Saturday, June 18, 2011

બાપ બાપ ન રહા : શિક્ષણમંત્રીનાં સંતાનો નાપાસ થાય?


આ વાત અવળીગંગા જેવી જ ગણાય, પણ આ બીના બની છે. શિક્ષણપ્રધાનનાં સંતાનો નાપાસ થયાં એ વાતથી ઘણાં ચોંકી ગયા છે. એક ચોખવટ કરવી જરૂરી છે. આ શિક્ષણમંત્રી રમણભાઈ વોરાની વાત નથી, પણ આ કહાની છે ઝારખંડના શિક્ષણમંત્રી રામની રામાયણની. ઝારખંડના શિક્ષણમંત્રી વૈદ્યનાથ રામનાં સંતાનો નાપાસ થયાં છે.

આમ તો પ્રધાનપુત્રો નાપાસ થતા નથી. પ્રધાનનાં સંતાનો કે સત્તાધીશનાં સંતાનો સારા માર્ક મેળવે છે એ જાણીતી બાબત છે. ‘મેરે સૈંયા ભયે કોટવાલ અબ ડર કાહે કા.’ સૈયા કોટવાલ હોય એ બેફિકર હોય, એ જ તર્ક પ્રમાણે પ્રધાનોનાં સંતાનો નાપાસ થવાની ચિંતા કરતાં (જ) નથી. ‘મેરે પપ્પા ભયે મિનિસ્ટર મુઝે ડર કાહે કા’ એવું એ લોકો વિચારતા હોય છે. ઝારખંડ બિહારમાંથી છૂટું પડેલું રાજ્ય છે. પહેલાં તે બિહારનો ભાગ હતો એટલે આ વાત ઘણાને આઘાતજનક લાગે છે.

બિહારમાં સત્તાધીશોનાં સંતાનોનાં પરિણામો અત્યંત ઉજ્જવળ આવતાં, પણ નોંધનીય બાબત એ હતી કે જ્યારે તેમના વાલી સત્તા ઉપર હોય ત્યારે (જ) આ સંતાનો પરીક્ષામાં આકર્ષક પરિણામ લાવતાં. પપ્પા કે વાલી જેવા પદ ગુમાવે કે આ સંતાનો માર્કની સીડી ઉપરથી ગબડે. કેટલાંક વરસો પહેલાં સમાચારમાં આ બાબત ઉપર લખવામાં આવ્યું હતું કે, ‘માળા આ વિદ્યાર્થીઓ બાપના રાજમાં જ ઝળકે છે.’

પણ ઝારખંડના બનાવે સત્તાધીશોને લાંછન લગાડે તેવી બાબત બની છે. શિક્ષણપ્રધાનનાં સંતાનો જે નાપાસ થયાં છે એ કદાચ ગાતાં હશે, ‘બાપ બાપ ન રહા.’

ફિલ્મ ‘શક્તિ’ની યાદ આવે છે. દિલીપકુમાર ઉચ્ચ પોલીસ અધિકારી છે, પણ પોતાના પુત્ર અમિતાભ બચ્ચનને મદદ કરવાને બદલે આડે આવે છે. ‘શક્તિ’ ફિલ્મમાં દિલીપકુમારની દીકરાને મદદ કરવાની અશક્તિને બચ્ચન બરાબરની ચોપડાવે છે. “તુમ બાપ નહીં સિર્ફ પોલીસ હો.” પેલા ઝારખંડી પ્રધાનનાં સંતાનોએ પણ કદાચ કહ્યું હશે, “તુમ કેવળ પ્રધાન હો, પિતા નહીં...” બાકી સત્તાધીશ બાપ તો કેવા હોય? સંતાનો કહી શકે... એય લીલાલહેર છે. બાપની મહેર છે.

કેટલાંક વરસ પહેલાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ભોંસલે હતા. તેમના છોકરાને મેડિકલમાં પાસ કરાવવાનું કૌભાંડ તેમના નામે ચડેલું. છોકરાને મેડિકલમાં પાસ કરાવવામાં આપણા એક ગુજરાતી નાગર બ્રાહ્મણ જે મુંબઈના પ્રતિષ્ઠિત ડોક્ટર હતા તે ભરાઈ પડયા હતા એ યાદ છે. આપણા રાજ્યના એન્જિનિયર મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીએ પણ સંતાનની કેળવણીમાં બિનજરૂરી રસ લીધો હતો તેવો આક્ષેપ થયો હતો. ત્યારે ઝારખંડી પ્રધાન પોતાનાં સંતાનોને નાપાસ થતા કેવળ જોઈ રહ્યા. કમનસીબે તેમનું નામ રામ હતું. રામાયણ કાળમાં તો રામનાં સંતાનોએ પિતાજીની સામે શસ્ત્રો ઉઠાવેલાં. આ સંતાનોએ પોતે નાપાસ થયાં એ સામે આક્રોશ કઈ રીતે પ્રગટ કર્યો તેની વિગત જાણવા નથી મળી.

આ કિસ્સાને બીજી રીતે પણ જોઈ શકાય કે પ્રધાન હોવા છતાં વૈદ્યનાથ રામે છોકરાંઓને પાસ કરાવવાની કોઈ માથાકૂટ કરી ન હતી. પોતાના પદનો દુરૂપયોગ ન કર્યો. સત્તાના જોરે મહારાણી મિનળદેવીએ સામાન્ય પ્રજાજનની ઝૂંપડી પડાવી લીધી ન હતી. ઝારખંડના પ્રધાનને જનતા વધાવશે, એમના જણ્યા ભલે વખોડે. આ સંતાનના કાળા રિઝલ્ટની ઉજળી બાજુ છે. સંતાન માટેનો મોહ આપણા રાજકારણમાં જે રીતે છવાયેલો છે જે વ્યક્તિએ કદી કોઈ નગરપાલિકાનું પદ પણ શોભાવ્યું નથી. કોઈ ખાતાની કામગીરી મંત્રી બનીને દીપાવી નથી. એ પણ સીધા વડા પ્રધાન થઈ શકે. કોઈકના સંતાન હોવાને કારણે જ્યારે વૈદ્યનાથે કારકિર્દી ઘડવામાં કંઈ ન કર્યું. લાગે છે વૈદ્યનાથને કોઈ સારા ડોક્ટરની જરૂર છે.

વાઈડ બોલ

એક માણસે વજન ઘટાડવાનું તેલ ખરીદ્યું. રોજ તેલનો ઉપયોગ કરતો.

મિત્રે પૂછયું “ઘટયું ખરું?”

“હા, બાટલીનું વજન ઘટયું છે!” (સૂચિત)


આવાત અવળીગંગા જેવી જ ગણાય, પણ આ બીના બની છે. શિક્ષણપ્રધાનનાં સંતાનો નાપાસ થયાં એ વાતથી ઘણાં ચોંકી ગયા છે. એક ચોખવટ કરવી જરૂરી છે. આ શિક્ષણમંત્રી રમણભાઈ વોરાની વાત નથી, પણ આ કહાની છે ઝારખંડના શિક્ષણમંત્રી રામની રામાયણની. ઝારખંડના શિક્ષણમંત્રી વૈદ્યનાથ રામનાં સંતાનો નાપાસ થયાં છે.

આમ તો પ્રધાનપુત્રો નાપાસ થતા નથી. પ્રધાનનાં સંતાનો કે સત્તાધીશનાં સંતાનો સારા માર્ક મેળવે છે એ જાણીતી બાબત છે. ‘મેરે સૈંયા ભયે કોટવાલ અબ ડર કાહે કા.’ સૈયા કોટવાલ હોય એ બેફિકર હોય, એ જ તર્ક પ્રમાણે પ્રધાનોનાં સંતાનો નાપાસ થવાની ચિંતા કરતાં (જ) નથી. ‘મેરે પપ્પા ભયે મિનિસ્ટર મુઝે ડર કાહે કા’ એવું એ લોકો વિચારતા હોય છે. ઝારખંડ બિહારમાંથી છૂટું પડેલું રાજ્ય છે. પહેલાં તે બિહારનો ભાગ હતો એટલે આ વાત ઘણાને આઘાતજનક લાગે છે.

બિહારમાં સત્તાધીશોનાં સંતાનોનાં પરિણામો અત્યંત ઉજ્જવળ આવતાં, પણ નોંધનીય બાબત એ હતી કે જ્યારે તેમના વાલી સત્તા ઉપર હોય ત્યારે (જ) આ સંતાનો પરીક્ષામાં આકર્ષક પરિણામ લાવતાં. પપ્પા કે વાલી જેવા પદ ગુમાવે કે આ સંતાનો માર્કની સીડી ઉપરથી ગબડે. કેટલાંક વરસો પહેલાં સમાચારમાં આ બાબત ઉપર લખવામાં આવ્યું હતું કે, ‘માળા આ વિદ્યાર્થીઓ બાપના રાજમાં જ ઝળકે છે.’

પણ ઝારખંડના બનાવે સત્તાધીશોને લાંછન લગાડે તેવી બાબત બની છે. શિક્ષણપ્રધાનનાં સંતાનો જે નાપાસ થયાં છે એ કદાચ ગાતાં હશે, ‘બાપ બાપ ન રહા.’

ફિલ્મ ‘શક્તિ’ની યાદ આવે છે. દિલીપકુમાર ઉચ્ચ પોલીસ અધિકારી છે, પણ પોતાના પુત્ર અમિતાભ બચ્ચનને મદદ કરવાને બદલે આડે આવે છે. ‘શક્તિ’ ફિલ્મમાં દિલીપકુમારની દીકરાને મદદ કરવાની અશક્તિને બચ્ચન બરાબરની ચોપડાવે છે. “તુમ બાપ નહીં સિર્ફ પોલીસ હો.” પેલા ઝારખંડી પ્રધાનનાં સંતાનોએ પણ કદાચ કહ્યું હશે, “તુમ કેવળ પ્રધાન હો, પિતા નહીં...” બાકી સત્તાધીશ બાપ તો કેવા હોય? સંતાનો કહી શકે... એય લીલાલહેર છે. બાપની મહેર છે.

કેટલાંક વરસ પહેલાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ભોંસલે હતા. તેમના છોકરાને મેડિકલમાં પાસ કરાવવાનું કૌભાંડ તેમના નામે ચડેલું. છોકરાને મેડિકલમાં પાસ કરાવવામાં આપણા એક ગુજરાતી નાગર બ્રાહ્મણ જે મુંબઈના પ્રતિષ્ઠિત ડોક્ટર હતા તે ભરાઈ પડયા હતા એ યાદ છે. આપણા રાજ્યના એન્જિનિયર મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીએ પણ સંતાનની કેળવણીમાં બિનજરૂરી રસ લીધો હતો તેવો આક્ષેપ થયો હતો. ત્યારે ઝારખંડી પ્રધાન પોતાનાં સંતાનોને નાપાસ થતા કેવળ જોઈ રહ્યા. કમનસીબે તેમનું નામ રામ હતું. રામાયણ કાળમાં તો રામનાં સંતાનોએ પિતાજીની સામે શસ્ત્રો ઉઠાવેલાં. આ સંતાનોએ પોતે નાપાસ થયાં એ સામે આક્રોશ કઈ રીતે પ્રગટ કર્યો તેની વિગત જાણવા નથી મળી.

આ કિસ્સાને બીજી રીતે પણ જોઈ શકાય કે પ્રધાન હોવા છતાં વૈદ્યનાથ રામે છોકરાંઓને પાસ કરાવવાની કોઈ માથાકૂટ કરી ન હતી. પોતાના પદનો દુરૂપયોગ ન કર્યો. સત્તાના જોરે મહારાણી મિનળદેવીએ સામાન્ય પ્રજાજનની ઝૂંપડી પડાવી લીધી ન હતી. ઝારખંડના પ્રધાનને જનતા વધાવશે, એમના જણ્યા ભલે વખોડે. આ સંતાનના કાળા રિઝલ્ટની ઉજળી બાજુ છે. સંતાન માટેનો મોહ આપણા રાજકારણમાં જે રીતે છવાયેલો છે જે વ્યક્તિએ કદી કોઈ નગરપાલિકાનું પદ પણ શોભાવ્યું નથી. કોઈ ખાતાની કામગીરી મંત્રી બનીને દીપાવી નથી. એ પણ સીધા વડા પ્રધાન થઈ શકે. કોઈકના સંતાન હોવાને કારણે જ્યારે વૈદ્યનાથે કારકિર્દી ઘડવામાં કંઈ ન કર્યું. લાગે છે વૈદ્યનાથને કોઈ સારા ડોક્ટરની જરૂર છે.

વાઈડ બોલ

એક માણસે વજન ઘટાડવાનું તેલ ખરીદ્યું. રોજ તેલનો ઉપયોગ કરતો.

મિત્રે પૂછયું “ઘટયું ખરું?”

“હા, બાટલીનું વજન ઘટયું છે!” (સૂચિત)

આવાત અવળીગંગા જેવી જ ગણાય, પણ આ બીના બની છે. શિક્ષણપ્રધાનનાં સંતાનો નાપાસ થયાં એ વાતથી ઘણાં ચોંકી ગયા છે. એક ચોખવટ કરવી જરૂરી છે. આ શિક્ષણમંત્રી રમણભાઈ વોરાની વાત નથી, પણ આ કહાની છે ઝારખંડના શિક્ષણમંત્રી રામની રામાયણની. ઝારખંડના શિક્ષણમંત્રી વૈદ્યનાથ રામનાં સંતાનો નાપાસ થયાં છે.

આમ તો પ્રધાનપુત્રો નાપાસ થતા નથી. પ્રધાનનાં સંતાનો કે સત્તાધીશનાં સંતાનો સારા માર્ક મેળવે છે એ જાણીતી બાબત છે. ‘મેરે સૈંયા ભયે કોટવાલ અબ ડર કાહે કા.’ સૈયા કોટવાલ હોય એ બેફિકર હોય, એ જ તર્ક પ્રમાણે પ્રધાનોનાં સંતાનો નાપાસ થવાની ચિંતા કરતાં (જ) નથી. ‘મેરે પપ્પા ભયે મિનિસ્ટર મુઝે ડર કાહે કા’ એવું એ લોકો વિચારતા હોય છે. ઝારખંડ બિહારમાંથી છૂટું પડેલું રાજ્ય છે. પહેલાં તે બિહારનો ભાગ હતો એટલે આ વાત ઘણાને આઘાતજનક લાગે છે.

બિહારમાં સત્તાધીશોનાં સંતાનોનાં પરિણામો અત્યંત ઉજ્જવળ આવતાં, પણ નોંધનીય બાબત એ હતી કે જ્યારે તેમના વાલી સત્તા ઉપર હોય ત્યારે (જ) આ સંતાનો પરીક્ષામાં આકર્ષક પરિણામ લાવતાં. પપ્પા કે વાલી જેવા પદ ગુમાવે કે આ સંતાનો માર્કની સીડી ઉપરથી ગબડે. કેટલાંક વરસો પહેલાં સમાચારમાં આ બાબત ઉપર લખવામાં આવ્યું હતું કે, ‘માળા આ વિદ્યાર્થીઓ બાપના રાજમાં જ ઝળકે છે.’

પણ ઝારખંડના બનાવે સત્તાધીશોને લાંછન લગાડે તેવી બાબત બની છે. શિક્ષણપ્રધાનનાં સંતાનો જે નાપાસ થયાં છે એ કદાચ ગાતાં હશે, ‘બાપ બાપ ન રહા.’

ફિલ્મ ‘શક્તિ’ની યાદ આવે છે. દિલીપકુમાર ઉચ્ચ પોલીસ અધિકારી છે, પણ પોતાના પુત્ર અમિતાભ બચ્ચનને મદદ કરવાને બદલે આડે આવે છે. ‘શક્તિ’ ફિલ્મમાં દિલીપકુમારની દીકરાને મદદ કરવાની અશક્તિને બચ્ચન બરાબરની ચોપડાવે છે. “તુમ બાપ નહીં સિર્ફ પોલીસ હો.” પેલા ઝારખંડી પ્રધાનનાં સંતાનોએ પણ કદાચ કહ્યું હશે, “તુમ કેવળ પ્રધાન હો, પિતા નહીં...” બાકી સત્તાધીશ બાપ તો કેવા હોય? સંતાનો કહી શકે... એય લીલાલહેર છે. બાપની મહેર છે.

કેટલાંક વરસ પહેલાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ભોંસલે હતા. તેમના છોકરાને મેડિકલમાં પાસ કરાવવાનું કૌભાંડ તેમના નામે ચડેલું. છોકરાને મેડિકલમાં પાસ કરાવવામાં આપણા એક ગુજરાતી નાગર બ્રાહ્મણ જે મુંબઈના પ્રતિષ્ઠિત ડોક્ટર હતા તે ભરાઈ પડયા હતા એ યાદ છે. આપણા રાજ્યના એન્જિનિયર મુખ્યપ્રધાન અમરસિંહ ચૌધરીએ પણ સંતાનની કેળવણીમાં બિનજરૂરી રસ લીધો હતો તેવો આક્ષેપ થયો હતો. ત્યારે ઝારખંડી પ્રધાન પોતાનાં સંતાનોને નાપાસ થતા કેવળ જોઈ રહ્યા. કમનસીબે તેમનું નામ રામ હતું. રામાયણ કાળમાં તો રામનાં સંતાનોએ પિતાજીની સામે શસ્ત્રો ઉઠાવેલાં. આ સંતાનોએ પોતે નાપાસ થયાં એ સામે આક્રોશ કઈ રીતે પ્રગટ કર્યો તેની વિગત જાણવા નથી મળી.

આ કિસ્સાને બીજી રીતે પણ જોઈ શકાય કે પ્રધાન હોવા છતાં વૈદ્યનાથ રામે છોકરાંઓને પાસ કરાવવાની કોઈ માથાકૂટ કરી ન હતી. પોતાના પદનો દુરૂપયોગ ન કર્યો. સત્તાના જોરે મહારાણી મિનળદેવીએ સામાન્ય પ્રજાજનની ઝૂંપડી પડાવી લીધી ન હતી. ઝારખંડના પ્રધાનને જનતા વધાવશે, એમના જણ્યા ભલે વખોડે. આ સંતાનના કાળા રિઝલ્ટની ઉજળી બાજુ છે. સંતાન માટેનો મોહ આપણા રાજકારણમાં જે રીતે છવાયેલો છે જે વ્યક્તિએ કદી કોઈ નગરપાલિકાનું પદ પણ શોભાવ્યું નથી. કોઈ ખાતાની કામગીરી મંત્રી બનીને દીપાવી નથી. એ પણ સીધા વડા પ્રધાન થઈ શકે. કોઈકના સંતાન હોવાને કારણે જ્યારે વૈદ્યનાથે કારકિર્દી ઘડવામાં કંઈ ન કર્યું. લાગે છે વૈદ્યનાથને કોઈ સારા ડોક્ટરની જરૂર છે.

વાઈડ બોલ

એક માણસે વજન ઘટાડવાનું તેલ ખરીદ્યું. રોજ તેલનો ઉપયોગ કરતો.

મિત્રે પૂછયું “ઘટયું ખરું?”

“હા, બાટલીનું વજન ઘટયું છે!” (સૂચિત)

19 June.2011

No comments: