Friday, April 9, 2010

‘ઠાકોરજી મારે પદ્મશ્રી નથી થાવું’

ઠીક ઠીક લાંબી લાઈન હતી.

ઘણા પ્રભાવશાળી ચહેરા દેખાતા હતા. પૂછવામાં આવ્યું કે આ લાઈન શાની છે?’

આ લાઈન પદ્મશ્રીની છે?’

પદ્મશ્રીની લાઈન? શું પદ્મશ્રી માટે લાઈનમાં ઊભા રહેવાનું હોય છે?’

ના ના, પદ્મશ્રી લેવા માંગતા લોકોની આ લાઈન નથી.

તો શેની લાઈન છે? તમે તો કહો છો પદ્મશ્રી માટેની લાઈન છે...

છે પદ્મશ્રીની જ લાઈન, આ લાઈનમાં ઊભા છે તે બધા જ પદ્મશ્રીઓ છે.

તો એ લોકો શા માટે લાઈનમાં ઊભા છે?’

એ લોકો પદ્મશ્રી પરત કરવા માટે આવ્યા છે. તેની એ લાઈન છે.

પદ્મશ્રી પાછો આપવા આવ્યા છે,? કેમ કેમ?’

સૈફ અલી ખાનને પદ્મશ્રી અપાયો. એટલે આ બધા પોતાને મળેલા પદ્મશ્રી પરત કરવા આવ્યા છે.

એમ?’

હા, હાલના કેટલાક પદ્મશ્રીધારકોને થયું છે કે હવે પદ્મશ્રીનું અવમૂલ્યન થઈ રહ્યું છે.

ઓહ!

થાય જ ને કોઈ ટૂનટૂનને મિસ ઈન્ડિયાનો ખિતાબ મળી જાય તો ભૂતકાળની મિસ ઈન્ડિયા થયેલીઓને આઘાત લાગે ને! કે અમે આની હરોળમાં હવે ગણાઈશું!

શિરીષ કાણેકરે મશહૂર અને મજબૂત (બધા મશહૂર અને મજબૂત નથી હોતા) સંગીતકાર મદનમોહન વિશે લખ્યું હતું કે આવા દિગ્ગજને સરકારે પદ્મશ્રી નહોતો આપ્યો. આવું લખ્યા પછી કાણેકરે ઉમેર્યું કે, સારું થયું મહેન્દ્ર કપૂર અને સુનીલ દત્તને પદ્મશ્રી મળ્યા પછી મદનમોહનને ન મળે તે જ સારું ગણાય.

કેટલાંક વેપારી બે જાતના ચોપડા રાખે છે. એક નંબરના અને બે નંબરના. તે જ રીતે ઉપરના સત્તાધીશો બે જાતની બુક્સ રાખે છે. ગુડબુક્સઅને બેડબુક્સતેમાં તેમની ગુડબુક્સમાં હોવ તો એવોર્ડ મળવાની શક્યતા વધે છે અને જો તમે તેમની બેડબુક્સમાં હોવ તો પદ્મશ્રી ક્યારેય પણ, ક્યારેય પણ ન મળે.

હાસ્યકાર પ્રબોધ જોશીએ (પત્તાની જોડનાટકના લેખક) એક જગ્યાએ લખ્યું હતું. જે પુસ્તકને વિવેચકો વખાણે છે તે લોકો વાંચતા નથી. અને જે પુસ્તકને વિવેચકો તેમજ લોકો કોઈ વખાણતા નથી તેને એવોર્ડ મળી જાય છે. પદ્મ એવોર્ડ ક્યારેક છદ્મ એવોર્ડ બની જાય છે.

ગીતને મશહૂર કરે છે એક્ટર પણ પડદા ઉપરની તેની એક્ટિંગથી ગીતકારનું ખાસ મહત્ત્વ નથીઆમીર ખાને આવું કંઈક વિધાન હમણાં કર્યું.તેનાથી ગણગણાટ થયો છે. વાતમાં કંઈક તથ્ય લાગે છે, જોઈએ આતી ક્યાં ખંડાલા?’ આ ગીત આખા દેશમાં મશહૂર થઈ ગયું હતું. એ મશહૂર શાથી થયું? ગીતકારને કારણે કે એક આમીર ખાનના કારણે? લોકોને ગીતકારનું નામ પણ યાદ નથી, પણ યાદ છે ગીતમાં રૃમાલ ફેરવી સ્ટાઈલ મારતો આમીર ખાન. સામે દેખાતા આમીર ખાને ગીતને મશહૂર કરેલું. પોતાની અદાથી ગીતકારના તેમાં કેટલા ટકા? એ ગીતમાં ખંડાલાની જગ્યાએ ચંડોળા પણ લખી શકાય.

આતી ક્યાં ચંડોળા?’તો ફેર ન પડત.

ફેર અદાકારનો છે બાપુ. બાપુ કહેતા ગાંધીબાપુ યાદ આવી ગયા. એ પણ ગજબના અદાકાર! વૈષ્ણવ જન તો તેને કહીએનરસિંહ મહેતાએ લખ્યું હતું. પણ ઊપડયું કોના કારણે? ગાંધીબાપુના કારણે, એટલે સાબિત થઈ જાય છે. ગીતકાર કરતાં અદાકાર પ્રભાવી છે. ઈતિ સિદ્ધમ્.

ગૂગલી

દ. આફ્રિકાના કેપ્ટન સ્મિથે કોમેન્ટ કરતા (વાઈડાઈ કરતા) કહ્યું હતું, ‘ભારતની ટીમ નંબરવન થવા લાયક જ નથીઅને ભારતે સાબિત કરી આપ્યું કે દ. આફ્રિકા બે (૨) માટે જ લાયક છે.

No comments: