Sunday, April 11, 2010

છસ્સો વર્ષનું યુવાન અમદાવાદ

નગર અને નારીમાં (નરમાં પણ) તફાવત એ છે કે નગર ઘરડું નથી થતું. ઉંમર વધતાં નગરમાં નિખાર આવે છે. ઉંમર વધતાં નગર વધુ ખીલે છે. નારી ઉંમર વધતાં કરમાય છે, નગર નહીં. નગરને ચાર કે પાંચ વર્ષે નવો પતિ મળે છે. નારીને માટે તે કાયદેસર શક્ય નથી.

આજે છસ્સો વર્ષ થયાં આપણા અમદાવાદને. થોડાક જ દિવસો પહેલાં તેને છસ્સો એકમું બેઠું. જન્મદિન-વર્ષગાંઠની વાત નીકળી ત્યારે એક વાત યાદ આવે છે. ડ્રગ-કમિશનર તરીકે રહી ચૂકેલા ગિરીશ ભગત આ કોલમના લેખકની વર્ષગાંઠ નિમિત્તે ફોન કરે. ફોન તો અભિનંદન માટેનો હોય પણ પ્રશ્ન કરે, ‘નિરંજન, કેટલાં વર્ષ પાણીમાં ગયાં?’

સાબરમતીના કિનારે વસેલા આ શહેરને કેટલાં વર્ષ પાણીમાં ગયાં તેમ પૂછી શકાય તેમ નથી. હા, અગાઉનાં કેટલાંક વર્ષો પાણી વગરનાં ગયાં છે ખરાં. ઘાયલ સૈનિકની જેમ લોકોએ પાણી... પાણી...કરવું પડયું છે. ઘણાં વર્ષો સાબરમતીમાં પાણી નહીં પણ રેતી જ જોઈ શકાતી. અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજે તેનો ર્વાિષક અંક સાબરમતીના નામે બહાર પાડયો ત્યારે કોઈકે ટીકા કરેલી કે આ અંકમાં પાણીનહીં હોય. પણ હવે અમદાવાદની સાથે સાથે સાબરમતીમાં પણ નિખાર આવ્યો છે. રિવર ફ્રન્ટથયા પછી સાબરમતીનાં હવેનાં વર્ષો પાણીદાર થશે. જે સાબરમતી નદીના પટમાં ગધેડાં ફરતાં હતાં ત્યાં બોટ ફરતી દેખાશે એવી આગાહી છે. (જોકે, સાબરમતીના પટમાં ગધેડાં જ નહીં વાઘ, સિંહ પણ ફરતાં, જ્યારે ત્યાં સરકસ આવતું ત્યારે)

આજે અમદાવાદમાં પાણીનો કકળાટ નથી, કારણ સાબરમતી મૈયાની સાથે નર્મદામાશી પણ અમદાવાદીઓને પાણી પાય છે. મા-ઝિંદાબાદ અને માશી પણ ઝિંદાબાદ.

પાણી ઉપરાંત લોહી સાથે પણ અમદાવાદને સંબંધ છે. અમદાવાદમાં અવાર-નવાર બે કોમો એક જ પ્રકારના રંગનું લોહી વહાવે છે. ગુજરાત રાજ્યની સ્થાપના માટે ઘણા વિદ્યાર્થીઓએ તેમનાં લોહી વહાવ્યાં હતાં. (સરનામાં વગરની ગોળીઓ વાગવાથી) આ પહેલાં લાલ રંગના લોહીથી, લડતના પરિણામે આઝાદી મળી. લાલ લોહીને પ્રતાપે સફેદ ઝભ્ભાવાળાઓને શાસન મળ્યું હતું. ગોળી ઉપર ભલે સરનામું ન હોય પણ ખુરશી ઉપર સરનામું હોય છે.

અમદાવાદની સ્થાપના અહેમદશાહે અમુકતમુક સાલમાં કરેલી. અમુકતમુક જોષીઓએ તેની કૂંડળીઓ પણ બનાવી છે. કૂંડળી જોતાં લાગે કે શત્રુસ્થાનમાં માણેકનાથ નામે બાવો હતો. કદાચ નહીં સ્થપાયેલા અમદાવાદ મ્યુનિસિપાલિટીનો તે ડીમોલેશનનો મુખી હતો. જેમ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ હોય છે તેમ આ માણેકનાથ બાવો ડીમોલેશન સ્પેશિયાલિસ્ટ હતો. બાદશાહના માણસો દિવસે કોટ બાંધે. રાત્રે માણેકનાથ તેને ડીમોલીશ યાને કે ધ્વંસ કરી નાખે. એક કોન્ટ્રાક્ટર કહેતા હતા કે કામ શરૃ કરતા પહેલાં અહમદ શાહે માણેકનાથ સાથે બેસે ઊઠેકંઈક નક્કીકરી લેવું જોઈતું હતું.

એક સામાજિક વિજ્ઞાનના અભ્યાસીએ કહ્યું આમાં સામાજિક સમસ્યા છે. તમે કંઈક નવું કામ શરૃ કરો, એટલે એકાદ માણેકનાથ બાવો ટપકી પડશે. તે તમારા કામને બગાડવાનું-વખોડવાનું શરૃ કરશે. (સિંદબાદ કહે છે નરેન્દ્ર મોદીથી વધુ આ વાત કોણ સમજી શકે?)

દરેક અહેમદ શાહને માણેકનાથ સાથે કામ પડવાનું જ હોય છે. જે અહેમદ શાહ માણેકનાથને ઝારીમાં પૂરી શકે છે. બાટલીમાં બંધ કરી શકે છે એ જ સફળ થાય છે.

અમદાવાદની જન્મકથાનો એ બોધ છે કે તમે તમારી સામે આવેલા માણેકનાથને પરાસ્ત કરીને જ સર્જન કરી શકશો...

લાઈ ડીટેક્ટર’ (જુઠ્ઠાણું પકડતા) યંત્ર સામે એક વ્યક્તિને લાવવામાં આવી. કાગળિયા તૈયાર કરતા અધિકારીએ તેને પૂછયું, ‘તમારું નામ શું?’

જવાબ મળ્યો, ‘હરિશ્ચંદ્ર

No comments: