Wednesday, May 25, 2011

ભારત તો આતંકવાદીઓનું સ્વર્ગ!

આપણે પાકિસ્તાનને ‘મોસ્ટ વોન્ટેડ’ ગુનેગારોની યાદી આપી તેવા એક ‘વજહૂલ કમર’નું નામ આપણે આપ્યું છે. પાકિસ્તાનને નામ આપતા તો આપી દીધું પછી ખબર પડી કે આ વજહૂલભાઈ તો થાણામાં જલસા કરે છે. સત્તાધીશોને પછી ખ્યાલ આવ્યો કે ‘હાય - હાય યે ક્યા કર બૈઠે ગોટાલા’.

આપણે કહ્યું વજહૂલભાઈ પાકિસ્તાનમાં છે. વજહૂલભાઈને સોંપવાને બદલે થાણા પાકિસ્તાનને આપી દો તેમ પાકિસ્તાનવાળા કહેશે તમે જ કહો છો કે વજહૂલ પાકિસ્તાનમાં રહે છે.લાવો થાણા અમને આપી દો.

દેશના ગૃહપ્રધાન આને માનવીય ભૂલ કહે છે. ગાંધીજી હોત તો આને ‘હિમાલય બ્લન્ડર’ કહેત. પણ એ નથી એટલે માનવીય ભૂલ તરીકે ચાલી ગયું.

આપણે કહ્યું કે વજહૂલ પાકિસ્તાન જતો રહ્યો છે. ત્યારે વજહૂલે અંડરવર્લ્ડની ભાષામાં જ કહ્યું, ‘બાપ, અપૂન તો ઈધર હી હૈ’.

સિંદબાદ કહે છે કે જો વજહૂલ આતંકવાદી હોય તો શા માટે પાકિસ્તાન જાય! જો તે પાકિસ્તાન જતો રહ્યો હોત તો તે તેની માનવીય ભૂલ ગણાત. અથવા આતંકવાદીય ભૂલ ગણાત.

‘એમ!’

‘હા બોસ ભારત તો આતંકવાદીઓનું સ્વર્ગ ગણાય છે.’

‘સિંદબાદ, ભારતને તું આતંકવાદનું સ્વર્ગ ગણે છે?’

‘બિલકુલ બરાબર તો સાંભળ્યું છે, આતંકવાદીઓને અહીંયાં જે સુખ મળે તે ક્યાંય ન મળે. ફાંસીની સજા થાય પણ મોત ન મળે’.

‘આજે નહીં તો કાલે ફાંસી થશે’

‘વો કલ કબ આયેંગી... ગાયા કરો’.

‘સિંદબાદ નિરાશાવાદી નથી’

‘બોસ, આતંકવાદીઓ આ સમજે છે. લાદેન પાકિસ્તાનમાં રહ્યો તો માર્યો ગયો, ભારતમાં હોત તો જલ્સા કરતો હોત, પેલા મેમણબંધુઓ પણ આ સમજતા હતા એટલે તો તેઓ બોંબધડાકા કરીને પાકિસ્તાન જતા રહ્યા હતા, પણ ભારત પાછા આવી ગયેલા’.

‘હા એ ખબર છે’

‘બોંબ ફેંક્યા પછી ભારત પરત કેમ આવી ગયા? એનો કોઈ તર્ક છે?’

‘સમજ નથી પડતી’

‘બોસ, સમજ ન પડવી એ તમારી માનવીય નબળાઈ છે. એ લોકોને ખબર છે કે જે સુખચેન આતંકવાદીઓને ભારતમાં છે તે ક્યાંય નથી. પાકિસ્તાનમાં થયેલ લાદેનના એન્કાઉન્ટર અંગે કોઈ મોટો વિવાદ નથી. પણ સોહરાબુદ્દીનને મારનારની કેવી બૂરી વલે થઈ રહી છે?’

વિચાર કરો બોંબ બ્લાસ્ટના અપરાધી વજહૂલ જામીન ઉપર છે. જ્યારે રાજ્યના ગૃહપ્રધાનના જામીન રદ કરવા માટે સરકાર આકાશ પાતાળ એક કરી રહી હતી.

‘હા એ વાત પણ ખરી’

‘એટલે વજહૂલ કમરે વિચાર્યું કે મારે કયા દુઃખે પાકિસ્તાન જવું? કરોડોનો ધુમાડો જેની પાછળ થાય છે તે કસાબ કદાચ કુદરતી મોતે મરશે ત્યાં સુધી ફાંસી નહીં થાય. મેરે દેશ કી ધરતી... સોના ઉગલે... એકે ૪૭ ફૂટલે... જયહિંદ....’

ગૂગલી

‘પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ના સંભવિત નવા વડા, આપણા ફિલ્મી કલાકાર સૈફ અલીના કાકા થાય છે’.

‘કાકાનું ઘર કેટલે? બોંબ ફૂટે એટલે!’

May 24,2011

No comments: