેસણું રાખનારને લોકો ખાસ યાદ રાખે છે.

“પેલા સંદીપભાઈને ઓળખ્યા?”

“કોણ?”

“અરે, પેલા કૂતરાનું બેસણું રાખવાવાળા!”

કડી પાસે એક પટેલ રહે છે, એમણે એમની ભેંસની જીવતા જગતિયાની ક્રિયા કરી હતી. એ ભેંસ જીવતી હતી, પણ તેનું બારમું-તેરમું વગેરે ઉત્તરક્રિયા કરી લોકોને તેમણે જમાડયા હતા.

તાજેતરમાં રાજસ્થાનમાં એક વાંદરાનાં લગ્ન કરવામાં આવ્યાં. ઘણી વાર લગ્ન પછી માણસની જિંદગી કૂતરાં જેવી થઈ જાય છે. જૂનાગઢના નવાબે જેનાં લગ્ન કરાવ્યાં હતાં તે કૂતરાંની જિંદગી પણ લગ્ન પછી કૂતરાં જેવી જ થઈ હશે કે રહી હશે. એ કૂતરાંનો માણસ નહીં થયો હોય.

રાજસ્થાનના વાંદરાનાં લગ્નમાં શું થયું હશે? એક કવિએ લખ્યું હતું, “આદમી થા બંદર.”

આ બંદરનાં લગ્ન થવાથી તે માણસ નહીં બન્યો હોય.

તેના માલિક રમેશ રાજસ્થાની. તેને તમે રમેશ રાજા એમ પણ કહી શકો. એ રમેશ રાજાએ તેના બંદર નામે રામુનાં લગ્ન એક વાંદરી નામે ચમકી સાથે કરાવ્યાં.

વરસો પહેલાં પોળોમાં, સોસાયટીઓમાં વાંદરાનો ખેલ કરવાવાળા આવતા હતા. યાદ આવે છે, તેઓ નાનકડી વાંદરી પાસે ચાળા કરાવતા હતા. “એય રતનબાઈ સાસરે કેમ જશો?”

એટલે રતનબાઈ નામની વાંદરી બે પગે ઊભી થઈ ઠૂમક ઠૂમક ચાલ બતાવે. માથા ઉપર ફાટેલા સાડલાનો કટકો ઢાંકે. આ રાજસ્થાની બંદર-બંદરિયાનાં લગ્નમાં પણ ચમકી વાંદરી ઠૂમક ઠૂમક ચાલતી લગ્નમંડપમાં ગઈ હશે.

રમેશ રાજાએ એમના વાંદરાનાં લગ્નમાં ગામમાં હજાર કાર્ડ વહેંચ્યાં હતાં. મારા બંદરનાં લગ્નમાં પધારશો.

આ લગ્ન રાજસ્થાનમાં થયાં હતાં, બાંદ્રામાં નહીં, નહીંતર બાંદ્રામાં વાંદરાનાં લગ્ન એવી ચમત્કૃતિવાળું હેડિંગ છાપામાં આપી શકાય. આપણા મસ્ત કલાકાર કિશોરકુમાર ચાર વાર પરણ્યા હતા. સંજોગોવશાત્ તેમની તમામ પત્નીઓ બાંદ્રાની હતી. ત્યારે કિશોરે કહ્યું, “ક્યા કરું મેરી કિસ્મત મેં સબ બંદરિયા લીખી થી.”

હવે ‘કહાનીમાં ટ્વિસ્ટ’ આવે છે. સરકાર જાગી છે. સરકારને વાંદરનાં લગ્ન સામે વાંધો છે. રમેશભાઈને એમણે કહ્યું, દેશનાં તમામ વાંદરાં સરકારની મિલકત ગણાય. “તમે સરકારી વાંદરાના વિવાદ કઈ રીતે કરી શકો?” આ ગુનો છે. તમારી ધરપકડ થશે. સરકારી મિલકત સાથે છેડછાડ કરવા બદલ તમારી સામે કામ ચલાવવામાં આવશે.

સરકારને લાગે છે કે વાંદરાનાં લગ્ન કરાવવાં તે વાંદરા માટે કલ્યાણકારી નથી.

માણસોનાં લગ્ન માટે પ્રભુતામાં પગલાં પાડયાં તેમ કહેવાય છે, પણ રમેશભાઈએ વાંદરાનાં લગ્ન કરાવી વાંદરાનું તેમજ પોતાનું અકલ્યાણ કર્યું છે. સરકારે આ લગ્નમાં ભાગ લેનાર સામે પણ કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. બંદર રામુ અને વાંદરી ચીમકીને આ ધાંધલધમાલથી કોઈ અસર નથી પડી. એ વાંદરાઓને આ ‘માનવીની ભવાઈ’ લાગી હશે.

કાનૂન પ્રમાણે વાંદરાં પાળવાં તે પણ ગુનો છે. રમેશભાઈને લાગ્યું હશે આ વાંદરાઓનાં લગ્ન કરાવી તેમને માણસાઈ શીખવાડવાનો પ્રયત્ન કરવા જેવો ન હતો.

વાઈડ બોલ

“વાંદરા થઈને મુંબઈ જવાય.” આ શ્લેશયુક્ત વાક્ય ઉપર કોમેન્ટ કરતાં ભોગીલાલ સિંદબાદ કહે છે.

‘ધોળા થઈને ભાવનગર જવાય.’

Saturday, July 9, 2011

પાવલી કેવળ કહાની બની ગઈ

આખરે પાવલી ગઈ કેટલીક વાર માણસ આઈસીયુમાં હોય, વેન્ટિલેટર ઉપર હોય. સત્તાવાર મૃત્યુ જાહેર ન થયું હોય, પણ આમ તો એ માણસ મરી જ ગયો હોય. પાવલીનું પણ એવું જ છે. હવે એનું સત્તાવાર મૃત્યુ જાહેર કરવામાં આવ્યું છે. વળી કેટલાંક વરસોથી પાવલી હતી, પણ જીવતી ન હતી. ચલણમાં ચાલતી ન હતી. જેમ કોઈ કુટુંબમાં ઘરના ખૂણે ખાટલામાં કણસતા વડીલ પડયા હોય તેમ જીવતા ખરા પણ ચલણમાં નહીં. અત્યારના કોઈ બાળકને પૂછશો, તો ખબર પડશે તેણે પાવલી જોઈ પણ નથી અને તેના વિશે ખબર પણ નથી. વરસોથી કોઈ શાકવાળા પાવલી સ્વીકારતા ન હતા કે ભિખારીઓ પણ ઉપહાસ કરી પાવલી પાછી આપી દેતા હતા. ફૂટપાથના એક ખૂણે સાયંકાળે એક ભિખારી બેસૂરા અવાજે ગાઈ રહ્યો હતો.

“બાબુ એક પૈસા દે દે...”

એક સજ્જને બેસૂરા અવાજ પ્રત્યેની ચીડમિશ્રિત દયાથી પ્રેરાઈને પેલાના વાડકામાં પાવલી મૂકી. બેસૂરો અવાજ થંભી ગયો અને કર્કશ અવાજે પૂછયું, “આ શું કરો છો ? આ તો પાવલી છે, એને કોણ મારો બાપ લેશે? પાવલીમાં આવે છે શું?”

એક પૈસા દે દે ગાનાર ભિખારી પચીસ પૈસા પ્રત્યે પોતાની નારાજગી પ્રગટ કરી રહ્યો હતો. એણે માગ્યા હતા તેથી પચીસ ગણા પૈસા આપવા છતાં ભિખારી નારાજ હતો. માણસ ઈશ્વર પાસે સંતાન માગે અને જો પ્રસૂતિગૃહમાંથી એને મરેલું સંતાન મળે તો? એ નારાજ થાય કે દુઃખી થઈ જાય. પાવલીનું પણ એવું જ છે. એ મરેલા સંતાનતુલ્ય જ ગણાય. એને જોવાથી કોણ રાજી થાય?

એક વખત એવો હતો કે કોંગ્રેસના સભ્ય થવા માટે પાવલી આપવી પડતી હતી. ગાંધીજી ભલે આજે કરોડો રૂપિયાની નોટો ઉપર બેસી ગયા છે, પણ તેમણે પાવલી ખર્ચી ન હતી. મતલબ કે તેઓ કોંગ્રેસના સભ્ય થયા ન હતા. જૂના સમયના માણસો કહે છે, ત્યારે અમે પચીસ પૈસામાં ચા પી શકતા હતા અથવા કોંગ્રેસમાં સભ્ય થઈ શકતા હતા. સિંદબાદ કહે છે કે, દસ રૂપિયાની લોટરીની ટિકિટ લેનાર ક્યારેક કરોડપતિ થઈ જાય છે, તેમ પાવલીમાં કોંગ્રેસની ટિકિટ લેનારાઓ કેટલાય કરોડપતિ થઈ ગયા છે. ગાંધીજી એટલે જ લોટરીને દૂષણ માનતા હતા અને કોંગ્રેસના સભ્યપદરૂપી લોટરીની ટિકિટ તેમણે લીધી ન હતી.

આપણી ભાષામાં પાવલીનો ઘણો પ્રભાવ પડયો છે. કોઈકની કક્ષા ઓછી હોય, તો કહેવામાં આવતું એનામાં પાવલી ઓછી છે. (પૂરો રૂપિયો નથી).

ક્યારેક અણધાર્યું કામ થઈ જાય કે ન કલ્પેલ વ્યક્તિ કામ કરી જાય, ત્યારે હિન્દી ભાષાવાળા કહેતા, “ચવન્ની ચલ ગઈ’ ઇશાંત શર્મા હાફ સેન્ચૂરી મારે તો કહેવાય ચવન્ની ચલ ગઈ. આજે એ ચવન્ની ચલ બસી એમ કહી શકાય.

કેટલીક ચેનલોએ પાવલીની ચોક્કસતા પણ કરી. કેટલાંક અખબારોએ શોકદર્શક સંદેશા પણ પાવલીના અવસાન ઉપર પ્રગટ કર્યા. એક વડીલે જાહેર કર્યું, અમારા સમયમાં પાવલીમાં પાંચ શેર ખાંડ મળતી હતી. તમારા સમયમાં શરદ પવાર ન હતા તેવું તેમને કહી શકાય.

પાવલી જ્યારે રૂપિયા સાથે બેસતી ત્યારે તે વજનદાર થઈ જતી. દરેક ધાર્મિક પ્રસંગે સવા રૂપિયાનું મહત્ત્વ હતું. રૂપિયા સાથે ત્યારે ચાર આની-પાવલી મુકાતી.

જ્યારે પાવલી વજનદાર હતી, ત્યારે પ્રસંગે લોકો સવા રૂપિયો ચાંલ્લાનો કરતા હતા.

હજી નજીકના ભૂતકાળની વાત છે, રેંકડી ઉપર પચીસ પૈસાની ચા મળતી, લોકો પાવલીમાં એક રકબી ચા પી શકતા.

ઠેકડી ઉડાવવા માટે પણ પાવલીનો ઉપયોગ થતો.

છગન હાંફળો ફાંફળો થઈ રહ્યો હતો. એને ખિસ્સામાં કંઈ પડી ગયું હોય તેમ લાગ્યું. ઊભા રહી આજુબાજુ ડાફોળિયાં માર્યાં. “શું પડી ગયું હશે?” તે વિચારમાં હતો, ત્યારે દૂર ઊભેલા મગને કહ્યું,

“મિત્ર તમારી પાવલી પડી ગઈ છે.”

હવે તો પાવલી કેવળ કહાની બની ગઈ છે.

વાઈડબોલ

ક્રિકેટ આમ તો બેટથી રમાય, પણ તેમાં કૌભાંડો થવા માંડયાં એટલે કહેવાય ક્રિકેટમાં રેકેટ પણ છે.

Jul 09,2011

Saturday, July 2, 2011

ચલા શ્રીવર્ધન અમેરિકા..

મારા બેન્કર મિત્ર શ્રીવર્ધન અમેરિકા ગયા. આમ તો યુએસએ ગયા તેમ કહેવાય પણ આપણે ત્યાં યુએસ જનારને અમેરિકા ગયા તેમ જ કહેવાય છે. કેટલાંક વરસો પહેલાં મુંબઈ રહેતા ખીમજીભાઈ ભાવનગર ગયા હોય તો સગાંવહાલાં કહે ખીમજીભાઈ દેશમાં ગયા છે, એવી પ્રથા હતી. અત્યારે અમેરિકાવાળા ગુજરાતીઓ ભારત આવે છે ત્યારે દેશમાં ગયા છે તેમ કહેવાય છે.

શ્રીવર્ધન અમેરિકા જવાની તૈયારી કરતા હતા. જરૂરી વીસા તેમની પાસે હતો. વીસા તમારી પાસે હોય તો તે કેવા નસીબની વાત છે! ગુજરાતના એક સ્ટેજ આર્ટિસ્ટને અમેરિકાનો વીસા મળ્યો ન હતો પણ તેના કૂતરાને જ મળ્યો હતો. કોઈ સત્તા કે પૈસાથી વીસા મેળવી શકાતો નથી.

જેરી લૂઈસનું એક બેહદ રમૂજી પિક્ચર કેટલાંક વરસો પહેલાં આવ્યું હતું. જેરી લૂઈસ એક અબજોપતિ વેપારી છે. એને વિશ્વયુદ્ધમાં હિટલર સામે લડવાની ચળ ઊપડે છે. પણ મિલિટરીના ડોક્ટરો તેને નાપાસ જાહેર કરે છે. જેરી હુંકાર કરે છે ત્યારે ડોક્ટરો કહે છે, ‘‘મિસ્ટર, આ એક એવી જગ્યા છે કે જ્યાં તમારા કરોડો ડોલરની મદદથી પણ એન્ટ્રી નહીં મેળવી શકો.”

યુએસ વીસાનું પણ એવું જ કંઈક છે. કોઈ ધુરંધર વ્યક્તિને વીસા ન પણ મળે અને કોઈ આલિયા માલિયાને મળી પણ જાય. શ્રીવર્ધન ધુરંધર કેટેગરીમાં તો ન આવે પણ આલિયામાલિયા કેટેગરીમાં આવે. હા, દરેક આલિયામાલિયાને પણ વીસા મળતા નથી. નસીબદાર આલિયામાલિયાને મળી જાય.

વીસા મેળવવા માટે ઝૂરતા કેટલાક લોકો જાતજાતની બાધા-આખડી રાખે છે. વગર વીસાએ લંકામાં ગયેલા શ્રી હનુમાનજીની કૃપાથી કેટલાક લોકો અમેરિકન વીસા મેળવી શકે છે. અમદાવાદમાં ખાડિયામાં આવેલા એક હનુમાનજી વીસાવાળા હનુમાજી તરીકે જાણીતા છે.

અમદાવાદથી મુંબઈ રેલવેમાં જવું હોય તો ભાડું મગન જાય કે છગન જાય એક સરખું જ હોય છે. પણ શ્રી વર્ધન કહે છે, અમદાવાદથી નેવાર્ક (યુએસ) જવાનું ભાડું એજન્ટે એજન્ટે ભિન્ન ભિન્ન હતું. કોઈ પંચાવન હજાર કહેતું હતું. કોઈ એકસઠ હજાર કહેતું હતું. ભદ્રંભદ્ર મુંબઈની મૂલ્યપત્રિકા (ટિકિટ) માટે ભાંજગડ કરતા હતા તેવું અમેરિકાની ટિકિટ માટે શક્ય છે. શશિ થરૂર જેને ઢોર કા ડિબ્બા કહેતા હતા તે ઈકોનોમી ક્લાસમાં શ્રીવર્ધન સવાર થઈ નેવાર્ક પહોંચ્યા. બેન્કની નોકરીમાં ચા ઉપર નિર્ભર રહેલા શ્રીવર્ધનને એર ઇન્ડિયામાં મળતી ચા સજાતૂલ્ય લાગી. શ્રીવર્ધન માને છે કે રેંકડી જેવી ચા નહીં. ભવિષ્યમાં તે જો પ્રફુલ્લ પટેલની જગ્યાએ ‘એવિએશન મિનિસ્ટર’ બનશે તો તે પ્રવાસીઓ માટે ખાસ રેંકડીની, લારીની, મસાલાથી ધમધમતી ચાની વ્યવસ્થા કરશે. હવે મહારાજા રેંકડીની ચા પીવે છે તેવી એર ઇન્ડિયાની જાહેરાત પણ જોવા મળશે. એર ઇન્ડિયાએ રેંકડીવાળાઓ સાથે પણ ચાનો કોન્ટ્રાક્ટ કરવા જેવો. તેનાથી કંપનીને આર્થિક ફાયદો અને પ્રવાસીઓને સંતોષ મળશે.

નેવાર્ક એટલે ન્યૂજર્સીનું એરપોર્ટ. પ્રખર પત્રકાર વાસુદેવ મહેતાના ભત્રીજા ડો. જયદેવ મહેતા કહે છે, “કોઈ પણ સમયે નેવાર્ક એરપોર્ટ ઉપર પાંચ-સાત સાડીવાળી મહિલા તો જોવા મળે જ.” શ્રીવર્ધન કહે છે, “મારું પ્લેન લેન્ડિંગ થયું ત્યારે આઠ-દસ સાડીધારી મહિલાઓ દેખાતી હતી.”

શ્રીવર્ધને અમદાવાદ એરપોર્ટની સેવાની વાત કરતા કહ્યું, “બોસ, એરપોર્ટ ઉપર બેગ લઈ જવા માટે ટ્રોલી મળતી ન હતી. પ્રવાસીઓ ટ્રોલી ગોતવા માટે દોડાદોડી કરતા હતા, પણ ટ્રોલી મળે તો મળે તેવી હાલત હતી, જ્યારે અમેરિકાના મોટા મોટા મોલમાં ઢગલાબંધ ટ્રોલીઝ દેખાતી હતી. કોઈ ગરબડ નહીં.

શ્રીવર્ધન કહે છે, “અમદાવાદીઓને કે ગુજરાતીઓને તેમનાં મનભાવન ફરસાણ આરામથી અમેરિકામાં મળે છે.” કવિ ખબરદાર આજે હોત તો જરૂર લખત ‘જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ફરસાણ.’

વાઈડ બોલ

નાણાપ્રધાન પ્રણવ મુખરજી અને ગૃહપ્રધાન ચિદમ્બરમ્ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે તેવા એક સમાચાર હતા. તે અંગે પ્રતિભાવ આપતાં ચિદમ્બરમે કહ્યું, “અમે રોજ ફોન ઉપર વાત કરીએ છીએ.” છગન કહે છે, “ઝઘડા કરનાર તો ફોન ઉપર પણ ઝઘડા કરી શકે છે.”

Saturday, June 25, 2011

કિશોરકુમારનું ગળું કોણે કાપ્યું?

કલાકારો એ ઈશ્વરે આપેલી માનવજાતને અણમોલ બક્ષિસ છે.

ઇતિહાસમાં શાહજહાંના નામે ભલે તાજમહાલ નોંધાયો પણ તેના સ્થપતિ કલાકારનું નામ શાહજહાં કરતાં પણ મોટું ગણાય. આપણને એનું નામ તો ખબર નથી પણ એનું કામ આપણી સામે છે. એ અનામી કલાકારને કલાપ્રેમીઓ જરૂર નમન કરે છે. કોઈ શાયર કહી શકે.

‘એક શહેનશાહને એક કલાકાર કી કસબ સે નામ કમાયા.’

છગન કહે છે કે તાજમહાલ માટે તમે શાહજહાંને બિરદાવો એ એવું લાગે છે કે ‘ગીતાંજલિ’ માટે રવીન્દ્રનાથ ટાગોરને બદલે તેના પ્રકાશકને બિરદાવતા હો.

આવું અદ્ભુત સર્જન કરનાર કલાકારોને શાસકોએ શું આપ્યું છે?

અદ્ભુત સ્થપતિઓ આવું સર્જન કરી ન શકે માટે શાસકોએ એ કલાકારોનાં કાંડાં કાપી નાખ્યાં છે.

કુંબલેનું કાંડું કાપી નાખ્યા જેવું આ પાપ ગણાય.

કલાકારો સદા મસ્તીમાં જીવતા હોય છે. કલાકારોની એક આગવી મસ્તી હોય છે. એટલે શાયરે મસ્ત કલાકારો માટે કહ્યું છે,

‘મસ્તો કી મસ્તી ઈબાદત સે કમ નહી હૈ’

મસ્ત કલાકારોની મસ્તી જ ઈશ્વરની ઈબાદત છે.

કલાકારોની મસ્તીની વાત નીકળી છે ત્યારે ગાયક કલાકાર કિશોરકુમારની વાત યાદ આવી ગઈ. કાંડાં કાપી નાખતા શાસકો જેવો જ વ્યવહાર આ કલાકાર સાથે શાસકોએ કરેલો. એ શાસક એટલે ઇન્દિરા નેહરુ ગાંધી. બંને અટકનો લાભ લેવા તેઓ નેહરુ અને ગાંધી બંને અટક લખતાં.

લોકસભામાં સોગંદ તેમણે ઇન્દિરા નેહરુ ગાંધી નામે લીધા હતા.

ઇન્દિરાની હડફેટે કલાકાર કિશોરકુમાર એક વાર ચડી ગયો હતો.

કટોકટીનો એ કાળો સમય હતો. કોઈ એક સરકારી સમારંભમાં કિશોરને ગાવાનું કહ્યું. મસ્ત કલાકારે નનૈયો ભણી દીધો અને ઇન્દિરાજીની ખફગીનું નાળચું કિશોર ઉપર તોળાયું. વિવિધ ભારતી રેડિયોની સૌથી લોકપ્રિય ચેનલ, તેમજ અન્ય કાર્યક્રમોમાં કિશોરનાં ગીતો વાગતાં બંધ થઈ ગયાં.

ઇન્દિરાજીની અવજ્ઞા કરનાર કિશોરકુમારને સત્તાવાળાઓએ જાણે સંભળાવ્યું ‘મેરી ભેંસ કો દંડા ક્યૂં મારા?’

આપને યાદ હશે કટોકટીના એ કાળમાં ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરથી કિશોરકુમારનાં ગીતો વાગતાં બંધ થઈ ગયાં હતાં.

થોડાક વખત પહેલાં એક ચેનલે ‘કે ફોર કિશોરકુમાર’ કાર્યક્રમ રજૂ કર્યો હતો. તેમાં કિશોરની ખૂબીઓ ઉજાગર કરી હતી.

છગન કહેતો હતો...

‘યાર મોરારજીભાઈને ફેંકી દીધા’

(રીંગણાં- બટાકાની જેમ)

ચાલો માફ કર્યું.

વાજપેયી- અડવાણીજીને જેલમાં નાંખ્યા.

ભૂલી જઈશું.

જયપ્રકાશજીને પૂરી દીધા.

એ અક્ષમ્ય ગુનાને ક્ષમા આપી શકાય.

પણ પણ આ કલાકાર કિશોરકુમારનાં ગીતો જનતાના પૈસાથી ચાલતા રેડિયો ઉપરથી બંધ કરી દીધાં?

કઈ રીતે માફ થાય?

માનો કે ઇન્દિરાજીએ દેશની ઉત્તમ સેવા કરી હોય તોપણ કલાકારની અવહેલના માટે માફ કદાપિ ન થઈ શકે.

કદાચ અફઝલ ગુરુનો ગુનો માફ થઈ શકે પણ આ ગુનો ક્યારેય પણ માફ ન થઈ શકે. શાસક કેટલી હદ સુધી નીચે ઊતરી શકે તેનો આ નમૂનો છે. ઇન્દિરાજીએ કિશોરકુમારના ગળાનો તેમજ શંકરર્સ વીકલીનો ભોગ લીધો હતો. તેને પક્ષની નજરે નહીં પણ રાષ્ટ્રની નજરે જુઓ. કદાપિ કદાપિ માફ ન કરાય તેવી આ બાબત બની છે.

ભૂતકાળના શાસકો કલાકારનાં કાંડાં કાપતા હતા. આ એવી જ બાબત છે. ઇન્દિરાજીના શાસનમાં કલાકારનું કાંડું નહીં ગળું કપાયું હતું.

આમાં રાજકારણની વાત નથી. કલાપ્રેમની વાત છે. અમારો કલાપ્રેમ, કોઈ પણ કલાપ્રેમીઓનો કલાપ્રેમ આ વાત સ્વીકારશે.

વાઈડબોલ

રજાનો દિવસ એટલે ઓફિસના બોસના હુકમનું પાલન નહીં કરવાનું પણ ઘરના બોસનું હુકમનું પાલન કરવાનું.

Saturday, June 18, 2011

બાપ બાપ ન રહા : શિક્ષણમંત્રીનાં સંતાનો નાપાસ થાય?


આ વાત અવળીગંગા જેવી જ ગણાય, પણ આ બીના બની છે. શિક્ષણપ્રધાનનાં સંતાનો નાપાસ થયાં એ વાતથી ઘણાં ચોંકી ગયા છે. એક ચોખવટ કરવી જરૂરી છે. આ શિક્ષણમંત્રી રમણભાઈ વોરાની વાત નથી, પણ આ કહાની છે ઝારખંડના શિક્ષણમંત્રી રામની રામાયણની. ઝારખંડના શિક્ષણમંત્રી વૈદ્યનાથ રામનાં સંતાનો નાપાસ થયાં છે.

આમ તો પ્રધાનપુત્રો નાપાસ થતા નથી. પ્રધાનનાં સંતાનો કે સત્તાધીશનાં સંતાનો સારા માર્ક મેળવે છે એ જાણીતી બાબત છે. ‘મેરે સૈંયા ભયે કોટવાલ અબ ડર કાહે કા.’ સૈયા કોટવાલ હોય એ બેફિકર હોય, એ જ તર્ક પ્રમાણે પ્રધાનોનાં સંતાનો નાપાસ થવાની ચિંતા કરતાં (જ) નથી. ‘મેરે પપ્પા ભયે મિનિસ્ટર મુઝે ડર કાહે કા’ એવું એ લોકો વિચારતા હોય છે. ઝારખંડ બિહારમાંથી છૂટું પડેલું રાજ્ય છે. પહેલાં તે બિહારનો ભાગ હતો એટલે આ વાત ઘણાને આઘાતજનક લાગે છે.

બિહારમાં સત્તાધીશોનાં સંતાનોનાં પરિણામો અત્યંત ઉજ્જવળ આવતાં, પણ નોંધનીય બાબત એ હતી કે જ્યારે તેમના વાલી સત્તા ઉપર હોય ત્યારે (જ) આ સંતાનો પરીક્ષામાં આકર્ષક પરિણામ લાવતાં. પપ્પા કે વાલી જેવા પદ ગુમાવે કે આ સંતાનો માર્કની સીડી ઉપરથી ગબડે. કેટલાંક વરસો પહેલાં સમાચારમાં આ બાબત ઉપર લખવામાં આવ્યું હતું કે, ‘માળા આ વિદ્યાર્થીઓ બાપના રાજમાં જ ઝળકે છે.’

પણ ઝારખંડના બનાવે સત્તાધીશોને લાંછન લગાડે તેવી બાબત બની છે. શિક્ષણપ્રધાનનાં સંતાનો જે નાપાસ થયાં છે એ કદાચ ગાતાં હશે, ‘બાપ બાપ ન રહા.’

ફિલ્મ ‘શક્તિ’ની યાદ આવે છે. દિલીપકુમાર ઉચ્ચ પોલીસ અધિકારી છે, પણ પોતાના પુત્ર અમિતાભ બચ્ચનને મદદ કરવાને બદલે આડે આવે છે. ‘શક્તિ’ ફિલ્મમાં દિલીપકુમારની દીકરાને મદદ કરવાની અશક્તિને બચ્ચન બરાબરની ચોપડાવે છે. “તુમ બાપ નહીં સિર્ફ પોલીસ હો.” પેલા ઝારખંડી પ્રધાનનાં સંતાનોએ પણ કદાચ કહ્યું હશે, “તુમ કેવળ પ્રધાન હો, પિતા નહીં...” બાકી સત્તાધીશ બાપ તો કેવા હોય? સંતાનો કહી શકે... એય લીલાલહેર છે. બાપની મહેર છે.

કેટલાંક વરસ પહેલાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ભોંસલે હતા. તેમના છોકરાને મેડિકલમાં પાસ કરાવવાનું કૌભાંડ તેમના નામે ચડેલું. છોકરાને મેડિકલમાં પાસ કરાવવામાં આપણા એક ગુજરાતી નાગર બ્રાહ્મણ જે મુંબઈના પ્રતિષ્ઠિત ડોક્ટર હતા તે ભરાઈ પડયા હતા એ યાદ છે. આપણા રાજ્યના એન્જિનિયર મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીએ પણ સંતાનની કેળવણીમાં બિનજરૂરી રસ લીધો હતો તેવો આક્ષેપ થયો હતો. ત્યારે ઝારખંડી પ્રધાન પોતાનાં સંતાનોને નાપાસ થતા કેવળ જોઈ રહ્યા. કમનસીબે તેમનું નામ રામ હતું. રામાયણ કાળમાં તો રામનાં સંતાનોએ પિતાજીની સામે શસ્ત્રો ઉઠાવેલાં. આ સંતાનોએ પોતે નાપાસ થયાં એ સામે આક્રોશ કઈ રીતે પ્રગટ કર્યો તેની વિગત જાણવા નથી મળી.

આ કિસ્સાને બીજી રીતે પણ જોઈ શકાય કે પ્રધાન હોવા છતાં વૈદ્યનાથ રામે છોકરાંઓને પાસ કરાવવાની કોઈ માથાકૂટ કરી ન હતી. પોતાના પદનો દુરૂપયોગ ન કર્યો. સત્તાના જોરે મહારાણી મિનળદેવીએ સામાન્ય પ્રજાજનની ઝૂંપડી પડાવી લીધી ન હતી. ઝારખંડના પ્રધાનને જનતા વધાવશે, એમના જણ્યા ભલે વખોડે. આ સંતાનના કાળા રિઝલ્ટની ઉજળી બાજુ છે. સંતાન માટેનો મોહ આપણા રાજકારણમાં જે રીતે છવાયેલો છે જે વ્યક્તિએ કદી કોઈ નગરપાલિકાનું પદ પણ શોભાવ્યું નથી. કોઈ ખાતાની કામગીરી મંત્રી બનીને દીપાવી નથી. એ પણ સીધા વડા પ્રધાન થઈ શકે. કોઈકના સંતાન હોવાને કારણે જ્યારે વૈદ્યનાથે કારકિર્દી ઘડવામાં કંઈ ન કર્યું. લાગે છે વૈદ્યનાથને કોઈ સારા ડોક્ટરની જરૂર છે.

વાઈડ બોલ

એક માણસે વજન ઘટાડવાનું તેલ ખરીદ્યું. રોજ તેલનો ઉપયોગ કરતો.

મિત્રે પૂછયું “ઘટયું ખરું?”

“હા, બાટલીનું વજન ઘટયું છે!” (સૂચિત)


આવાત અવળીગંગા જેવી જ ગણાય, પણ આ બીના બની છે. શિક્ષણપ્રધાનનાં સંતાનો નાપાસ થયાં એ વાતથી ઘણાં ચોંકી ગયા છે. એક ચોખવટ કરવી જરૂરી છે. આ શિક્ષણમંત્રી રમણભાઈ વોરાની વાત નથી, પણ આ કહાની છે ઝારખંડના શિક્ષણમંત્રી રામની રામાયણની. ઝારખંડના શિક્ષણમંત્રી વૈદ્યનાથ રામનાં સંતાનો નાપાસ થયાં છે.

આમ તો પ્રધાનપુત્રો નાપાસ થતા નથી. પ્રધાનનાં સંતાનો કે સત્તાધીશનાં સંતાનો સારા માર્ક મેળવે છે એ જાણીતી બાબત છે. ‘મેરે સૈંયા ભયે કોટવાલ અબ ડર કાહે કા.’ સૈયા કોટવાલ હોય એ બેફિકર હોય, એ જ તર્ક પ્રમાણે પ્રધાનોનાં સંતાનો નાપાસ થવાની ચિંતા કરતાં (જ) નથી. ‘મેરે પપ્પા ભયે મિનિસ્ટર મુઝે ડર કાહે કા’ એવું એ લોકો વિચારતા હોય છે. ઝારખંડ બિહારમાંથી છૂટું પડેલું રાજ્ય છે. પહેલાં તે બિહારનો ભાગ હતો એટલે આ વાત ઘણાને આઘાતજનક લાગે છે.

બિહારમાં સત્તાધીશોનાં સંતાનોનાં પરિણામો અત્યંત ઉજ્જવળ આવતાં, પણ નોંધનીય બાબત એ હતી કે જ્યારે તેમના વાલી સત્તા ઉપર હોય ત્યારે (જ) આ સંતાનો પરીક્ષામાં આકર્ષક પરિણામ લાવતાં. પપ્પા કે વાલી જેવા પદ ગુમાવે કે આ સંતાનો માર્કની સીડી ઉપરથી ગબડે. કેટલાંક વરસો પહેલાં સમાચારમાં આ બાબત ઉપર લખવામાં આવ્યું હતું કે, ‘માળા આ વિદ્યાર્થીઓ બાપના રાજમાં જ ઝળકે છે.’

પણ ઝારખંડના બનાવે સત્તાધીશોને લાંછન લગાડે તેવી બાબત બની છે. શિક્ષણપ્રધાનનાં સંતાનો જે નાપાસ થયાં છે એ કદાચ ગાતાં હશે, ‘બાપ બાપ ન રહા.’

ફિલ્મ ‘શક્તિ’ની યાદ આવે છે. દિલીપકુમાર ઉચ્ચ પોલીસ અધિકારી છે, પણ પોતાના પુત્ર અમિતાભ બચ્ચનને મદદ કરવાને બદલે આડે આવે છે. ‘શક્તિ’ ફિલ્મમાં દિલીપકુમારની દીકરાને મદદ કરવાની અશક્તિને બચ્ચન બરાબરની ચોપડાવે છે. “તુમ બાપ નહીં સિર્ફ પોલીસ હો.” પેલા ઝારખંડી પ્રધાનનાં સંતાનોએ પણ કદાચ કહ્યું હશે, “તુમ કેવળ પ્રધાન હો, પિતા નહીં...” બાકી સત્તાધીશ બાપ તો કેવા હોય? સંતાનો કહી શકે... એય લીલાલહેર છે. બાપની મહેર છે.

કેટલાંક વરસ પહેલાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ભોંસલે હતા. તેમના છોકરાને મેડિકલમાં પાસ કરાવવાનું કૌભાંડ તેમના નામે ચડેલું. છોકરાને મેડિકલમાં પાસ કરાવવામાં આપણા એક ગુજરાતી નાગર બ્રાહ્મણ જે મુંબઈના પ્રતિષ્ઠિત ડોક્ટર હતા તે ભરાઈ પડયા હતા એ યાદ છે. આપણા રાજ્યના એન્જિનિયર મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીએ પણ સંતાનની કેળવણીમાં બિનજરૂરી રસ લીધો હતો તેવો આક્ષેપ થયો હતો. ત્યારે ઝારખંડી પ્રધાન પોતાનાં સંતાનોને નાપાસ થતા કેવળ જોઈ રહ્યા. કમનસીબે તેમનું નામ રામ હતું. રામાયણ કાળમાં તો રામનાં સંતાનોએ પિતાજીની સામે શસ્ત્રો ઉઠાવેલાં. આ સંતાનોએ પોતે નાપાસ થયાં એ સામે આક્રોશ કઈ રીતે પ્રગટ કર્યો તેની વિગત જાણવા નથી મળી.

આ કિસ્સાને બીજી રીતે પણ જોઈ શકાય કે પ્રધાન હોવા છતાં વૈદ્યનાથ રામે છોકરાંઓને પાસ કરાવવાની કોઈ માથાકૂટ કરી ન હતી. પોતાના પદનો દુરૂપયોગ ન કર્યો. સત્તાના જોરે મહારાણી મિનળદેવીએ સામાન્ય પ્રજાજનની ઝૂંપડી પડાવી લીધી ન હતી. ઝારખંડના પ્રધાનને જનતા વધાવશે, એમના જણ્યા ભલે વખોડે. આ સંતાનના કાળા રિઝલ્ટની ઉજળી બાજુ છે. સંતાન માટેનો મોહ આપણા રાજકારણમાં જે રીતે છવાયેલો છે જે વ્યક્તિએ કદી કોઈ નગરપાલિકાનું પદ પણ શોભાવ્યું નથી. કોઈ ખાતાની કામગીરી મંત્રી બનીને દીપાવી નથી. એ પણ સીધા વડા પ્રધાન થઈ શકે. કોઈકના સંતાન હોવાને કારણે જ્યારે વૈદ્યનાથે કારકિર્દી ઘડવામાં કંઈ ન કર્યું. લાગે છે વૈદ્યનાથને કોઈ સારા ડોક્ટરની જરૂર છે.

વાઈડ બોલ

એક માણસે વજન ઘટાડવાનું તેલ ખરીદ્યું. રોજ તેલનો ઉપયોગ કરતો.

મિત્રે પૂછયું “ઘટયું ખરું?”

“હા, બાટલીનું વજન ઘટયું છે!” (સૂચિત)

આવાત અવળીગંગા જેવી જ ગણાય, પણ આ બીના બની છે. શિક્ષણપ્રધાનનાં સંતાનો નાપાસ થયાં એ વાતથી ઘણાં ચોંકી ગયા છે. એક ચોખવટ કરવી જરૂરી છે. આ શિક્ષણમંત્રી રમણભાઈ વોરાની વાત નથી, પણ આ કહાની છે ઝારખંડના શિક્ષણમંત્રી રામની રામાયણની. ઝારખંડના શિક્ષણમંત્રી વૈદ્યનાથ રામનાં સંતાનો નાપાસ થયાં છે.

આમ તો પ્રધાનપુત્રો નાપાસ થતા નથી. પ્રધાનનાં સંતાનો કે સત્તાધીશનાં સંતાનો સારા માર્ક મેળવે છે એ જાણીતી બાબત છે. ‘મેરે સૈંયા ભયે કોટવાલ અબ ડર કાહે કા.’ સૈયા કોટવાલ હોય એ બેફિકર હોય, એ જ તર્ક પ્રમાણે પ્રધાનોનાં સંતાનો નાપાસ થવાની ચિંતા કરતાં (જ) નથી. ‘મેરે પપ્પા ભયે મિનિસ્ટર મુઝે ડર કાહે કા’ એવું એ લોકો વિચારતા હોય છે. ઝારખંડ બિહારમાંથી છૂટું પડેલું રાજ્ય છે. પહેલાં તે બિહારનો ભાગ હતો એટલે આ વાત ઘણાને આઘાતજનક લાગે છે.

બિહારમાં સત્તાધીશોનાં સંતાનોનાં પરિણામો અત્યંત ઉજ્જવળ આવતાં, પણ નોંધનીય બાબત એ હતી કે જ્યારે તેમના વાલી સત્તા ઉપર હોય ત્યારે (જ) આ સંતાનો પરીક્ષામાં આકર્ષક પરિણામ લાવતાં. પપ્પા કે વાલી જેવા પદ ગુમાવે કે આ સંતાનો માર્કની સીડી ઉપરથી ગબડે. કેટલાંક વરસો પહેલાં સમાચારમાં આ બાબત ઉપર લખવામાં આવ્યું હતું કે, ‘માળા આ વિદ્યાર્થીઓ બાપના રાજમાં જ ઝળકે છે.’

પણ ઝારખંડના બનાવે સત્તાધીશોને લાંછન લગાડે તેવી બાબત બની છે. શિક્ષણપ્રધાનનાં સંતાનો જે નાપાસ થયાં છે એ કદાચ ગાતાં હશે, ‘બાપ બાપ ન રહા.’

ફિલ્મ ‘શક્તિ’ની યાદ આવે છે. દિલીપકુમાર ઉચ્ચ પોલીસ અધિકારી છે, પણ પોતાના પુત્ર અમિતાભ બચ્ચનને મદદ કરવાને બદલે આડે આવે છે. ‘શક્તિ’ ફિલ્મમાં દિલીપકુમારની દીકરાને મદદ કરવાની અશક્તિને બચ્ચન બરાબરની ચોપડાવે છે. “તુમ બાપ નહીં સિર્ફ પોલીસ હો.” પેલા ઝારખંડી પ્રધાનનાં સંતાનોએ પણ કદાચ કહ્યું હશે, “તુમ કેવળ પ્રધાન હો, પિતા નહીં...” બાકી સત્તાધીશ બાપ તો કેવા હોય? સંતાનો કહી શકે... એય લીલાલહેર છે. બાપની મહેર છે.

કેટલાંક વરસ પહેલાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ભોંસલે હતા. તેમના છોકરાને મેડિકલમાં પાસ કરાવવાનું કૌભાંડ તેમના નામે ચડેલું. છોકરાને મેડિકલમાં પાસ કરાવવામાં આપણા એક ગુજરાતી નાગર બ્રાહ્મણ જે મુંબઈના પ્રતિષ્ઠિત ડોક્ટર હતા તે ભરાઈ પડયા હતા એ યાદ છે. આપણા રાજ્યના એન્જિનિયર મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીએ પણ સંતાનની કેળવણીમાં બિનજરૂરી રસ લીધો હતો તેવો આક્ષેપ થયો હતો. ત્યારે ઝારખંડી પ્રધાન પોતાનાં સંતાનોને નાપાસ થતા કેવળ જોઈ રહ્યા. કમનસીબે તેમનું નામ રામ હતું. રામાયણ કાળમાં તો રામનાં સંતાનોએ પિતાજીની સામે શસ્ત્રો ઉઠાવેલાં. આ સંતાનોએ પોતે નાપાસ થયાં એ સામે આક્રોશ કઈ રીતે પ્રગટ કર્યો તેની વિગત જાણવા નથી મળી.

આ કિસ્સાને બીજી રીતે પણ જોઈ શકાય કે પ્રધાન હોવા છતાં વૈદ્યનાથ રામે છોકરાંઓને પાસ કરાવવાની કોઈ માથાકૂટ કરી ન હતી. પોતાના પદનો દુરૂપયોગ ન કર્યો. સત્તાના જોરે મહારાણી મિનળદેવીએ સામાન્ય પ્રજાજનની ઝૂંપડી પડાવી લીધી ન હતી. ઝારખંડના પ્રધાનને જનતા વધાવશે, એમના જણ્યા ભલે વખોડે. આ સંતાનના કાળા રિઝલ્ટની ઉજળી બાજુ છે. સંતાન માટેનો મોહ આપણા રાજકારણમાં જે રીતે છવાયેલો છે જે વ્યક્તિએ કદી કોઈ નગરપાલિકાનું પદ પણ શોભાવ્યું નથી. કોઈ ખાતાની કામગીરી મંત્રી બનીને દીપાવી નથી. એ પણ સીધા વડા પ્રધાન થઈ શકે. કોઈકના સંતાન હોવાને કારણે જ્યારે વૈદ્યનાથે કારકિર્દી ઘડવામાં કંઈ ન કર્યું. લાગે છે વૈદ્યનાથને કોઈ સારા ડોક્ટરની જરૂર છે.

વાઈડ બોલ

એક માણસે વજન ઘટાડવાનું તેલ ખરીદ્યું. રોજ તેલનો ઉપયોગ કરતો.

મિત્રે પૂછયું “ઘટયું ખરું?”

“હા, બાટલીનું વજન ઘટયું છે!” (સૂચિત)

19 June.2011

Tuesday, June 14, 2011

રામદેવનું મહાભારત...

‘‘બાબા રામદેવ આમ તો યોગગુરુ છે... એમણે શા માટે રાજકારણમાં રસ લેવો જોઈએ?” છગને પ્રશ્ન કર્યો : આવો જ પ્રશ્ન કપિલ સિબ્બલે કર્યો છે. દિગ્વિજયસિંહે પણ કર્યો છે. શા માટે રામદેવ રાજકારણમાં પડે છે?

“શું રામદેવને અધિકાર નથી?” પ્રતિપ્રશ્ન થાય છે.

“નથી જ” જવાબ આવે છે. એ માટે અમુક કુળમાં જન્મ હોવો જરૂરી છે. અમુક કુળમાં જન્મેલા જ વડા પ્રધાનપદ માટે લાયક હોય છે.

તિલકજીએ કહ્યું હતું. “સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક્ક છે” તેમ અમુક ખુરશીઓ પણ જન્મસિદ્ધ હક્કથી જ મળે છે. આપણા ઘણા પ્રધાનો, પ્રધાન છે, કારણ કે તેમના પિતા કોઈ કાળે પ્રધાનમંડળમાં હતા. રાજેશ પાયલોટના પુત્રને પ્લેન ઉડાડવું હોય તો લાઈસન્સ જરૂરી બને છે. પણ પ્રધાન થવા માટે રાજેશ પાયલોટના પુત્ર હોવું પૂરતું છે. અમરસિંહ ચૌધરી આમ તો એન્જિનિયર હતા. તેમના પુત્ર તુષાર ચૌધરીને પુત્ર હોવાને દાવે એન્જિનિયરની ડિગ્રી ન મળી. તુષાર ચૌધરી ડોક્ટર બન્યા, પણ તે માટે પ્રધાનની ખુરશી મેળવી. એ માટે કોઈ પરીક્ષા નહીં- અનુભવ નહીં. જન્મનું પ્રમાણપત્ર જ કાફી ગણાય. હવે એ બધા જ બાબા રામદેવના અધિકાર વિશે પ્રશ્ન કરે છે.

“પણ બોસ, બાબા પાસે કરોડોની સંપત્તિ છે.” છગને કોમેન્ટ કરી.

“વત્સ, ચૂંટણી વખતે જાહેર કરવી પડતી વિગતો અનુસાર આપણા ઘણા નેતાઓ કરોડોના સ્વામી છે, શું તે તેમની ગેરલાયકાત છે?”

“પણ... પણ...”

“શું બાબાએ એ કરોડો રૂપિયાની સંપત્તિ દાણચોરી કરી મેળવી છે?”

“ના...”

“શું એમની સંપત્તિ ગેરકાનૂની રીતે મેળવી છે?”

“ના એવું તો નથી. નહીંતર સરકારે તેની ઉપર જ પંજો નાંખ્યો હોત.”

“બાબા યોગ શીખવવાના ખૂબ જ ચાર્જ કરે છે.”

“શું કપિલ સિબ્બલ મફત કેસ લડે છે? એમની સંપત્તિ ભારે ફીથી જ મેળવેલી ગણાય ને!”

“મિત્ર, ગાંધીજી અને સરદાર પટેલ નામ અને દામ વકીલાતમાંથી કમાયા હતા. પછી દેશ અને સમાજના પ્રશ્નો પ્રત્યેની તેમની નિસબત રાજકારણમાં લઈ આવી. યોગગુરુ તે પણ દેશના પ્રશ્નો પ્રત્યે કે સામાજિક પ્રશ્નો પ્રત્યે નિસબત ન હોય?”

“પણ તેમની મહત્ત્વાકાંક્ષા મોટા રાજકીય પદની હેઠળ હોય એવું લાગે છે.”

“ગલીમાં ક્રિકેટ રમનારને પણ રાષ્ટ્રીય ટીમમાં રમવાનો અભરખો હોય છે. નસીબ અને શક્તિ હોય તો એને દોષ તમે આપશો?” દેશ સામે ખડા થયેલા વિકરાળ પ્રશ્નોને બાબા પોતાની રીતે રજૂ કરે છે,જુએ છે. હજારે પણ તેમની શૈલીથી દેશના પ્રશ્નો પ્રત્યે તેમની નિસબત વ્યક્ત કરે છે. કહે છે ઈન્દ્રાસન ડોલતું લાગે ત્યારે ઈન્દ્ર પોતાનું આસન બચાવવા અનેક પેંતરા કરતા એ અપ્સરાઓનો ઉપયોગ પણ કરતા. સત્તાવાળા તેમનું આસન બચાવવા નર્તકીઓને બદલે પોલીસના નૃત્યનો ઉપયોગ કરે છે.

સત્તાધીશો ગોર જેવા છે.એમનું તરભાણું ભરવા માટે કે સાચવવા માટે વર કે કન્યાનું કેટલું નુકસાન થાય છે તે જોતા નથી હોતા. રામદેવજી સાથે થયેલા વ્યવહારથી ગાંધીજી પણ બોલી ઊઠત ‘હે રામ’....

ગૂગલી

લોટરીની ટિકિટ ખરીદતો માણસ કે પત્ની સાથે દલીલબાજી કરતા માણસમાં કોઈ સરખામણી થઈ શકે? “લોટરી લેનારને જીતવાનો થોડાક ચાન્સ પણ ખરો. પત્ની સાથે દલીલબાજી કરનારને જરા પણ નહીં.”

Saturday, June 11, 2011

અમદાવાદી પ્રામાણિક-ઓનેસ્ટ છે... હા...

‘ઓનેસ્ટ’ મતલબ કે પ્રામાણિક! ઓનેસ્ટીના સ્પેલિંગમાં જ ભ્રષ્ટતા દેખાય છે. છગન કહે છે ઓનેસ્ટીમાં ની ઘૂસણખોરી ચોખ્ખી દેખાઈ આવે છે. એચની ઘૂસણખોરી સાથે બનેલા શબ્દને આપણે ‘ઓનેસ્ટ’ કહીએ છીએ.

ગુજરાતીમાં ‘ઓનેસ્ટી’ને પ્રામાણિકતા કહેવાય. આ શબ્દ લખવામાં મોટા ભાગના લોકો પ્રામાણિક નથી. મોટા ભાગના લોકો પ્રામાણિકતાને બદલે પ્રમાણિકતા કહે છે. પ્રવીણભાઈ પ્રામાણિક માણસ છે કહેવાને બદલે પ્રવીણભાઈ પ્રમાણિક છે એમ જ ઘણા ખરા કહે છે.

આ પ્રામાણિકતા યાને કે ઓનેસ્ટીની એક સ્ટોરી એક અંગ્રેજી ટેબ્લોઇડ અખબારે થોડાક દિવસ પહેલાં કરી અને તારણ કાઢયું અમદાવાદના માણસો જવાબદાર ‘ઓનેસ્ટ’ છે! આ છાપાંવાળાએ અમુક જગ્યાએ લોકોની પ્રામાણિકતા તપાસવાના પ્રામાણિક પ્રયાસો કર્યા હતા.

કૂતરા સામે થઈ જતા આ ભૂમિના સસલા જેવી અજીબો ઘટના અહીંયાં બને જ છે. બેન્કની લોનના હપ્તા ભરનાર રિક્ષા ડ્રાઈવર રિક્ષામાં ભૂલી ગયેલા બે-ત્રણ લાખ રૂપિયાના મોટી રકમના ચેક એના માલિકને પરત કરનાર અહીંયાં મળે છે. પૈસા પરત મેળવનાર રિક્ષાના યાત્રિક એક બિલ્ડર હતા. પેલો રિક્ષા ચલાવનાર ભાડાંના મકાનમાં પડયો છે. પૈસા પાછા મળવાથી રાજી થયેલા અને રિક્ષાવાળાની પ્રામાણિકતાથી પ્રસન્ન થયેલા એ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરે રિક્ષા ડ્રાઈવરને કહ્યું છે : “જા તને એક મકાનની સગવડ કરી આપીશ.” સિંદબાદ પણ આ બનાવથી રાજી થયો છે અને કહે છે : “દીકરા, મોટો થા પછી પરણાવીશું” એવું ન બને તો વધુ સારું.

બાકી માણસના મનમાં રૂપિયાના ત્રણ અડધા મળતા હોય તો મેળવવામાં રસ છે. એ મેળવવાના પ્રયાસમાં પ્રામાણિકતા અને છેતરપિંડીની ખૂબ જ નાજુક રેખા છે. પ્રામાણિકતાની કસોટી કરવામાં છાપાંના રિપોર્ટર્સ થોડીક નોટો આમતેમ રાખી દૂર બેસતા હતા. ઘણા ખરા લોકો એ પૈસા ઉપાડી તેના માલિક હોય તો આપવા પ્રયત્નમાં હતા.

હા, કેટલાક લોકો અપ્રામાણિક જણાયા હતા. એ તો એવું રહેવાનું જ કલમાડી પછી કોણ? એનો જવાબ તમને જડે એવા લોકો પણ છે જ. આ છાપાંવાળાએ તે લોકોની છાપ બગડે નહીં માટે લોકોનાં નામ છાપ્યાં ન હતાં અને જે લોકોએ ‘ઓનેસ્ટી’ બતાવી હતી તેમનાં નામ અને કામધંધાની માહિતી પણ આપેલી.

પ્રામાણિકતા-અપ્રામાણિકતા વચ્ચેની રેખાની વાત કરી, તે સંદર્ભે મિયાં ફૂસકીની વાત યાદ આવે છે. મિયાં રોજ પ્રાર્થના કરે મોટે મોટેથી “હે ખુદા, મને સો રૂપિયા આપજે, એક રૂપિયો ઓછો પણ નહીં કે એક રૂપિયો વધારે પણ નહીં. સો રૂપિયા મળે તો જ હું સ્વીકારીશ.”

તભા ભટ્ટે એક રૂમાલમાં નવ્વાણું (૯૯) રૂપિયા બાંધી મિયાં ફૂસકીની બારસાખે મૂક્યા. ખાતરી હતી કે મિયાં પ્રામાણિક છે એક રૂપિયો ઓછો હશે તો નહીં સ્વીકારે. મિયાંએ જોયું કે ઘરના ટોડલે રૂપિયાની ઢગલી છે. એમનું મન મોરની જેમ નાચી ઊઠયું. એમણે રૂપિયા ગણ્યા નવ્વાણું થયા. બે વાર ગણ્યા. નવ્વાણું જ થયા. તભા ભટ્ટ છુપાઈને ખેલ જોતા હતા. હવે મિયાં રૂપિયા નહીં લે મિયાં પ્રામાણિક છે જ, પણ મિયાં ફૂસકીની વિવેકબુદ્ધિએ પ્રકાશ પાડયો. “હે ખુદા, મેં સો માગ્યા હતા તેં નવ્વાણું આપ્યા, પણ સાથે આ રૂમાલ આપ્યો તેનો એક એક રૂપિયો તો ગણવો પડે ને! એટલે મારી માગણી હે ખુદા તેં પૂરી કરી જ છે.” મિયાં પૈસા લઈને ઘરમાં જતા રહ્યા. પ્રામાણિકતા-અપ્રામાણિકતા વચ્ચેની આ ભેદરેખા સમજાય તેને જ સમજાય. બાકી અમે અંગ્રેજી ટેબ્લોઇડના સંશોધનથી રાજી છીએ કે અમદાવાદ પ્રામાણિક લોકોનું નગર છે. ‘દિલ્હી કા ઠગ’ જેવી ઉક્તિ અમદાવાદ માટે નથી.

વાઈડ બોલ

જ્યોતિષીએ મને કહેલું કે, “તમે ર્મિસડિઝમાં ફરશો.” સાચું પડયું છે : “હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ર્મિસડિઝ સિટી બસમાં ફરું છું.”

Jun 11,2011

Wednesday, June 8, 2011

પાઘડી ઉછાળવાની બાબત

આ અમદાવાદની ભૂમિની પણ એક ખાસિયત છે. અહીંયાં ભલભલાની પાઘડી ઊછળી છે. સ્વામી અગ્નિવેશ એ તાજેતરનો કિસ્સો ગણાય. આ ભૂમિ ઉપર અહમદશાહ બાદશાહના બહાદુર કૂતરાની પાઘડી પણ એક સસલાએ ઉછાળી હતી. હું જાણું છું કે, કૂતરાંઓ પાઘડી નથી પહેરતા. આ તો અલંકારિક ભાષામાં કૂતરાંની પાઘડી ઊછળી એમ કહેવાય.

પાઘડી ઉછાળવાની વિધિથી જ અમદાવાદની શરૂઆત થઈ એમ કહી શકાય.

ઇન્દિરાજી જ્યારે કોંગ્રેસનાં પ્રમુખ હતાં ત્યારે તેમની ઉપર ચંપલ પણ અમદાવાદમાં ફેંકાયાં હતાં. આ પણ પાઘડીઊછળ ચેષ્ટા હતી.

ત્રીસ-ચાલીસ વર્ષ પહેલાં એક મુસ્લિમ મહિલા નામે કીડવાઈ જનસંઘમાં જોડાયાં હતાં. ખાડિયા વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તેમની સભા ઢાલગરવાડમાં રાખવામાં આવી હતી. તે વખતે સભાસ્થળ મંચ તરફ કેટલાક લોકોએ પથ્થર ફેંક્યા હતા. એ વખતે ખાડિયાના યુવાનોએ ઢાલગરવાડમાં ફોલ્ડિંગ ખુરશીની ઢાલ બનાવી એ પથ્થરમારાથી મંચસ્થ લોકોનો બચાવ કરેલો. આ પણ પાઘડીઉછાળની ઘટના જેવી વાત થઈ.

મહાગુજરાતની ચળવળ વખતે પ્રબોધ રાવલ ખૂબ જ ઉશ્કેરાયેલા, જનતાના નેતા તરીકે તેઓ આ આંદોલનમાં ઊભરી આવેલા. લાલ દરવાજે ભાષણમાં તેમણે કંઈક ભાંગરો વાટયો. લોકો ઉશ્કેરાયા. પ્રબોધ રાવલ લોકોના રોષથી બચવા ભાગ્યા. વિક્ટોરિયા ગાર્ડનથી નદીના રસ્તે અત્યારે જ્યાં રિવરફ્રન્ટ થઈ રહ્યો છે ત્યાં લોકો તેમની સામે ફ્રન્ટ થઈ ગયા. એમનો ઝભ્ભો પ્યાલા-બરણીમાં પણ ન ચાલે એવો થઈ ગયો. કુત્તા-સસ્સાની આ ભૂમિ ઉપર આવા ઘણાં કિસ્સા મળી આવશે. તાજેતરમાં સ્વામી અગ્નિવેશની અગ્નિપરીક્ષા થઈ ગઈ લાલ દરવાજા પાસે જ. બીજા એક સ્વામી નિત્યાનંદે અગ્નિવેશની પાઘડી ઉછાળી એકાદ લપડાક પણ મારી. આ બે સ્વામી બાખડી પડયા. આપણી સમાજરચનાની આ કમાલ છે. આ પ્રકારના સ્વામીઓ કુંવારા સ્વામી હોય છે. સ્વામી ખરા પણ પરણેલા નહીં.

મંચ ઉપર નિત્યાનંદે આનંદથી અગ્નિવેશની પાઘડી ખેંચી, લપડાક મારી તે સભામાં ‘બુદ્ધિજીવીઓ’નું ટોળું હતું. એ બુદ્ધિજીવીઓની બુદ્ધિ પણ બહેર મારી ગઈ. સાવ અચાનક કેમ આમ થયું?

પછી વાત બહાર આવી કે સ્વામી અગ્નિવેશે હિંદુઓની પરમ આસ્થાના કેન્દ્ર અમરનાથ લિંગ ઉપર અઘટિત ટીકા કરી હતી. છગન કહેતો હતો આપણે ત્યાં તમારે ચમકવું હોય તો હિંદુ ધર્મની કોઈ બાબત ઉપર ટીકા કરો. અગ્નિવેશજીએ કહેલું કે, અમરનાથમાં ભગવાન જેવું હોતું નથી. એ તો કેવળ એક બરફનો ઢગલો છે. આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ પણ ‘રામશીલા’ની પૂજા કરતાં લોકોની ટીકા કરતાં કહેલું એ તો ઇંટનું ઢેફું છે. પછીની ચૂંટણીમાં એમની સરકારની હાલત ઢેફા કરતાં પણ બદતર થયેલી.

આ બધાં બુદ્ધિજીવીઓ અન્ય કોઈ ધર્મની નકારાત્મક વાત કરવાની હિંમત નથી કરતાં. નહીંતર તેમના નામ પાછળ ગમે તેટલી ડિગ્રી હોય, પણ નામની આગળ ‘સ્વ.’ લખાઈ જાય. અગ્નિવેશજીને ખ્યાલ ન હતો કે, તેમની પીટાઈ થઈ શકે છે. હવે એમનો અગ્નિ ટાઢો થઈ ગયો છે. ઢીલીપોચી સ્પષ્ટતા કરવા માંડયા છે.

સિંદબાદ કહે છે આ પણ સાચી બાબત છે, કોઈ પણ લલ્લુપંજુ મારા ધર્મની ટીકા કરે તે ન ચલાવું.

ગૂગલી

‘કાળા માથાનો માનવી કંઈ પણ કરી શકે છે.’

અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદીને જોયા પછી સિંદબાદ કહે છે ‘ધોળી દાઢીવાળો કંઈ પણ કરી શકે છે.’

Jun 07,2011

Saturday, June 4, 2011

નિવેદનરત્ન નેતાઓ


કેટલાક નેતાઓ અને પ્રધાનો તેમનો પગાર વસૂલ થાય તે માટે મનોરંજક કે વિવાદાસ્પદ વિધાનો કરતાં હોય છે. કોઈ એક સમયે કેન્દ્રમાં રાજનારાયણ હતા કે મણિલાલ બાગચી હતા. (હિન્દીમાં વની જગ્યાએ બ વપરાય છે) એ લોકો એકલે હાથે લોકસભા માથે લઈ શકતા હતા.

આપણા રાજ્યમાં છબીલદાસ મહેતા હતા. તેમનાં વિધાનોથી મનોરંજન અને વિવાદ બંને પીરસી શકતા.

થોડીક જ ઓવર રમી શશી થરૂર વિદાય થઈ ગયા. (યે કૈસી બિદાઈ, એવું ગીત તેમને વિદાય કરવામાં આવ્યા ત્યારે બેકગ્રાઉન્ડમાં વાગતું હતું). તેમણે વિમાનના ઇકોનોમી ક્લાસને ઢોર કા ડિબ્બા કહ્યો હતો. એનાથી એમને ઘણી પ્રસિદ્ધિ મળી હતી. જોકે પદ ગુમાવ્યું હતું. પ્રસિદ્ધિરૂપી ગઢ તેમણે મેળવ્યો હતો, પણ પદરૂપી સિંહ ગુમાવ્યો તેમ કહી શકાય.

આપણા બીજા એક પ્રધાન છે રમેશ જયરામ. એ પણ અવારનવાર મેદાનમાં બાઉન્સર ઉછાળે છે અને ચીયર્સ લીડર્સ તરફથી ‘એપલાઉઝ’ યાને કે ખુશીની અભિવ્યક્તિ મેળવે છે.

રમેશજી આમ તો પર્યાવરણમંત્રી છે. તેમનું એક કાર્ય પર્યાવરણ સુધારવાનું છે, પણ તેમના તાજેતરના એક નિવેદનથી સામાજિક પર્યાવરણ ડહોળાઈ ગયું છે. તેમણે કહ્યું, આપણી ખૂબ જ પ્રતિષ્ઠિત આઈઆઈએમ-આઈઆઈટી વિશે. તે બાર વરસે બોલતા બાવા જેવું વિધાન હતું. તેમણે કહ્યું, આઈઆઈટી-આઈઆઈએમના અધ્યાપકો ઠીક છે, પણ તેમની કક્ષા બહુ સારી કે વિશ્વકક્ષાની નથી. આઈઆઈએમના અધ્યાપકો વિશે તેમણે પોતાનો નિર્ણય જાહેર કર્યો. ટેસ્ટ મેચમાં નિર્ણય આપતા અમ્પાયરોની નિમણૂક કરતી વિશ્વ કક્ષાની ક્રિકેટ સંસ્થા જે તે વ્યક્તિની ક્ષમતા જોયા પછી જ નિર્ણય કરવાની સત્તા આપે છે. પણ આપણા નેતાઓ છાશવારે નિર્ણયો આપે રાખે છે તેની ક્ષમતા વિશે કોઈ ધારાધોરણ નક્કી નથી થયાં એટલે નેતાઓ ફાવે તેવાં નિવેદનો કરે છે. વાણી જયરામ નામની પાર્શ્વગાયિકાએ (‘બોલે રે પપૈયા...’વાળી) પોતાના કંઠથી ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી છે. જ્યારે રમેશ જયરામ એમના શબ્દોથી ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે.

જોકે, જયરામનાં વચનોથી હોબાળો મચ્યો છે. જેમ સુષમા સ્વરાજની ટિપ્પણીથી થયો છે તેમ. આપને યાદ હશે કે, કર્ણાટકના પ્રધાનમંડળની રચના અંગે સુષમાજીએ અરુણ જેટલીની ટીકા કરી છે. છગનને ત્યારે નવાઈ લાગી હતી. પોતાના જ પક્ષના નેતાની ટીકા કરવાની? આ તો કૌટુંબિક મામલા જેવું થયું કહેવાય. ઘણી વાર છોકરો બગડી ગયો હોય ત્યારે પિતા, માતાને દોષ આપે છે. ‘તેરે લાડ ઔર પ્યાર ને ઉસે બિગાડ દિયા હૈ.’ અથવા વહુ સાસુને કહે છે, તમે મારા છોકરાની ટેવો બગાડી રહ્યાં છો. આ બધે ચાલતું જ હોય છે. આ કૌટુંબિક બાબત ગણાય. કુટુંબના સભ્યો કોના કારણે અનર્થ થયો એ બાબતે એકબીજા ઉપર દોષારોપણ કરતાં હોય છે. આથી તેઓ કુટુંબના સભ્યો મટી જતા નથી. આવું તો કુટુંબોમાં ચાલતું જ હોય છે.

રમેશ જયરામે જે નિવેદન કર્યું તેનાથી પક્ષના સભ્યોને કાંઈ અડતું ન હતું, પણ આઈઆઈએમના ધુરંધર અધ્યાપકોની એ તૌહીન હતી. સિંદબાદ કહે છે કે, એ અધ્યાપકોનું લેવલ ન હોય તો આ નેતાઓનાં લેવલ કેવાં છે? આ જયરામ રમેશે અગાઉ પદવીદાન સમારંભમાં પહેરાતા ગાઉનની મજાક ઉડાવી હતી. એમણે દીક્ષાંત પ્રવચન વખતે ગાઉનનો ગોટો વાળી ફેંકી દીધું હતું અને કહ્યું, “આ બધું ગુલામીની નિશાની છે”. (એ એમણે આપણી ભાષામાં નહીં, પણ અંગ્રેજીમાં કહ્યું હતું). આઈઆઈએમના અધ્યાપકો વિશેની ટિપ્પણીથી નારાજ કે અસંમત લોકો ‘થર્ડ અમ્પાયર’નો અભિપ્રાય માગી શકે કે નહીં ? ક્રિકેટમાં અમ્પાયરના નિર્ણયથી અસંમત થનારની તસલ્લી માટે ‘થર્ડ અમ્પાયર’ની વ્યવસ્થા છે તેમ આવા ઉટપટાંગ નિવેદનો કરનાર સામે પણ ‘થર્ડ અમ્પાયર’ના અભિપ્રાય લેવાની પ્રથા દાખલ કરવા જેવી છે.

બાકી વિદ્વાનો કે કલાકારોના લેવલ અંગે ભ્રષ્ટ શાસનનો ભોગ બનેલા નેતાઓ નિવેદન કરે કે સંસદમાં ધમાચકડી કરનારા ધાંધલ ધમાલ કરનારા આવા દોઢડહાપણ કરે તો શેતાન ક્વોટ્સ બાઈબલ જ કહેવાય ને!

વાઈડ બોલ

કાળો રંગ અશુભ મનાય છે, પરંતુ બ્લેક બોર્ડ વિદ્યાર્થીઓને બ્રાઈટ બનાવે છે.

Jun 04,2011

Tuesday, May 31, 2011

જીવતો કસાબ કરોડોનો

‘અગિયાર કરોડ કોને કહેવાય? ‘ સિંદબાદે સવાલ કર્યો. ‘અગિયારની પાછળ સાત મીંડાં લાગે ત્યારે અગિયાર કરોડ થાય છે, પણ તું કેમ મૂંઝાય છે ?’

‘બોસ, મારો ભાઈ વરસે દોઢ લાખ કમાય છે. આટલું ભણ્યા પછી, તેની આ સરેરાશ જોતાં તેની જિંદગીમાં તે ચાલીસ-પચાસ લાખ માંડ કમાઈ શકે, જ્યારે એક હત્યારા આતંકવાદીને સાચવવા અગિયાર કરોડ ખર્ચાઈ ગયા છે!’

સ્વાભાવિક હતું કે સિંદબાદ કસાબની વાત કરી રહ્યો હતો.

‘સિંદબાદ, કસાબને ફાંસી આપ્યા પછી આ ખર્ચ બંધ થઈ જશે.’

‘જોક સારી છે.’

‘તને જોક લાગે છે?’

‘હાસ્તો, હજી તો કેટલી અપીલો થશે અને છેવટે રાષ્ટ્રપતિ મેદાનમાં આવશે.’

‘એટલે?’

‘એટલે કે માર દીયા જાયે કે છોડ દીયા જાયે તે નક્કી કરવા માટે રાષ્ટ્રપતિને દયાની અરજી થશે.’

‘પછી?’

‘રાષ્ટ્રપતિની કુળ રીતી સદા ચલી આઈ, ની રેકર્ડ શરૂ થશે,એ રેકોર્ડ બ્રેક નહીં થાય પણ વાગ્યા જ કરશે. ‘

‘એટલે?’

‘એટલે કે દરમિયાન રાષ્ટ્રપતિઓ બદલાયા કરશે, પણ રાષ્ટ્રની નીતિ નહીં બદલાય, કસાબની ફાંસીની સજા કાયમ રાખવાનું નિમિત્ત કયા રાષ્ટ્રપતિ કે કેટલામા રાષ્ટ્રપતિ બનશે તે નક્કી કરવા ભલભલા જ્યોતિષીઓ પણ પાછા પડે.’

‘ખરેખર?’

‘હા, ‘વક્ત’ ફિલ્મનો સંવાદ હતો કે કપ અને હોઠ વચ્ચે ઘણું અંતર હોય છે આ દરેક ‘વક્ત’માં લાગુ પડે છે એ સંવાદને જરા ફેરવીને કહી શકાય કે ગળા અને ફાંસીના દોરડા વચ્ચે ઘણું અંતર છે.’

‘લાગે છે ખરું.’

‘હા,ગળું પણ છે ફાંસીનું દોરડું પણ છે, પણ તેનો મિલાપ ક્યારે થશે? ફાંસીનું દોરડું કસાબના ગળાને ક્યારે ગળે મળશે તે કોઈ જાને ના.’

આપણા દેશમાં અનેક ટીવી ચેનલો છે. છગનની આગાહી છે કે ‘ચેનલ વન’માંથી કોઈ એકાદ ચેનલ કસાબકથા ઉપર એકાદ વિશેષ કાર્યક્રમ ભવિષ્યમાં રજૂ કરશે.’

‘એ કેવો કાર્યક્રમ હશે?’

‘શરૂમાં બતાવશે કે કસાબને પકડયો ત્યારે તે કેવો લાગતો હતો તેના ક્લિપિંગ રજૂ કરવામાં આવશે. પછી દરેક વર્ષના તેના ફોટા અને ક્લિપિંગ બતાવવામાં આવશે. કોર્ટમાં ચાલતી ટ્રાયલના ફોટા ક્લિપિંગ દેખાડશે.’

‘પછી?’

‘પછી જુદા જુદા રાષ્ટ્રપતિઓના ફોટા હશે જેના ગાળામાં કસાબની દયાની અરજીઓ આવી હશે તે હશે. ૧૯૧૫માં કસાબ કેવો હતો- ૧૯૨૦માં કસાબ કેવો લાગતો હતો. છેવટે એકાદ દિવસે તે કુદરતી મોતે મરી જશે. દિગ્વિજયસિંહ કુળના કોઈ નેતા કહેશે ‘ આ ભારતની લોકશાહી ન્યાય પ્રણાલિકાનો વિજય છે. અમે એમને એમ કસાબને લટકાવી નથી દીધો એને પૂરતી તક બચાવ માટે આપી છે. છેવટે ‘કસાબજી’ કંટાળીને ગુજરી ગયા.

અત્યારે ધોળકામાં મલાવ તળાવ ન્યાયના પ્રતીક તરીકે લોકોને બતાવવામાં આવે છે. ભવિષ્યમાં આર્થર રોડની કોટડી બતાવાશે. જ્યાં ન્યાય સાચવવા સેંકડો માણસને શહીદ કરનાર પાછળ કરોડો રૂપિયા શહીદ થયા મતલબ કે વપરાઈ ગયા.

‘સત્યમેવ જયતે’ની જેમ સૂત્ર પ્રચલિત થશે

‘હણો આતંકવાદને, ન હણો આતંકીને’

ગૂગલી

‘હાથમાં કરોડો રૂપિયા, અને પાછી પત્ની જેલમાં, કનિમોઝીના પતિને અત્યારે જલ્સા જ જલ્સા છે’ અનુપમ ખેરે કહ્યું:

અનુપમ ખેરની પત્નીએ આ જાણ્યું એટલે કહ્યું ‘આવવા દો અનુપમને ઘેર આજે તેની ખેર નથી.’

May 31,2011

Saturday, May 28, 2011

દેશ કામરૂ દેશ બની રહ્યો છે

જૂની કથાઓમાં કામરૂ દેશનો ઉલ્લેખ આવતો હતો. ત્યાં સદા સ્ત્રીઓ રાજ કરે.

થોડાક વખત પહેલાં એક સર્વે થયો હતો. “ઓફિસમાં વુમન બોસ હોય તો તમને કેવું લાગે?”

એક કર્મચારીએ જવાબ આપેલો. “ઘર જેવું લાગે, ઘરે પણ વુમન બોસ. ઓફિસમાં પણ વુમન બોસ!”

લાગે છે જૂની કથાઓમાં આવતી કામરૂ દેશની વાત આકાર લઈ રહી છે આપણા દેશમાં. તાજેતરની ચૂંટણીઓમાં દેશને વધુ બે મુખ્યમંત્રી તરીકે મહિલાઓ મળી છે.

દેશના સૌથી મોટા રાજ્યનાં મુખ્યમંત્રી માયાવતી તો છે જ. શીલાકી જવાનીમાં તો નહીં પણ બૂઢાપામાં શીલાજી દિલ્હી જેવા અતિ મહત્ત્વના રાજ્યમાં શાસન કરી રહ્યાં છે.

ભારતના વડા પ્રધાન ભલે સ્ત્રી ન હોય પણ, સ્ત્રી જ વડાપ્રધાન ગણાય તેવું છે. કાનૂનમાં કહેવું હોય તો કહી શકાય કે, ‘ડીફેક્ટો’ વડા પ્રધાન સોનિયાજી છે તેમ સિંદબાદ કહે છે. વિરોધપક્ષમાં નેતા તરીકે સુષમા સ્વરાજનું રાજ ચાલે છે.

તાજેતરની ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારે એક મિત્રે એસએમએસ કરેલો, “તામિલનાડુમાં અમ્મા આવ્યાં છે, તો બેંગાલમાં દીદી આવ્યાં છે. યુપીમાં બેનજી છે તો દિલ્હીમાં આન્ટીજી છે, કેન્દ્રમાં મેડમ છે. વિપક્ષમાં સ્વરાજ ઈશારત છે. ઘરમાં પત્નીઓનું રાજ છે જ હવે સ્ત્રીના રાજમાં આપણે છીએ.”

આમ પણ મહિલાઓનું આધિપત્ય છે જ. જન્મ થાય ત્યારે, તે જ ઘડીએથી માતાના શાસનમાં. આપણે સ્કૂલનાં પ્રારંભના દિવસોમાં મહિલા શિક્ષિકાઓના પ્રભાવ હેઠળ રહેવાનું. ઘરમાં બહેન હોય તો તે તમારી ઉપર રોફ મારે. કાળક્રમે તમે મોટા થાવ અને પરણો પછી પત્નીશાસન હેઠળ તમે આવી જાવ. પછી તમારાં સંતાન મોટાં થાય એ પરણે તમારા માથે પુત્રવધૂનું શાસન આવી જાય. આમ મહિલાઓના શાસનમાં તમે. હા, સરકારો બદલાયા કરે, પહેલાં માતાની સરકાર, પછી પત્નીની સરકાર પછી પુત્રવધૂની સરકાર એમ ચાલ્યા કરે. સરકાર મહિલાઓની છે તમે કેવળ રૈયત છો, એમાં પણ મહિલા જાગૃતિ મંડળો છાશવારે પુરુષોની જોહુકમીના દાખલાઓ આપે. અને એ રીતે પુરુષોના માથે મત્સ્યસ્નાન કરાવે.

હવે આ લોકો મહિલા અનામતના બિલની માગણી કરી રહ્યા છે. લાગે છે કે તમને એની જરૂર? મહિલા અનામત બિલ આવે તો લોકસભા, વિધાનસભાને રાધાસભા કહેવી પડશે તેવી સ્થિતિ આવશે.

કહેવત છે કે ‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે.’ આ વાત ઇન્દિરાજીને જરૂર લાગું પડે કે તેમણે રાજીવ - સંજયનું પારણું ઝુલાવ્યું હતું. પણ માયાવતી કે મમતા દીદી અને જયલલિતા અમ્માએ કોઈનું પારણું ઝુલાવ્યું નથી, પણ શાસન કરે છે. આ મહિલાઓને પતિ છે જ નહીં એટલે સંતાનનું પારણું ઝુલાવવાનો પ્રશ્ન થતો નથી.

આપણા ધર્મમાં પણ મહિલાઓ છવાયેલી છે. દેવોની સાથે ઘણી સંખ્યાઓમાં દેવીઓ પણ આપણી પાસે છે. બીજા કોઈ ધર્મમાં આવું નથી. દેવીઓના પ્રભાવ કેવા છે? તે જાણવું હોય તો ભિન્નમાલ (રાજસ્થાન)માં ગોત્રદીઠ એક એક દેવી માતાનું સ્થાપન થયેલું છે.

હિન્દુ ધર્મની ફિલોસોફીના અભ્યાસી વડોદરાના ડો. સત્યવ્રત પટેલે લખ્યું હતું કે, ‘માતા કાલિકા એક્સપ્રેસ ધ વોરિયર મૂડ ઓફ મધર.’ (કાલિકા માતા, માતાનો યોદ્ધા તરીકેનો ભાવ પ્રગટ કરે છે).

આપણા મહિલા નેતાઓ પણ અલગ અલગ મૂડ પ્રગટ કરે છે. જયલલિતા અમ્મા, મહિલાઓનો લક્ઝુરિયસ મૂડ પ્રગટ કરે છે. તેમના વોર્ડમાં દસ હજાર સાડીઓ છે. (વોર્ડરોબનો પણ કેવો રોબ?) આટલી બધી સાડીઓ તો ઘણા ખરા સ્ટોર્સમાં પણ ન હોય. એ ઉપરાંત સાતસો પગરખાં! જૂતાં બજારની દુકાન લાગે. અમ્માનાં ઘરેણાંઓ જોતાં લાગે પૂરું ઝવેરી બજાર ઘરમાં આવી ગયું છે.

અમ્મા સામે દીદીની વાત કરો તો મમતાદીદી પાસે સાત જોડી પણ પગરખાં નહિ હોય. એકાદ બે જોડી સ્લીપર જ હશે. જયલલિતાની સાડીઓ અને મમતાદીદીની સુતરાઉ સાડી કોઈ હોસ્પિટલની આયા પહેરે તેવી ગણાય. દુર્ગા, કાલિકા, સરસ્વતી માતાઓમાં જેવી વિવિધતા છે તેમ આ મહિલા નેતાઓમાં પણ છે.

વાઈડ બોલ

‘તેરી દો ટકીયાકી નોકરી, મેરા લાખ્ખો કા સાવન જાય રે...’

‘અરે બહેન, તમે જેને દો ટકીયાની નોકરી કહો છો તેના કારણે જ તમારા એ હોમલોનની બાર ટકાવાળી લોનના હપ્તા ભરી શકે છે.’

May 29,2011

Wednesday, May 25, 2011

ભારત તો આતંકવાદીઓનું સ્વર્ગ!

આપણે પાકિસ્તાનને ‘મોસ્ટ વોન્ટેડ’ ગુનેગારોની યાદી આપી તેવા એક ‘વજહૂલ કમર’નું નામ આપણે આપ્યું છે. પાકિસ્તાનને નામ આપતા તો આપી દીધું પછી ખબર પડી કે આ વજહૂલભાઈ તો થાણામાં જલસા કરે છે. સત્તાધીશોને પછી ખ્યાલ આવ્યો કે ‘હાય - હાય યે ક્યા કર બૈઠે ગોટાલા’.

આપણે કહ્યું વજહૂલભાઈ પાકિસ્તાનમાં છે. વજહૂલભાઈને સોંપવાને બદલે થાણા પાકિસ્તાનને આપી દો તેમ પાકિસ્તાનવાળા કહેશે તમે જ કહો છો કે વજહૂલ પાકિસ્તાનમાં રહે છે.લાવો થાણા અમને આપી દો.

દેશના ગૃહપ્રધાન આને માનવીય ભૂલ કહે છે. ગાંધીજી હોત તો આને ‘હિમાલય બ્લન્ડર’ કહેત. પણ એ નથી એટલે માનવીય ભૂલ તરીકે ચાલી ગયું.

આપણે કહ્યું કે વજહૂલ પાકિસ્તાન જતો રહ્યો છે. ત્યારે વજહૂલે અંડરવર્લ્ડની ભાષામાં જ કહ્યું, ‘બાપ, અપૂન તો ઈધર હી હૈ’.

સિંદબાદ કહે છે કે જો વજહૂલ આતંકવાદી હોય તો શા માટે પાકિસ્તાન જાય! જો તે પાકિસ્તાન જતો રહ્યો હોત તો તે તેની માનવીય ભૂલ ગણાત. અથવા આતંકવાદીય ભૂલ ગણાત.

‘એમ!’

‘હા બોસ ભારત તો આતંકવાદીઓનું સ્વર્ગ ગણાય છે.’

‘સિંદબાદ, ભારતને તું આતંકવાદનું સ્વર્ગ ગણે છે?’

‘બિલકુલ બરાબર તો સાંભળ્યું છે, આતંકવાદીઓને અહીંયાં જે સુખ મળે તે ક્યાંય ન મળે. ફાંસીની સજા થાય પણ મોત ન મળે’.

‘આજે નહીં તો કાલે ફાંસી થશે’

‘વો કલ કબ આયેંગી... ગાયા કરો’.

‘સિંદબાદ નિરાશાવાદી નથી’

‘બોસ, આતંકવાદીઓ આ સમજે છે. લાદેન પાકિસ્તાનમાં રહ્યો તો માર્યો ગયો, ભારતમાં હોત તો જલ્સા કરતો હોત, પેલા મેમણબંધુઓ પણ આ સમજતા હતા એટલે તો તેઓ બોંબધડાકા કરીને પાકિસ્તાન જતા રહ્યા હતા, પણ ભારત પાછા આવી ગયેલા’.

‘હા એ ખબર છે’

‘બોંબ ફેંક્યા પછી ભારત પરત કેમ આવી ગયા? એનો કોઈ તર્ક છે?’

‘સમજ નથી પડતી’

‘બોસ, સમજ ન પડવી એ તમારી માનવીય નબળાઈ છે. એ લોકોને ખબર છે કે જે સુખચેન આતંકવાદીઓને ભારતમાં છે તે ક્યાંય નથી. પાકિસ્તાનમાં થયેલ લાદેનના એન્કાઉન્ટર અંગે કોઈ મોટો વિવાદ નથી. પણ સોહરાબુદ્દીનને મારનારની કેવી બૂરી વલે થઈ રહી છે?’

વિચાર કરો બોંબ બ્લાસ્ટના અપરાધી વજહૂલ જામીન ઉપર છે. જ્યારે રાજ્યના ગૃહપ્રધાનના જામીન રદ કરવા માટે સરકાર આકાશ પાતાળ એક કરી રહી હતી.

‘હા એ વાત પણ ખરી’

‘એટલે વજહૂલ કમરે વિચાર્યું કે મારે કયા દુઃખે પાકિસ્તાન જવું? કરોડોનો ધુમાડો જેની પાછળ થાય છે તે કસાબ કદાચ કુદરતી મોતે મરશે ત્યાં સુધી ફાંસી નહીં થાય. મેરે દેશ કી ધરતી... સોના ઉગલે... એકે ૪૭ ફૂટલે... જયહિંદ....’

ગૂગલી

‘પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ના સંભવિત નવા વડા, આપણા ફિલ્મી કલાકાર સૈફ અલીના કાકા થાય છે’.

‘કાકાનું ઘર કેટલે? બોંબ ફૂટે એટલે!’

May 24,2011

રડકણા નેતા


આપણને અનેક પ્રકારના નેતાઓ મળ્યા છે. અનેક વિભાગમાં તેમને વહેંચી શકાય. કેટલાક નેતા કરડકણા હોય તો કેટલાક રડકણા પણ હોય.

નેહરુજીનો કિસ્સો હતો, ત્યારે કહેવાતું કે લાઈટના થાંભલાને પણ નેહરુના નામે મત મળી જાય અને ચૂંટાઈ આવે. નેહરુજીના ચહિતા સાથી હતા કૃષ્ણ મેનન. આ કૃષ્ણ મેનન ભારતના સંરક્ષણ પ્રધાન પણ હતા. તે કરડકણા હતા. વડચકા કાયમ ભરતા હોય. શેક્સપિયરની શૈલીમાં કહી શકાય -તોછડાઈ તારું બીજું નામ કૃષ્ણ મેનન છે. ભારતના લશ્કરના મોટા મોટા જનરલો સાથે તે ઉદ્ધતાઈથી પેસ આવતા. એ વાત એક એડમિરલે ‘અનટોલ્ડ સ્ટોરી’માં કહી છે. એ પુસ્તકની વાતોથી ફલિત થતું હતું કે ભાષા ઉપર જબરદસ્ત પ્રભુત્વ ધરાવનાર કૃષ્ણ મેનન બીજાને મગતરાં જ સમજતા. પણ આ દેશને મળેલા એક નબળા સંરક્ષણ પ્રધાન હતા. મેનનમાં શત્રુઓ ઊભા કરવાની ગજબની શક્તિ હતી. ચીન સામે આપણને મળેલી પછડાટ મેનનનીતિનું પરિણામ હતું. તેમ છતાં નેહરુ એમને છોડવા તૈયાર ન હતા. તે વખતે નેહરુના મેનનપ્રેમ માટે એક સરસ શબ્દ શ્યામપ્રસાદ મુખરજીએ ‘કોઈન’ કર્યો હતો કે કદાચ પાછળથી અટલબિહારી વાજપેયીએ વાપર્યો હોય - પણ નેહરુના મેનનના લગાવ માટે ત્યારે એમણે કહેલું કે નહેરુને ‘મેનન-જાઈટિસ’ થયો છે. ચીન-યુદ્ધ પછી કરડકણા મેનનનો અંત આવ્યો.

થોડાક દિવસ પહેલાં નેહરુજીનો એક ફોટો છપાયો હતો. તેમની સાથે એક નેતા દેખાતા હતા, તે હતા સત્યનારાયણ સિંહા. તેમને તમે રડકણા નેતા કહી શકો. સિંહાસાહેબ દરેક પ્રધાનમંડળમાં હોય જ. સદા અત્તરથી તેઓ મઘમઘતા હોય. સેન્ટના દરિયામાં નાહ્યા હોય તેમ ‘પરફ્યુમ’નો ઉપયોગ કરતા. (પરફોર્મન્સ કરતાં પરફ્યુમથી આકર્ષક થવું સહેલું છે તે સત્ય, સત્યનારાયણ જાણતા હતા!)

પછી આવ્યું ઇન્દિરાજીનું શાસન. તેમણે કેટલાક પ્રધાનોને ડ્રોપ કરવા નિર્ણય કર્યો. ક્રિકેટની ભાષામાં કહીએ તો ‘રેસ્ટ’ આપ્યો. તેમાં સત્યનારાયણ સિંહાનો નંબર હતો. કેબિનેટની યાદી તૈયાર થઈ તેમાં સિંહાજીનું નામ નહીં. સિંહાજીએ તો સોગંદવિધિ વખતે પહેરવાના ખાસ વસ્ત્રો સેન્ટ છાંટીને તૈયાર રાખેલાં. સમાચાર જાણી સિંહા બકરી થઈ ગયા. ઇન્દિરાજી પાસે જઈ રડી પડેલા. પોતે પ્રધાન નથી એ આઘાત તેમને જીરવવો અઘરો હતો. જનતાની સેવા કરવાની ભારે તમન્ના દિલ મેં થી. હવે પ્રધાનપદ વગર જનતાની સેવા કેમ થાય? આ દુઃખથી તેઓ રડી પડેલા. જેનો અહેવાલ વર્તમાનપત્રોમાં પણ આવેલો. સિંહાને લાગી આવેલું કે સાલુ, મને જ નોતરું નહીં? ઇન્દિરાજીએ તેમની દાંડી ઉડાડી દીધેલી. હવે પ્રજાની સેવા કરવાના કાર્યથી વંચિત રહી જવાશે તેવા કારણોસર સિંહા રડી પડેલા. સિંહ રડતો હોય એ દૃશ્ય કેવું લાગે. ભલે સિંહ ઘાસ ન ખાય, પણ રડે તો ખરો જ. જનતાની સેવા કરવાની તક ગઈ, એની ઉપર સિંહાની આંખમાં આંસુ આવ્યા. સિંહાના લોચનીયાં ભીનાં થયાં.

કહેવાય છે કે, સ્ત્રીના આંસુથી પુરુષ પીગળી જાય છે. આ કિસ્સામાં પુરુષના આંસુથી સ્ત્રી પીગળી ગઈ. મતલબ કે સિંહાના આંસુથી ઇન્દિરાજી પીગળી ગયા. તેમને સંસદીય પ્રણાલિ કે એવા કોઈ ખાતાના પ્રધાન બનાવ્યા. બિનસત્તાવાર સમાચાર પ્રમાણે પ્રધાન બનાવ્યા ત્યારે પણ સિંહા રડેલા જ. પણ તે હર્ષનાં આંસુ હતાં.

ગુજરાત પાસે પણ એક રડકણા પ્રધાન હતા. ગુજરાતના મુખ્યમંત્રી થયેલા બાબુભાઈ જશભાઈ પટેલને રડકણા હોવાનો ‘જશ’ થાય છે. આમ તો બા.જ. પટેલ કહેવાય, પણ તેમનું દિલ બાજનું નહીં, કબૂતરનું હતું. મતલબ કે તે ખૂબ જ સંવેદનશીલ હતા. કર્મચારીઓએ કરેલી હડતાળથી તેઓ ખૂબ વ્યથિત થઈ ગયેલા ને ત્યારે ઇન્દિરાજીના પક્ષ સામે ચૂંટણી લડી તેઓ ચૂંટાયા હતા. લોકસભામાં ઇન્દિરાજી અને સંજયની હાર થઈ ત્યારે કોંગ્રેસ હાઉસની લોબીમાંથી હર્ષભેર જાહેરાત કરેલી કે ‘ગાય પણ હારી, વાછડું પણ હારી ગયું છે.’ (કોંગ્રેસનું નિશાન ત્યારે ગાય-વાછડું હતું) સમય બદલાતાં તેઓ ઇન્દિરા કોંગ્રેસમાં જોડાઈ ગયેલા. સિંદબાદ કહે છે કે ત્યારે તેમનો માયલો રોયો હશે.

પુરુષો જાહેરમાં રડે તેવું જવલ્લે જ બને. એક બેન્કમાં મેનેજર હતા બહાદુરભાઈ. બેન્કના પ્રશ્નોથી અકળાઈને બહાદુરભાઈ ઘણીવાર બેન્કમાં રડી પડતા હતા. યુદ્ધમાં ‘બહાદુરીથી પીછેહઠ’ શબ્દ પ્રયોજાય છે. આ કિસ્સામાં ‘બહાદુરી રૂદન’ એમ કહી શકાય.

લાચારી નહીં ક્યારેક લાગણીવશ થઈ માણસ રડી પડે છે. આ કલમ લેખક શરદબાબુને વાંચતાં વાંચતાં ઘણીવાર રડી પડયા છે.

રડવાની વાત ઉપર પણ હસી લેવું...

વાઈડ બોલ

દાનવ અધિકાર પંચનું સૂત્ર ‘ભલે નવ્વાણું નિર્દોષ મરી જાય, પણ એક આતંકવાદી ન મરવો જોઈએ.’

May 21,2011