Saturday, June 25, 2011

કિશોરકુમારનું ગળું કોણે કાપ્યું?

કલાકારો એ ઈશ્વરે આપેલી માનવજાતને અણમોલ બક્ષિસ છે.

ઇતિહાસમાં શાહજહાંના નામે ભલે તાજમહાલ નોંધાયો પણ તેના સ્થપતિ કલાકારનું નામ શાહજહાં કરતાં પણ મોટું ગણાય. આપણને એનું નામ તો ખબર નથી પણ એનું કામ આપણી સામે છે. એ અનામી કલાકારને કલાપ્રેમીઓ જરૂર નમન કરે છે. કોઈ શાયર કહી શકે.

‘એક શહેનશાહને એક કલાકાર કી કસબ સે નામ કમાયા.’

છગન કહે છે કે તાજમહાલ માટે તમે શાહજહાંને બિરદાવો એ એવું લાગે છે કે ‘ગીતાંજલિ’ માટે રવીન્દ્રનાથ ટાગોરને બદલે તેના પ્રકાશકને બિરદાવતા હો.

આવું અદ્ભુત સર્જન કરનાર કલાકારોને શાસકોએ શું આપ્યું છે?

અદ્ભુત સ્થપતિઓ આવું સર્જન કરી ન શકે માટે શાસકોએ એ કલાકારોનાં કાંડાં કાપી નાખ્યાં છે.

કુંબલેનું કાંડું કાપી નાખ્યા જેવું આ પાપ ગણાય.

કલાકારો સદા મસ્તીમાં જીવતા હોય છે. કલાકારોની એક આગવી મસ્તી હોય છે. એટલે શાયરે મસ્ત કલાકારો માટે કહ્યું છે,

‘મસ્તો કી મસ્તી ઈબાદત સે કમ નહી હૈ’

મસ્ત કલાકારોની મસ્તી જ ઈશ્વરની ઈબાદત છે.

કલાકારોની મસ્તીની વાત નીકળી છે ત્યારે ગાયક કલાકાર કિશોરકુમારની વાત યાદ આવી ગઈ. કાંડાં કાપી નાખતા શાસકો જેવો જ વ્યવહાર આ કલાકાર સાથે શાસકોએ કરેલો. એ શાસક એટલે ઇન્દિરા નેહરુ ગાંધી. બંને અટકનો લાભ લેવા તેઓ નેહરુ અને ગાંધી બંને અટક લખતાં.

લોકસભામાં સોગંદ તેમણે ઇન્દિરા નેહરુ ગાંધી નામે લીધા હતા.

ઇન્દિરાની હડફેટે કલાકાર કિશોરકુમાર એક વાર ચડી ગયો હતો.

કટોકટીનો એ કાળો સમય હતો. કોઈ એક સરકારી સમારંભમાં કિશોરને ગાવાનું કહ્યું. મસ્ત કલાકારે નનૈયો ભણી દીધો અને ઇન્દિરાજીની ખફગીનું નાળચું કિશોર ઉપર તોળાયું. વિવિધ ભારતી રેડિયોની સૌથી લોકપ્રિય ચેનલ, તેમજ અન્ય કાર્યક્રમોમાં કિશોરનાં ગીતો વાગતાં બંધ થઈ ગયાં.

ઇન્દિરાજીની અવજ્ઞા કરનાર કિશોરકુમારને સત્તાવાળાઓએ જાણે સંભળાવ્યું ‘મેરી ભેંસ કો દંડા ક્યૂં મારા?’

આપને યાદ હશે કટોકટીના એ કાળમાં ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરથી કિશોરકુમારનાં ગીતો વાગતાં બંધ થઈ ગયાં હતાં.

થોડાક વખત પહેલાં એક ચેનલે ‘કે ફોર કિશોરકુમાર’ કાર્યક્રમ રજૂ કર્યો હતો. તેમાં કિશોરની ખૂબીઓ ઉજાગર કરી હતી.

છગન કહેતો હતો...

‘યાર મોરારજીભાઈને ફેંકી દીધા’

(રીંગણાં- બટાકાની જેમ)

ચાલો માફ કર્યું.

વાજપેયી- અડવાણીજીને જેલમાં નાંખ્યા.

ભૂલી જઈશું.

જયપ્રકાશજીને પૂરી દીધા.

એ અક્ષમ્ય ગુનાને ક્ષમા આપી શકાય.

પણ પણ આ કલાકાર કિશોરકુમારનાં ગીતો જનતાના પૈસાથી ચાલતા રેડિયો ઉપરથી બંધ કરી દીધાં?

કઈ રીતે માફ થાય?

માનો કે ઇન્દિરાજીએ દેશની ઉત્તમ સેવા કરી હોય તોપણ કલાકારની અવહેલના માટે માફ કદાપિ ન થઈ શકે.

કદાચ અફઝલ ગુરુનો ગુનો માફ થઈ શકે પણ આ ગુનો ક્યારેય પણ માફ ન થઈ શકે. શાસક કેટલી હદ સુધી નીચે ઊતરી શકે તેનો આ નમૂનો છે. ઇન્દિરાજીએ કિશોરકુમારના ગળાનો તેમજ શંકરર્સ વીકલીનો ભોગ લીધો હતો. તેને પક્ષની નજરે નહીં પણ રાષ્ટ્રની નજરે જુઓ. કદાપિ કદાપિ માફ ન કરાય તેવી આ બાબત બની છે.

ભૂતકાળના શાસકો કલાકારનાં કાંડાં કાપતા હતા. આ એવી જ બાબત છે. ઇન્દિરાજીના શાસનમાં કલાકારનું કાંડું નહીં ગળું કપાયું હતું.

આમાં રાજકારણની વાત નથી. કલાપ્રેમની વાત છે. અમારો કલાપ્રેમ, કોઈ પણ કલાપ્રેમીઓનો કલાપ્રેમ આ વાત સ્વીકારશે.

વાઈડબોલ

રજાનો દિવસ એટલે ઓફિસના બોસના હુકમનું પાલન નહીં કરવાનું પણ ઘરના બોસનું હુકમનું પાલન કરવાનું.

Saturday, June 18, 2011

બાપ બાપ ન રહા : શિક્ષણમંત્રીનાં સંતાનો નાપાસ થાય?


આ વાત અવળીગંગા જેવી જ ગણાય, પણ આ બીના બની છે. શિક્ષણપ્રધાનનાં સંતાનો નાપાસ થયાં એ વાતથી ઘણાં ચોંકી ગયા છે. એક ચોખવટ કરવી જરૂરી છે. આ શિક્ષણમંત્રી રમણભાઈ વોરાની વાત નથી, પણ આ કહાની છે ઝારખંડના શિક્ષણમંત્રી રામની રામાયણની. ઝારખંડના શિક્ષણમંત્રી વૈદ્યનાથ રામનાં સંતાનો નાપાસ થયાં છે.

આમ તો પ્રધાનપુત્રો નાપાસ થતા નથી. પ્રધાનનાં સંતાનો કે સત્તાધીશનાં સંતાનો સારા માર્ક મેળવે છે એ જાણીતી બાબત છે. ‘મેરે સૈંયા ભયે કોટવાલ અબ ડર કાહે કા.’ સૈયા કોટવાલ હોય એ બેફિકર હોય, એ જ તર્ક પ્રમાણે પ્રધાનોનાં સંતાનો નાપાસ થવાની ચિંતા કરતાં (જ) નથી. ‘મેરે પપ્પા ભયે મિનિસ્ટર મુઝે ડર કાહે કા’ એવું એ લોકો વિચારતા હોય છે. ઝારખંડ બિહારમાંથી છૂટું પડેલું રાજ્ય છે. પહેલાં તે બિહારનો ભાગ હતો એટલે આ વાત ઘણાને આઘાતજનક લાગે છે.

બિહારમાં સત્તાધીશોનાં સંતાનોનાં પરિણામો અત્યંત ઉજ્જવળ આવતાં, પણ નોંધનીય બાબત એ હતી કે જ્યારે તેમના વાલી સત્તા ઉપર હોય ત્યારે (જ) આ સંતાનો પરીક્ષામાં આકર્ષક પરિણામ લાવતાં. પપ્પા કે વાલી જેવા પદ ગુમાવે કે આ સંતાનો માર્કની સીડી ઉપરથી ગબડે. કેટલાંક વરસો પહેલાં સમાચારમાં આ બાબત ઉપર લખવામાં આવ્યું હતું કે, ‘માળા આ વિદ્યાર્થીઓ બાપના રાજમાં જ ઝળકે છે.’

પણ ઝારખંડના બનાવે સત્તાધીશોને લાંછન લગાડે તેવી બાબત બની છે. શિક્ષણપ્રધાનનાં સંતાનો જે નાપાસ થયાં છે એ કદાચ ગાતાં હશે, ‘બાપ બાપ ન રહા.’

ફિલ્મ ‘શક્તિ’ની યાદ આવે છે. દિલીપકુમાર ઉચ્ચ પોલીસ અધિકારી છે, પણ પોતાના પુત્ર અમિતાભ બચ્ચનને મદદ કરવાને બદલે આડે આવે છે. ‘શક્તિ’ ફિલ્મમાં દિલીપકુમારની દીકરાને મદદ કરવાની અશક્તિને બચ્ચન બરાબરની ચોપડાવે છે. “તુમ બાપ નહીં સિર્ફ પોલીસ હો.” પેલા ઝારખંડી પ્રધાનનાં સંતાનોએ પણ કદાચ કહ્યું હશે, “તુમ કેવળ પ્રધાન હો, પિતા નહીં...” બાકી સત્તાધીશ બાપ તો કેવા હોય? સંતાનો કહી શકે... એય લીલાલહેર છે. બાપની મહેર છે.

કેટલાંક વરસ પહેલાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ભોંસલે હતા. તેમના છોકરાને મેડિકલમાં પાસ કરાવવાનું કૌભાંડ તેમના નામે ચડેલું. છોકરાને મેડિકલમાં પાસ કરાવવામાં આપણા એક ગુજરાતી નાગર બ્રાહ્મણ જે મુંબઈના પ્રતિષ્ઠિત ડોક્ટર હતા તે ભરાઈ પડયા હતા એ યાદ છે. આપણા રાજ્યના એન્જિનિયર મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીએ પણ સંતાનની કેળવણીમાં બિનજરૂરી રસ લીધો હતો તેવો આક્ષેપ થયો હતો. ત્યારે ઝારખંડી પ્રધાન પોતાનાં સંતાનોને નાપાસ થતા કેવળ જોઈ રહ્યા. કમનસીબે તેમનું નામ રામ હતું. રામાયણ કાળમાં તો રામનાં સંતાનોએ પિતાજીની સામે શસ્ત્રો ઉઠાવેલાં. આ સંતાનોએ પોતે નાપાસ થયાં એ સામે આક્રોશ કઈ રીતે પ્રગટ કર્યો તેની વિગત જાણવા નથી મળી.

આ કિસ્સાને બીજી રીતે પણ જોઈ શકાય કે પ્રધાન હોવા છતાં વૈદ્યનાથ રામે છોકરાંઓને પાસ કરાવવાની કોઈ માથાકૂટ કરી ન હતી. પોતાના પદનો દુરૂપયોગ ન કર્યો. સત્તાના જોરે મહારાણી મિનળદેવીએ સામાન્ય પ્રજાજનની ઝૂંપડી પડાવી લીધી ન હતી. ઝારખંડના પ્રધાનને જનતા વધાવશે, એમના જણ્યા ભલે વખોડે. આ સંતાનના કાળા રિઝલ્ટની ઉજળી બાજુ છે. સંતાન માટેનો મોહ આપણા રાજકારણમાં જે રીતે છવાયેલો છે જે વ્યક્તિએ કદી કોઈ નગરપાલિકાનું પદ પણ શોભાવ્યું નથી. કોઈ ખાતાની કામગીરી મંત્રી બનીને દીપાવી નથી. એ પણ સીધા વડા પ્રધાન થઈ શકે. કોઈકના સંતાન હોવાને કારણે જ્યારે વૈદ્યનાથે કારકિર્દી ઘડવામાં કંઈ ન કર્યું. લાગે છે વૈદ્યનાથને કોઈ સારા ડોક્ટરની જરૂર છે.

વાઈડ બોલ

એક માણસે વજન ઘટાડવાનું તેલ ખરીદ્યું. રોજ તેલનો ઉપયોગ કરતો.

મિત્રે પૂછયું “ઘટયું ખરું?”

“હા, બાટલીનું વજન ઘટયું છે!” (સૂચિત)


આવાત અવળીગંગા જેવી જ ગણાય, પણ આ બીના બની છે. શિક્ષણપ્રધાનનાં સંતાનો નાપાસ થયાં એ વાતથી ઘણાં ચોંકી ગયા છે. એક ચોખવટ કરવી જરૂરી છે. આ શિક્ષણમંત્રી રમણભાઈ વોરાની વાત નથી, પણ આ કહાની છે ઝારખંડના શિક્ષણમંત્રી રામની રામાયણની. ઝારખંડના શિક્ષણમંત્રી વૈદ્યનાથ રામનાં સંતાનો નાપાસ થયાં છે.

આમ તો પ્રધાનપુત્રો નાપાસ થતા નથી. પ્રધાનનાં સંતાનો કે સત્તાધીશનાં સંતાનો સારા માર્ક મેળવે છે એ જાણીતી બાબત છે. ‘મેરે સૈંયા ભયે કોટવાલ અબ ડર કાહે કા.’ સૈયા કોટવાલ હોય એ બેફિકર હોય, એ જ તર્ક પ્રમાણે પ્રધાનોનાં સંતાનો નાપાસ થવાની ચિંતા કરતાં (જ) નથી. ‘મેરે પપ્પા ભયે મિનિસ્ટર મુઝે ડર કાહે કા’ એવું એ લોકો વિચારતા હોય છે. ઝારખંડ બિહારમાંથી છૂટું પડેલું રાજ્ય છે. પહેલાં તે બિહારનો ભાગ હતો એટલે આ વાત ઘણાને આઘાતજનક લાગે છે.

બિહારમાં સત્તાધીશોનાં સંતાનોનાં પરિણામો અત્યંત ઉજ્જવળ આવતાં, પણ નોંધનીય બાબત એ હતી કે જ્યારે તેમના વાલી સત્તા ઉપર હોય ત્યારે (જ) આ સંતાનો પરીક્ષામાં આકર્ષક પરિણામ લાવતાં. પપ્પા કે વાલી જેવા પદ ગુમાવે કે આ સંતાનો માર્કની સીડી ઉપરથી ગબડે. કેટલાંક વરસો પહેલાં સમાચારમાં આ બાબત ઉપર લખવામાં આવ્યું હતું કે, ‘માળા આ વિદ્યાર્થીઓ બાપના રાજમાં જ ઝળકે છે.’

પણ ઝારખંડના બનાવે સત્તાધીશોને લાંછન લગાડે તેવી બાબત બની છે. શિક્ષણપ્રધાનનાં સંતાનો જે નાપાસ થયાં છે એ કદાચ ગાતાં હશે, ‘બાપ બાપ ન રહા.’

ફિલ્મ ‘શક્તિ’ની યાદ આવે છે. દિલીપકુમાર ઉચ્ચ પોલીસ અધિકારી છે, પણ પોતાના પુત્ર અમિતાભ બચ્ચનને મદદ કરવાને બદલે આડે આવે છે. ‘શક્તિ’ ફિલ્મમાં દિલીપકુમારની દીકરાને મદદ કરવાની અશક્તિને બચ્ચન બરાબરની ચોપડાવે છે. “તુમ બાપ નહીં સિર્ફ પોલીસ હો.” પેલા ઝારખંડી પ્રધાનનાં સંતાનોએ પણ કદાચ કહ્યું હશે, “તુમ કેવળ પ્રધાન હો, પિતા નહીં...” બાકી સત્તાધીશ બાપ તો કેવા હોય? સંતાનો કહી શકે... એય લીલાલહેર છે. બાપની મહેર છે.

કેટલાંક વરસ પહેલાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ભોંસલે હતા. તેમના છોકરાને મેડિકલમાં પાસ કરાવવાનું કૌભાંડ તેમના નામે ચડેલું. છોકરાને મેડિકલમાં પાસ કરાવવામાં આપણા એક ગુજરાતી નાગર બ્રાહ્મણ જે મુંબઈના પ્રતિષ્ઠિત ડોક્ટર હતા તે ભરાઈ પડયા હતા એ યાદ છે. આપણા રાજ્યના એન્જિનિયર મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીએ પણ સંતાનની કેળવણીમાં બિનજરૂરી રસ લીધો હતો તેવો આક્ષેપ થયો હતો. ત્યારે ઝારખંડી પ્રધાન પોતાનાં સંતાનોને નાપાસ થતા કેવળ જોઈ રહ્યા. કમનસીબે તેમનું નામ રામ હતું. રામાયણ કાળમાં તો રામનાં સંતાનોએ પિતાજીની સામે શસ્ત્રો ઉઠાવેલાં. આ સંતાનોએ પોતે નાપાસ થયાં એ સામે આક્રોશ કઈ રીતે પ્રગટ કર્યો તેની વિગત જાણવા નથી મળી.

આ કિસ્સાને બીજી રીતે પણ જોઈ શકાય કે પ્રધાન હોવા છતાં વૈદ્યનાથ રામે છોકરાંઓને પાસ કરાવવાની કોઈ માથાકૂટ કરી ન હતી. પોતાના પદનો દુરૂપયોગ ન કર્યો. સત્તાના જોરે મહારાણી મિનળદેવીએ સામાન્ય પ્રજાજનની ઝૂંપડી પડાવી લીધી ન હતી. ઝારખંડના પ્રધાનને જનતા વધાવશે, એમના જણ્યા ભલે વખોડે. આ સંતાનના કાળા રિઝલ્ટની ઉજળી બાજુ છે. સંતાન માટેનો મોહ આપણા રાજકારણમાં જે રીતે છવાયેલો છે જે વ્યક્તિએ કદી કોઈ નગરપાલિકાનું પદ પણ શોભાવ્યું નથી. કોઈ ખાતાની કામગીરી મંત્રી બનીને દીપાવી નથી. એ પણ સીધા વડા પ્રધાન થઈ શકે. કોઈકના સંતાન હોવાને કારણે જ્યારે વૈદ્યનાથે કારકિર્દી ઘડવામાં કંઈ ન કર્યું. લાગે છે વૈદ્યનાથને કોઈ સારા ડોક્ટરની જરૂર છે.

વાઈડ બોલ

એક માણસે વજન ઘટાડવાનું તેલ ખરીદ્યું. રોજ તેલનો ઉપયોગ કરતો.

મિત્રે પૂછયું “ઘટયું ખરું?”

“હા, બાટલીનું વજન ઘટયું છે!” (સૂચિત)

આવાત અવળીગંગા જેવી જ ગણાય, પણ આ બીના બની છે. શિક્ષણપ્રધાનનાં સંતાનો નાપાસ થયાં એ વાતથી ઘણાં ચોંકી ગયા છે. એક ચોખવટ કરવી જરૂરી છે. આ શિક્ષણમંત્રી રમણભાઈ વોરાની વાત નથી, પણ આ કહાની છે ઝારખંડના શિક્ષણમંત્રી રામની રામાયણની. ઝારખંડના શિક્ષણમંત્રી વૈદ્યનાથ રામનાં સંતાનો નાપાસ થયાં છે.

આમ તો પ્રધાનપુત્રો નાપાસ થતા નથી. પ્રધાનનાં સંતાનો કે સત્તાધીશનાં સંતાનો સારા માર્ક મેળવે છે એ જાણીતી બાબત છે. ‘મેરે સૈંયા ભયે કોટવાલ અબ ડર કાહે કા.’ સૈયા કોટવાલ હોય એ બેફિકર હોય, એ જ તર્ક પ્રમાણે પ્રધાનોનાં સંતાનો નાપાસ થવાની ચિંતા કરતાં (જ) નથી. ‘મેરે પપ્પા ભયે મિનિસ્ટર મુઝે ડર કાહે કા’ એવું એ લોકો વિચારતા હોય છે. ઝારખંડ બિહારમાંથી છૂટું પડેલું રાજ્ય છે. પહેલાં તે બિહારનો ભાગ હતો એટલે આ વાત ઘણાને આઘાતજનક લાગે છે.

બિહારમાં સત્તાધીશોનાં સંતાનોનાં પરિણામો અત્યંત ઉજ્જવળ આવતાં, પણ નોંધનીય બાબત એ હતી કે જ્યારે તેમના વાલી સત્તા ઉપર હોય ત્યારે (જ) આ સંતાનો પરીક્ષામાં આકર્ષક પરિણામ લાવતાં. પપ્પા કે વાલી જેવા પદ ગુમાવે કે આ સંતાનો માર્કની સીડી ઉપરથી ગબડે. કેટલાંક વરસો પહેલાં સમાચારમાં આ બાબત ઉપર લખવામાં આવ્યું હતું કે, ‘માળા આ વિદ્યાર્થીઓ બાપના રાજમાં જ ઝળકે છે.’

પણ ઝારખંડના બનાવે સત્તાધીશોને લાંછન લગાડે તેવી બાબત બની છે. શિક્ષણપ્રધાનનાં સંતાનો જે નાપાસ થયાં છે એ કદાચ ગાતાં હશે, ‘બાપ બાપ ન રહા.’

ફિલ્મ ‘શક્તિ’ની યાદ આવે છે. દિલીપકુમાર ઉચ્ચ પોલીસ અધિકારી છે, પણ પોતાના પુત્ર અમિતાભ બચ્ચનને મદદ કરવાને બદલે આડે આવે છે. ‘શક્તિ’ ફિલ્મમાં દિલીપકુમારની દીકરાને મદદ કરવાની અશક્તિને બચ્ચન બરાબરની ચોપડાવે છે. “તુમ બાપ નહીં સિર્ફ પોલીસ હો.” પેલા ઝારખંડી પ્રધાનનાં સંતાનોએ પણ કદાચ કહ્યું હશે, “તુમ કેવળ પ્રધાન હો, પિતા નહીં...” બાકી સત્તાધીશ બાપ તો કેવા હોય? સંતાનો કહી શકે... એય લીલાલહેર છે. બાપની મહેર છે.

કેટલાંક વરસ પહેલાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ભોંસલે હતા. તેમના છોકરાને મેડિકલમાં પાસ કરાવવાનું કૌભાંડ તેમના નામે ચડેલું. છોકરાને મેડિકલમાં પાસ કરાવવામાં આપણા એક ગુજરાતી નાગર બ્રાહ્મણ જે મુંબઈના પ્રતિષ્ઠિત ડોક્ટર હતા તે ભરાઈ પડયા હતા એ યાદ છે. આપણા રાજ્યના એન્જિનિયર મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીએ પણ સંતાનની કેળવણીમાં બિનજરૂરી રસ લીધો હતો તેવો આક્ષેપ થયો હતો. ત્યારે ઝારખંડી પ્રધાન પોતાનાં સંતાનોને નાપાસ થતા કેવળ જોઈ રહ્યા. કમનસીબે તેમનું નામ રામ હતું. રામાયણ કાળમાં તો રામનાં સંતાનોએ પિતાજીની સામે શસ્ત્રો ઉઠાવેલાં. આ સંતાનોએ પોતે નાપાસ થયાં એ સામે આક્રોશ કઈ રીતે પ્રગટ કર્યો તેની વિગત જાણવા નથી મળી.

આ કિસ્સાને બીજી રીતે પણ જોઈ શકાય કે પ્રધાન હોવા છતાં વૈદ્યનાથ રામે છોકરાંઓને પાસ કરાવવાની કોઈ માથાકૂટ કરી ન હતી. પોતાના પદનો દુરૂપયોગ ન કર્યો. સત્તાના જોરે મહારાણી મિનળદેવીએ સામાન્ય પ્રજાજનની ઝૂંપડી પડાવી લીધી ન હતી. ઝારખંડના પ્રધાનને જનતા વધાવશે, એમના જણ્યા ભલે વખોડે. આ સંતાનના કાળા રિઝલ્ટની ઉજળી બાજુ છે. સંતાન માટેનો મોહ આપણા રાજકારણમાં જે રીતે છવાયેલો છે જે વ્યક્તિએ કદી કોઈ નગરપાલિકાનું પદ પણ શોભાવ્યું નથી. કોઈ ખાતાની કામગીરી મંત્રી બનીને દીપાવી નથી. એ પણ સીધા વડા પ્રધાન થઈ શકે. કોઈકના સંતાન હોવાને કારણે જ્યારે વૈદ્યનાથે કારકિર્દી ઘડવામાં કંઈ ન કર્યું. લાગે છે વૈદ્યનાથને કોઈ સારા ડોક્ટરની જરૂર છે.

વાઈડ બોલ

એક માણસે વજન ઘટાડવાનું તેલ ખરીદ્યું. રોજ તેલનો ઉપયોગ કરતો.

મિત્રે પૂછયું “ઘટયું ખરું?”

“હા, બાટલીનું વજન ઘટયું છે!” (સૂચિત)

19 June.2011

Tuesday, June 14, 2011

રામદેવનું મહાભારત...

‘‘બાબા રામદેવ આમ તો યોગગુરુ છે... એમણે શા માટે રાજકારણમાં રસ લેવો જોઈએ?” છગને પ્રશ્ન કર્યો : આવો જ પ્રશ્ન કપિલ સિબ્બલે કર્યો છે. દિગ્વિજયસિંહે પણ કર્યો છે. શા માટે રામદેવ રાજકારણમાં પડે છે?

“શું રામદેવને અધિકાર નથી?” પ્રતિપ્રશ્ન થાય છે.

“નથી જ” જવાબ આવે છે. એ માટે અમુક કુળમાં જન્મ હોવો જરૂરી છે. અમુક કુળમાં જન્મેલા જ વડા પ્રધાનપદ માટે લાયક હોય છે.

તિલકજીએ કહ્યું હતું. “સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક્ક છે” તેમ અમુક ખુરશીઓ પણ જન્મસિદ્ધ હક્કથી જ મળે છે. આપણા ઘણા પ્રધાનો, પ્રધાન છે, કારણ કે તેમના પિતા કોઈ કાળે પ્રધાનમંડળમાં હતા. રાજેશ પાયલોટના પુત્રને પ્લેન ઉડાડવું હોય તો લાઈસન્સ જરૂરી બને છે. પણ પ્રધાન થવા માટે રાજેશ પાયલોટના પુત્ર હોવું પૂરતું છે. અમરસિંહ ચૌધરી આમ તો એન્જિનિયર હતા. તેમના પુત્ર તુષાર ચૌધરીને પુત્ર હોવાને દાવે એન્જિનિયરની ડિગ્રી ન મળી. તુષાર ચૌધરી ડોક્ટર બન્યા, પણ તે માટે પ્રધાનની ખુરશી મેળવી. એ માટે કોઈ પરીક્ષા નહીં- અનુભવ નહીં. જન્મનું પ્રમાણપત્ર જ કાફી ગણાય. હવે એ બધા જ બાબા રામદેવના અધિકાર વિશે પ્રશ્ન કરે છે.

“પણ બોસ, બાબા પાસે કરોડોની સંપત્તિ છે.” છગને કોમેન્ટ કરી.

“વત્સ, ચૂંટણી વખતે જાહેર કરવી પડતી વિગતો અનુસાર આપણા ઘણા નેતાઓ કરોડોના સ્વામી છે, શું તે તેમની ગેરલાયકાત છે?”

“પણ... પણ...”

“શું બાબાએ એ કરોડો રૂપિયાની સંપત્તિ દાણચોરી કરી મેળવી છે?”

“ના...”

“શું એમની સંપત્તિ ગેરકાનૂની રીતે મેળવી છે?”

“ના એવું તો નથી. નહીંતર સરકારે તેની ઉપર જ પંજો નાંખ્યો હોત.”

“બાબા યોગ શીખવવાના ખૂબ જ ચાર્જ કરે છે.”

“શું કપિલ સિબ્બલ મફત કેસ લડે છે? એમની સંપત્તિ ભારે ફીથી જ મેળવેલી ગણાય ને!”

“મિત્ર, ગાંધીજી અને સરદાર પટેલ નામ અને દામ વકીલાતમાંથી કમાયા હતા. પછી દેશ અને સમાજના પ્રશ્નો પ્રત્યેની તેમની નિસબત રાજકારણમાં લઈ આવી. યોગગુરુ તે પણ દેશના પ્રશ્નો પ્રત્યે કે સામાજિક પ્રશ્નો પ્રત્યે નિસબત ન હોય?”

“પણ તેમની મહત્ત્વાકાંક્ષા મોટા રાજકીય પદની હેઠળ હોય એવું લાગે છે.”

“ગલીમાં ક્રિકેટ રમનારને પણ રાષ્ટ્રીય ટીમમાં રમવાનો અભરખો હોય છે. નસીબ અને શક્તિ હોય તો એને દોષ તમે આપશો?” દેશ સામે ખડા થયેલા વિકરાળ પ્રશ્નોને બાબા પોતાની રીતે રજૂ કરે છે,જુએ છે. હજારે પણ તેમની શૈલીથી દેશના પ્રશ્નો પ્રત્યે તેમની નિસબત વ્યક્ત કરે છે. કહે છે ઈન્દ્રાસન ડોલતું લાગે ત્યારે ઈન્દ્ર પોતાનું આસન બચાવવા અનેક પેંતરા કરતા એ અપ્સરાઓનો ઉપયોગ પણ કરતા. સત્તાવાળા તેમનું આસન બચાવવા નર્તકીઓને બદલે પોલીસના નૃત્યનો ઉપયોગ કરે છે.

સત્તાધીશો ગોર જેવા છે.એમનું તરભાણું ભરવા માટે કે સાચવવા માટે વર કે કન્યાનું કેટલું નુકસાન થાય છે તે જોતા નથી હોતા. રામદેવજી સાથે થયેલા વ્યવહારથી ગાંધીજી પણ બોલી ઊઠત ‘હે રામ’....

ગૂગલી

લોટરીની ટિકિટ ખરીદતો માણસ કે પત્ની સાથે દલીલબાજી કરતા માણસમાં કોઈ સરખામણી થઈ શકે? “લોટરી લેનારને જીતવાનો થોડાક ચાન્સ પણ ખરો. પત્ની સાથે દલીલબાજી કરનારને જરા પણ નહીં.”

Saturday, June 11, 2011

અમદાવાદી પ્રામાણિક-ઓનેસ્ટ છે... હા...

‘ઓનેસ્ટ’ મતલબ કે પ્રામાણિક! ઓનેસ્ટીના સ્પેલિંગમાં જ ભ્રષ્ટતા દેખાય છે. છગન કહે છે ઓનેસ્ટીમાં ની ઘૂસણખોરી ચોખ્ખી દેખાઈ આવે છે. એચની ઘૂસણખોરી સાથે બનેલા શબ્દને આપણે ‘ઓનેસ્ટ’ કહીએ છીએ.

ગુજરાતીમાં ‘ઓનેસ્ટી’ને પ્રામાણિકતા કહેવાય. આ શબ્દ લખવામાં મોટા ભાગના લોકો પ્રામાણિક નથી. મોટા ભાગના લોકો પ્રામાણિકતાને બદલે પ્રમાણિકતા કહે છે. પ્રવીણભાઈ પ્રામાણિક માણસ છે કહેવાને બદલે પ્રવીણભાઈ પ્રમાણિક છે એમ જ ઘણા ખરા કહે છે.

આ પ્રામાણિકતા યાને કે ઓનેસ્ટીની એક સ્ટોરી એક અંગ્રેજી ટેબ્લોઇડ અખબારે થોડાક દિવસ પહેલાં કરી અને તારણ કાઢયું અમદાવાદના માણસો જવાબદાર ‘ઓનેસ્ટ’ છે! આ છાપાંવાળાએ અમુક જગ્યાએ લોકોની પ્રામાણિકતા તપાસવાના પ્રામાણિક પ્રયાસો કર્યા હતા.

કૂતરા સામે થઈ જતા આ ભૂમિના સસલા જેવી અજીબો ઘટના અહીંયાં બને જ છે. બેન્કની લોનના હપ્તા ભરનાર રિક્ષા ડ્રાઈવર રિક્ષામાં ભૂલી ગયેલા બે-ત્રણ લાખ રૂપિયાના મોટી રકમના ચેક એના માલિકને પરત કરનાર અહીંયાં મળે છે. પૈસા પરત મેળવનાર રિક્ષાના યાત્રિક એક બિલ્ડર હતા. પેલો રિક્ષા ચલાવનાર ભાડાંના મકાનમાં પડયો છે. પૈસા પાછા મળવાથી રાજી થયેલા અને રિક્ષાવાળાની પ્રામાણિકતાથી પ્રસન્ન થયેલા એ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરે રિક્ષા ડ્રાઈવરને કહ્યું છે : “જા તને એક મકાનની સગવડ કરી આપીશ.” સિંદબાદ પણ આ બનાવથી રાજી થયો છે અને કહે છે : “દીકરા, મોટો થા પછી પરણાવીશું” એવું ન બને તો વધુ સારું.

બાકી માણસના મનમાં રૂપિયાના ત્રણ અડધા મળતા હોય તો મેળવવામાં રસ છે. એ મેળવવાના પ્રયાસમાં પ્રામાણિકતા અને છેતરપિંડીની ખૂબ જ નાજુક રેખા છે. પ્રામાણિકતાની કસોટી કરવામાં છાપાંના રિપોર્ટર્સ થોડીક નોટો આમતેમ રાખી દૂર બેસતા હતા. ઘણા ખરા લોકો એ પૈસા ઉપાડી તેના માલિક હોય તો આપવા પ્રયત્નમાં હતા.

હા, કેટલાક લોકો અપ્રામાણિક જણાયા હતા. એ તો એવું રહેવાનું જ કલમાડી પછી કોણ? એનો જવાબ તમને જડે એવા લોકો પણ છે જ. આ છાપાંવાળાએ તે લોકોની છાપ બગડે નહીં માટે લોકોનાં નામ છાપ્યાં ન હતાં અને જે લોકોએ ‘ઓનેસ્ટી’ બતાવી હતી તેમનાં નામ અને કામધંધાની માહિતી પણ આપેલી.

પ્રામાણિકતા-અપ્રામાણિકતા વચ્ચેની રેખાની વાત કરી, તે સંદર્ભે મિયાં ફૂસકીની વાત યાદ આવે છે. મિયાં રોજ પ્રાર્થના કરે મોટે મોટેથી “હે ખુદા, મને સો રૂપિયા આપજે, એક રૂપિયો ઓછો પણ નહીં કે એક રૂપિયો વધારે પણ નહીં. સો રૂપિયા મળે તો જ હું સ્વીકારીશ.”

તભા ભટ્ટે એક રૂમાલમાં નવ્વાણું (૯૯) રૂપિયા બાંધી મિયાં ફૂસકીની બારસાખે મૂક્યા. ખાતરી હતી કે મિયાં પ્રામાણિક છે એક રૂપિયો ઓછો હશે તો નહીં સ્વીકારે. મિયાંએ જોયું કે ઘરના ટોડલે રૂપિયાની ઢગલી છે. એમનું મન મોરની જેમ નાચી ઊઠયું. એમણે રૂપિયા ગણ્યા નવ્વાણું થયા. બે વાર ગણ્યા. નવ્વાણું જ થયા. તભા ભટ્ટ છુપાઈને ખેલ જોતા હતા. હવે મિયાં રૂપિયા નહીં લે મિયાં પ્રામાણિક છે જ, પણ મિયાં ફૂસકીની વિવેકબુદ્ધિએ પ્રકાશ પાડયો. “હે ખુદા, મેં સો માગ્યા હતા તેં નવ્વાણું આપ્યા, પણ સાથે આ રૂમાલ આપ્યો તેનો એક એક રૂપિયો તો ગણવો પડે ને! એટલે મારી માગણી હે ખુદા તેં પૂરી કરી જ છે.” મિયાં પૈસા લઈને ઘરમાં જતા રહ્યા. પ્રામાણિકતા-અપ્રામાણિકતા વચ્ચેની આ ભેદરેખા સમજાય તેને જ સમજાય. બાકી અમે અંગ્રેજી ટેબ્લોઇડના સંશોધનથી રાજી છીએ કે અમદાવાદ પ્રામાણિક લોકોનું નગર છે. ‘દિલ્હી કા ઠગ’ જેવી ઉક્તિ અમદાવાદ માટે નથી.

વાઈડ બોલ

જ્યોતિષીએ મને કહેલું કે, “તમે ર્મિસડિઝમાં ફરશો.” સાચું પડયું છે : “હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ર્મિસડિઝ સિટી બસમાં ફરું છું.”

Jun 11,2011

Wednesday, June 8, 2011

પાઘડી ઉછાળવાની બાબત

આ અમદાવાદની ભૂમિની પણ એક ખાસિયત છે. અહીંયાં ભલભલાની પાઘડી ઊછળી છે. સ્વામી અગ્નિવેશ એ તાજેતરનો કિસ્સો ગણાય. આ ભૂમિ ઉપર અહમદશાહ બાદશાહના બહાદુર કૂતરાની પાઘડી પણ એક સસલાએ ઉછાળી હતી. હું જાણું છું કે, કૂતરાંઓ પાઘડી નથી પહેરતા. આ તો અલંકારિક ભાષામાં કૂતરાંની પાઘડી ઊછળી એમ કહેવાય.

પાઘડી ઉછાળવાની વિધિથી જ અમદાવાદની શરૂઆત થઈ એમ કહી શકાય.

ઇન્દિરાજી જ્યારે કોંગ્રેસનાં પ્રમુખ હતાં ત્યારે તેમની ઉપર ચંપલ પણ અમદાવાદમાં ફેંકાયાં હતાં. આ પણ પાઘડીઊછળ ચેષ્ટા હતી.

ત્રીસ-ચાલીસ વર્ષ પહેલાં એક મુસ્લિમ મહિલા નામે કીડવાઈ જનસંઘમાં જોડાયાં હતાં. ખાડિયા વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તેમની સભા ઢાલગરવાડમાં રાખવામાં આવી હતી. તે વખતે સભાસ્થળ મંચ તરફ કેટલાક લોકોએ પથ્થર ફેંક્યા હતા. એ વખતે ખાડિયાના યુવાનોએ ઢાલગરવાડમાં ફોલ્ડિંગ ખુરશીની ઢાલ બનાવી એ પથ્થરમારાથી મંચસ્થ લોકોનો બચાવ કરેલો. આ પણ પાઘડીઉછાળની ઘટના જેવી વાત થઈ.

મહાગુજરાતની ચળવળ વખતે પ્રબોધ રાવલ ખૂબ જ ઉશ્કેરાયેલા, જનતાના નેતા તરીકે તેઓ આ આંદોલનમાં ઊભરી આવેલા. લાલ દરવાજે ભાષણમાં તેમણે કંઈક ભાંગરો વાટયો. લોકો ઉશ્કેરાયા. પ્રબોધ રાવલ લોકોના રોષથી બચવા ભાગ્યા. વિક્ટોરિયા ગાર્ડનથી નદીના રસ્તે અત્યારે જ્યાં રિવરફ્રન્ટ થઈ રહ્યો છે ત્યાં લોકો તેમની સામે ફ્રન્ટ થઈ ગયા. એમનો ઝભ્ભો પ્યાલા-બરણીમાં પણ ન ચાલે એવો થઈ ગયો. કુત્તા-સસ્સાની આ ભૂમિ ઉપર આવા ઘણાં કિસ્સા મળી આવશે. તાજેતરમાં સ્વામી અગ્નિવેશની અગ્નિપરીક્ષા થઈ ગઈ લાલ દરવાજા પાસે જ. બીજા એક સ્વામી નિત્યાનંદે અગ્નિવેશની પાઘડી ઉછાળી એકાદ લપડાક પણ મારી. આ બે સ્વામી બાખડી પડયા. આપણી સમાજરચનાની આ કમાલ છે. આ પ્રકારના સ્વામીઓ કુંવારા સ્વામી હોય છે. સ્વામી ખરા પણ પરણેલા નહીં.

મંચ ઉપર નિત્યાનંદે આનંદથી અગ્નિવેશની પાઘડી ખેંચી, લપડાક મારી તે સભામાં ‘બુદ્ધિજીવીઓ’નું ટોળું હતું. એ બુદ્ધિજીવીઓની બુદ્ધિ પણ બહેર મારી ગઈ. સાવ અચાનક કેમ આમ થયું?

પછી વાત બહાર આવી કે સ્વામી અગ્નિવેશે હિંદુઓની પરમ આસ્થાના કેન્દ્ર અમરનાથ લિંગ ઉપર અઘટિત ટીકા કરી હતી. છગન કહેતો હતો આપણે ત્યાં તમારે ચમકવું હોય તો હિંદુ ધર્મની કોઈ બાબત ઉપર ટીકા કરો. અગ્નિવેશજીએ કહેલું કે, અમરનાથમાં ભગવાન જેવું હોતું નથી. એ તો કેવળ એક બરફનો ઢગલો છે. આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ પણ ‘રામશીલા’ની પૂજા કરતાં લોકોની ટીકા કરતાં કહેલું એ તો ઇંટનું ઢેફું છે. પછીની ચૂંટણીમાં એમની સરકારની હાલત ઢેફા કરતાં પણ બદતર થયેલી.

આ બધાં બુદ્ધિજીવીઓ અન્ય કોઈ ધર્મની નકારાત્મક વાત કરવાની હિંમત નથી કરતાં. નહીંતર તેમના નામ પાછળ ગમે તેટલી ડિગ્રી હોય, પણ નામની આગળ ‘સ્વ.’ લખાઈ જાય. અગ્નિવેશજીને ખ્યાલ ન હતો કે, તેમની પીટાઈ થઈ શકે છે. હવે એમનો અગ્નિ ટાઢો થઈ ગયો છે. ઢીલીપોચી સ્પષ્ટતા કરવા માંડયા છે.

સિંદબાદ કહે છે આ પણ સાચી બાબત છે, કોઈ પણ લલ્લુપંજુ મારા ધર્મની ટીકા કરે તે ન ચલાવું.

ગૂગલી

‘કાળા માથાનો માનવી કંઈ પણ કરી શકે છે.’

અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદીને જોયા પછી સિંદબાદ કહે છે ‘ધોળી દાઢીવાળો કંઈ પણ કરી શકે છે.’

Jun 07,2011

Saturday, June 4, 2011

નિવેદનરત્ન નેતાઓ


કેટલાક નેતાઓ અને પ્રધાનો તેમનો પગાર વસૂલ થાય તે માટે મનોરંજક કે વિવાદાસ્પદ વિધાનો કરતાં હોય છે. કોઈ એક સમયે કેન્દ્રમાં રાજનારાયણ હતા કે મણિલાલ બાગચી હતા. (હિન્દીમાં વની જગ્યાએ બ વપરાય છે) એ લોકો એકલે હાથે લોકસભા માથે લઈ શકતા હતા.

આપણા રાજ્યમાં છબીલદાસ મહેતા હતા. તેમનાં વિધાનોથી મનોરંજન અને વિવાદ બંને પીરસી શકતા.

થોડીક જ ઓવર રમી શશી થરૂર વિદાય થઈ ગયા. (યે કૈસી બિદાઈ, એવું ગીત તેમને વિદાય કરવામાં આવ્યા ત્યારે બેકગ્રાઉન્ડમાં વાગતું હતું). તેમણે વિમાનના ઇકોનોમી ક્લાસને ઢોર કા ડિબ્બા કહ્યો હતો. એનાથી એમને ઘણી પ્રસિદ્ધિ મળી હતી. જોકે પદ ગુમાવ્યું હતું. પ્રસિદ્ધિરૂપી ગઢ તેમણે મેળવ્યો હતો, પણ પદરૂપી સિંહ ગુમાવ્યો તેમ કહી શકાય.

આપણા બીજા એક પ્રધાન છે રમેશ જયરામ. એ પણ અવારનવાર મેદાનમાં બાઉન્સર ઉછાળે છે અને ચીયર્સ લીડર્સ તરફથી ‘એપલાઉઝ’ યાને કે ખુશીની અભિવ્યક્તિ મેળવે છે.

રમેશજી આમ તો પર્યાવરણમંત્રી છે. તેમનું એક કાર્ય પર્યાવરણ સુધારવાનું છે, પણ તેમના તાજેતરના એક નિવેદનથી સામાજિક પર્યાવરણ ડહોળાઈ ગયું છે. તેમણે કહ્યું, આપણી ખૂબ જ પ્રતિષ્ઠિત આઈઆઈએમ-આઈઆઈટી વિશે. તે બાર વરસે બોલતા બાવા જેવું વિધાન હતું. તેમણે કહ્યું, આઈઆઈટી-આઈઆઈએમના અધ્યાપકો ઠીક છે, પણ તેમની કક્ષા બહુ સારી કે વિશ્વકક્ષાની નથી. આઈઆઈએમના અધ્યાપકો વિશે તેમણે પોતાનો નિર્ણય જાહેર કર્યો. ટેસ્ટ મેચમાં નિર્ણય આપતા અમ્પાયરોની નિમણૂક કરતી વિશ્વ કક્ષાની ક્રિકેટ સંસ્થા જે તે વ્યક્તિની ક્ષમતા જોયા પછી જ નિર્ણય કરવાની સત્તા આપે છે. પણ આપણા નેતાઓ છાશવારે નિર્ણયો આપે રાખે છે તેની ક્ષમતા વિશે કોઈ ધારાધોરણ નક્કી નથી થયાં એટલે નેતાઓ ફાવે તેવાં નિવેદનો કરે છે. વાણી જયરામ નામની પાર્શ્વગાયિકાએ (‘બોલે રે પપૈયા...’વાળી) પોતાના કંઠથી ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી છે. જ્યારે રમેશ જયરામ એમના શબ્દોથી ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે.

જોકે, જયરામનાં વચનોથી હોબાળો મચ્યો છે. જેમ સુષમા સ્વરાજની ટિપ્પણીથી થયો છે તેમ. આપને યાદ હશે કે, કર્ણાટકના પ્રધાનમંડળની રચના અંગે સુષમાજીએ અરુણ જેટલીની ટીકા કરી છે. છગનને ત્યારે નવાઈ લાગી હતી. પોતાના જ પક્ષના નેતાની ટીકા કરવાની? આ તો કૌટુંબિક મામલા જેવું થયું કહેવાય. ઘણી વાર છોકરો બગડી ગયો હોય ત્યારે પિતા, માતાને દોષ આપે છે. ‘તેરે લાડ ઔર પ્યાર ને ઉસે બિગાડ દિયા હૈ.’ અથવા વહુ સાસુને કહે છે, તમે મારા છોકરાની ટેવો બગાડી રહ્યાં છો. આ બધે ચાલતું જ હોય છે. આ કૌટુંબિક બાબત ગણાય. કુટુંબના સભ્યો કોના કારણે અનર્થ થયો એ બાબતે એકબીજા ઉપર દોષારોપણ કરતાં હોય છે. આથી તેઓ કુટુંબના સભ્યો મટી જતા નથી. આવું તો કુટુંબોમાં ચાલતું જ હોય છે.

રમેશ જયરામે જે નિવેદન કર્યું તેનાથી પક્ષના સભ્યોને કાંઈ અડતું ન હતું, પણ આઈઆઈએમના ધુરંધર અધ્યાપકોની એ તૌહીન હતી. સિંદબાદ કહે છે કે, એ અધ્યાપકોનું લેવલ ન હોય તો આ નેતાઓનાં લેવલ કેવાં છે? આ જયરામ રમેશે અગાઉ પદવીદાન સમારંભમાં પહેરાતા ગાઉનની મજાક ઉડાવી હતી. એમણે દીક્ષાંત પ્રવચન વખતે ગાઉનનો ગોટો વાળી ફેંકી દીધું હતું અને કહ્યું, “આ બધું ગુલામીની નિશાની છે”. (એ એમણે આપણી ભાષામાં નહીં, પણ અંગ્રેજીમાં કહ્યું હતું). આઈઆઈએમના અધ્યાપકો વિશેની ટિપ્પણીથી નારાજ કે અસંમત લોકો ‘થર્ડ અમ્પાયર’નો અભિપ્રાય માગી શકે કે નહીં ? ક્રિકેટમાં અમ્પાયરના નિર્ણયથી અસંમત થનારની તસલ્લી માટે ‘થર્ડ અમ્પાયર’ની વ્યવસ્થા છે તેમ આવા ઉટપટાંગ નિવેદનો કરનાર સામે પણ ‘થર્ડ અમ્પાયર’ના અભિપ્રાય લેવાની પ્રથા દાખલ કરવા જેવી છે.

બાકી વિદ્વાનો કે કલાકારોના લેવલ અંગે ભ્રષ્ટ શાસનનો ભોગ બનેલા નેતાઓ નિવેદન કરે કે સંસદમાં ધમાચકડી કરનારા ધાંધલ ધમાલ કરનારા આવા દોઢડહાપણ કરે તો શેતાન ક્વોટ્સ બાઈબલ જ કહેવાય ને!

વાઈડ બોલ

કાળો રંગ અશુભ મનાય છે, પરંતુ બ્લેક બોર્ડ વિદ્યાર્થીઓને બ્રાઈટ બનાવે છે.

Jun 04,2011